દિવાળીના તહેવારોનો પ્રારંભ, વાક્ બારસ કે વાઘ બારસ? જાણો આ દિવસે કોની થાય છે પૂજા?


  • Published By :
  • Published Date : 2024-10-29 13:10:08

દિવાળીના તહેવારનો અગિયારસથી પ્રારંભ થઈ જાય છે.. દિવાળીએ એવો તહેવાર છે જેની આપણે સૌ કોઈ રાહ જોતા હોઈએ છીએ.. નવા વર્ષે નવા સંકલ્પો લેતા હોઈએ છીએ.. રમા એકાદશીથી દિવાળીના તહેવારનો પ્રારંભ થઈ જાય છે... આજે વાક બારસ છે જેને આપણે વાઘ બારસ તરીકે બોલીએ છીએ.. વાક્ એટલે વાણી.. વાણીની અધિષ્ઠાત્રી દેવી એવા માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.. વાસ્તવમાં આ તહેવારનું નામ છે વાક્ બારસ પરંતુ અપભ્રંશ થતા થતા આને વાઘ બારસ કહેવા લાગ્યા..


વાક્ નું અપભ્રંશ થતા થયું વાઘ બારસ 

આ દિવસે સરસ્વતી દેવીની પૂજા કરવામાં આવે છે.. સરસ્વતી માતાને વાણીના દેવી કહેવામાં આવે છે.. વાક્ બારસના દિવસે માતા સરસ્વતીની આરાધના કરવામાં આવે છે.. ભાષા સમૃદ્ધ કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે... બારસના દિવસે માતા સરસ્વતીની તેમજ ધનતેરસના દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં  આવે છે.. આમ તો આ છે વાક્ બારસ પરંતુ ધીમે ધીમે તે વાઘ બારસ થઈ ગઈ. વાક્ શબ્દનો અપભ્રંશ થઈ વાઘ બારસ થયું.. 



હિંદુ ધર્મમાં ગાયને આપવામાં આવ્યું છે ઉચ્ચ સ્થાન

વાઘ બારસના દિવસે અનેક લોકો ગાય માતા અને વાછરડાની પૂજા કરે છે... ગૌ માતાને આપણી સંસ્કૃતિમાં ખૂબ મોટું સ્થાન આપવામાં આવ્યું છે.... ગાય માતામાં અનેક દેવી દેવતાઓનો વાસ રહેલો છે.. ગાય માતાની  પૂજા કરવાથી અનેક ઘણું પુણ્ય મળે છે તેવી માન્યતા છે.. એવી પણ માન્યતા છે કે આ દિવસે ક્ષીર સાગરમાંથી ગૌ માતા પ્રગટ થયા હતા.. ધાર્મિક ગ્રંથોમાં મળતા ઈતિહાસ પ્રમાણે ભવિષ્ય પુરાણમાં ગોવત્સ દ્વાદશીની કથાનો ઉલ્લેખ છે. ગૌ માતા તેમજ વાછરડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે... આપ સૌને વાક્ બારસ (વાઘ બારસ)ની શુભકામના...


નોંધ - અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે... 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.