આંબેડકરનું પૂતળું હટાવવા મુદ્દે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પથ્થરમારો, પોલીસે એકની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-04-12 15:34:04

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરનું પુતળું હટાવવાના વિરોધમાં બબાલ થઈ ગઈ હતી. મામલો વણસતા ટોળાએ પથ્થરમારો પણ કર્યો હતો. આ ઘટના અંગ ચાંદખેડા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ચાંદખેડાના દિલીપ તિવારી નામના એક દુકાનદારે 30 માર્ચે એક પિલર તોડી નાખ્યું હતું જેના પર આંબેડકરનું પૂતળું સ્થાપિત કરવામાં આવી હતી. 


સમગ્ર મામલો શું હતો?


અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક રહેણાંક સોસાયટીની જમીન પર આંબેડકરનું પૂતળું સ્થાપિત કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશ અને દુકાનદાર દિલીપ તિવારીએ આ પૂતળાનો વિરોધ કરતા કહ્યું કે આ સોસાયટીની જમીન પર દબાણ છે. આ મુદ્દે સ્થાનિક નાગરિક સંસ્થાએ પણ પિલરને હટાવવા માટે નોટિસ આપી હતી. જો કે તેમ છતાં પણ આંબેડકરનું પૂતળું યથાવત રહેતા દિલીપ તિવારીએ તે પિલર તોડી નાખ્યું ત્યાર બાદ મામલો વણસ્યો હતો.


વીડિયો વાયરલ થતા હોબાળો થયો


ચાંડખેડા વિસ્તારના એક સ્થાનિક સામાજિક કાર્યકર, કેતુલ કાપડિયાએ કથિત રીતે આંબેડકરના પુતળાને તોડી પાડતો વીડિયો સોશિયલ મીડિયા પર મુક્યો કર્યો હતો. ત્યાર બાદ સેંકડો લોકો એકઠા હતા થયા અને કથિત રીતે તિવારીની દુકાનને નુકસાન પહોંચાડ્યું હતું. ચાંદખેડા પોલીસે કાપડિયા વિરુદ્ધ ગેરકાયદેસર રીતે સભા કરવા, નુકસાન પહોંચાડવા અને તોફાનો કરવા બદલ ફરિયાદ નોંધી હતી, કેતુલ કાપડિયાની ધરપકડ કરીને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.