સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો, બાવળા-બગોદરા પાસે બે અલગ-અલગ દરોડા પાડી 1 કરોડનો દારૂ ઝડપ્યો


  • Published By :
  • Published Date : 2023-05-15 16:37:13

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાયદાના પુસ્તકોમાં જ છે, જ્યારે હકીકત એ છે કે રાજ્યમાં તમામ નાના- મોટા શહેરોમાં દારૂનું વેચાણ અને સેવન થાય છે. પોલીસની પીઢ પાછળ જ આ ગેરકાયદેસર પ્રવૃતી રહે છે. દારૂનો જથ્થો પકડાવાના છુટાછવાયા બનાવો ક્યાંક બનતા રહે છે. જેમ કે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અમદાવાદ-રાજકોટ હાઈવે પર બાવળા અને બગોદરા પાસે બે અલગ અલગ દરોડા પાડી રાજકોટ અને થાન આવતો આશરે 1 કરોડની કિંમતનો દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડયો છે. જેમાં રાજસ્થાનથી સોડા પાઉડરની આડમાં છુપાવી 11,988 બોટલ દારૂ બીયરનો જથ્થો અને હરિયાણાથી કેપ્સીકમ મરચાની આડમાં છુપાવીને લવાતો 7,190 બોટલ ઝડપી પાડયો હતો. પોલીસે દારૂ મંગાવનાર, સપ્લાય કરનાર અને ટ્રકના ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો છે. આ બે દરોડામાં પોલીસે રાજસ્થાનના એક શખ્સને ઝડપી લીધો છે. પૂછપરછમાં સૌરાષ્ટ્ર અને રાજકોટ તેમજ થાનના બુટલેગરો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. 


બાતમીના આધારે પોલીસની કાર્યવાહી


દારૂના આટલા મોટા જથ્થા અંગે ગુપ્ત બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લીપ્ત રાય તેમજ ડીવાયએસપી કે.ટી.કામરીયાની ટીમને મળેલી બાતમીના આધારે રાજસ્થાન અને હરિયાણાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવેલા દારૂને ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં પ્રથમ દરોડામાં અમદાવાદ રાજકોટ હાઈવે પર જૈન મંદિર પાસે પોલીસે રાજસ્થાન પાર્સિંગની આર.જે.14 જી.ઈ.7077 નંબરના ટ્રેઈલરને અટકાવ્યું હતું. ચાલક ટ્રેઈલર મુકી ફરાર થઈ ગયો હતો.આ ટ્રેઈલરમાં તપાસ કરતા 320 જેટલી સોડા પાઉડરની ગુણી આડમાં છુપાવેલો રૂા.35.5 લાખની કિંમતનો 11988 બોટલ દારૂ તથા ટ્રક સહિત રૂા.55.42 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

 

મરચાની આડમાં દારૂ છુપાવાયો


આ જ પ્રકારે બીજા દરોડામાં હરિયાણાથી રાજકોટ લાવવામાં આવતો દારૂનો જથ્થો પણ પોલીસે ઝડપી પાડયો હતો. જેમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર બગોદરા પાસે હોટલ વેવેઈટની સામે આર.જે.જી.જ.9615 નંબરનું ટ્રઈલર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અટકાવ્યું હતું અને તપાસ કરતાં 266 ગુણી કેપ્સીકમ મરચાની આડમાં છુપાવેલો રૂા.27.26 લાખની કિંમતનો 7190 બોટલ દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આ દારૂના જથ્થા સાથે રાજસ્થાનના શેરગઢ તાલુકાના ભાઈલાના હરિનગરમાં રહેતા ભીખારામ શ્રીધરરામ દેવાસીને ઝડપી લીધો હતો. એસએમસીએ રૂા.47.84 લાખનો મુદ્ધામાલ કબજે કર્યો હતો. રાજસ્થાનના ડ્રાઈવરની પુછપરછમાં તેણે પોલીસ સમક્ષ કબુલ્યું કે હરિયાણાથી આ દારૂનો જથ્થો રાજકોટનાં બુટલેગરને સપ્લાય કરવાનો હતો. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.