સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો, બાવળા-બગોદરા પાસે બે અલગ-અલગ દરોડા પાડી 1 કરોડનો દારૂ ઝડપ્યો


  • Published By :
  • Published Date : 2023-05-15 16:37:13

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાયદાના પુસ્તકોમાં જ છે, જ્યારે હકીકત એ છે કે રાજ્યમાં તમામ નાના- મોટા શહેરોમાં દારૂનું વેચાણ અને સેવન થાય છે. પોલીસની પીઢ પાછળ જ આ ગેરકાયદેસર પ્રવૃતી રહે છે. દારૂનો જથ્થો પકડાવાના છુટાછવાયા બનાવો ક્યાંક બનતા રહે છે. જેમ કે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અમદાવાદ-રાજકોટ હાઈવે પર બાવળા અને બગોદરા પાસે બે અલગ અલગ દરોડા પાડી રાજકોટ અને થાન આવતો આશરે 1 કરોડની કિંમતનો દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડયો છે. જેમાં રાજસ્થાનથી સોડા પાઉડરની આડમાં છુપાવી 11,988 બોટલ દારૂ બીયરનો જથ્થો અને હરિયાણાથી કેપ્સીકમ મરચાની આડમાં છુપાવીને લવાતો 7,190 બોટલ ઝડપી પાડયો હતો. પોલીસે દારૂ મંગાવનાર, સપ્લાય કરનાર અને ટ્રકના ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો છે. આ બે દરોડામાં પોલીસે રાજસ્થાનના એક શખ્સને ઝડપી લીધો છે. પૂછપરછમાં સૌરાષ્ટ્ર અને રાજકોટ તેમજ થાનના બુટલેગરો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. 


બાતમીના આધારે પોલીસની કાર્યવાહી


દારૂના આટલા મોટા જથ્થા અંગે ગુપ્ત બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લીપ્ત રાય તેમજ ડીવાયએસપી કે.ટી.કામરીયાની ટીમને મળેલી બાતમીના આધારે રાજસ્થાન અને હરિયાણાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવેલા દારૂને ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં પ્રથમ દરોડામાં અમદાવાદ રાજકોટ હાઈવે પર જૈન મંદિર પાસે પોલીસે રાજસ્થાન પાર્સિંગની આર.જે.14 જી.ઈ.7077 નંબરના ટ્રેઈલરને અટકાવ્યું હતું. ચાલક ટ્રેઈલર મુકી ફરાર થઈ ગયો હતો.આ ટ્રેઈલરમાં તપાસ કરતા 320 જેટલી સોડા પાઉડરની ગુણી આડમાં છુપાવેલો રૂા.35.5 લાખની કિંમતનો 11988 બોટલ દારૂ તથા ટ્રક સહિત રૂા.55.42 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

 

મરચાની આડમાં દારૂ છુપાવાયો


આ જ પ્રકારે બીજા દરોડામાં હરિયાણાથી રાજકોટ લાવવામાં આવતો દારૂનો જથ્થો પણ પોલીસે ઝડપી પાડયો હતો. જેમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર બગોદરા પાસે હોટલ વેવેઈટની સામે આર.જે.જી.જ.9615 નંબરનું ટ્રઈલર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અટકાવ્યું હતું અને તપાસ કરતાં 266 ગુણી કેપ્સીકમ મરચાની આડમાં છુપાવેલો રૂા.27.26 લાખની કિંમતનો 7190 બોટલ દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આ દારૂના જથ્થા સાથે રાજસ્થાનના શેરગઢ તાલુકાના ભાઈલાના હરિનગરમાં રહેતા ભીખારામ શ્રીધરરામ દેવાસીને ઝડપી લીધો હતો. એસએમસીએ રૂા.47.84 લાખનો મુદ્ધામાલ કબજે કર્યો હતો. રાજસ્થાનના ડ્રાઈવરની પુછપરછમાં તેણે પોલીસ સમક્ષ કબુલ્યું કે હરિયાણાથી આ દારૂનો જથ્થો રાજકોટનાં બુટલેગરને સપ્લાય કરવાનો હતો. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.