આંબેડકરનું પૂતળું હટાવવા મુદ્દે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પથ્થરમારો, પોલીસે એકની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-04-12 15:34:04

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરનું પુતળું હટાવવાના વિરોધમાં બબાલ થઈ ગઈ હતી. મામલો વણસતા ટોળાએ પથ્થરમારો પણ કર્યો હતો. આ ઘટના અંગ ચાંદખેડા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ચાંદખેડાના દિલીપ તિવારી નામના એક દુકાનદારે 30 માર્ચે એક પિલર તોડી નાખ્યું હતું જેના પર આંબેડકરનું પૂતળું સ્થાપિત કરવામાં આવી હતી. 


સમગ્ર મામલો શું હતો?


અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક રહેણાંક સોસાયટીની જમીન પર આંબેડકરનું પૂતળું સ્થાપિત કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશ અને દુકાનદાર દિલીપ તિવારીએ આ પૂતળાનો વિરોધ કરતા કહ્યું કે આ સોસાયટીની જમીન પર દબાણ છે. આ મુદ્દે સ્થાનિક નાગરિક સંસ્થાએ પણ પિલરને હટાવવા માટે નોટિસ આપી હતી. જો કે તેમ છતાં પણ આંબેડકરનું પૂતળું યથાવત રહેતા દિલીપ તિવારીએ તે પિલર તોડી નાખ્યું ત્યાર બાદ મામલો વણસ્યો હતો.


વીડિયો વાયરલ થતા હોબાળો થયો


ચાંડખેડા વિસ્તારના એક સ્થાનિક સામાજિક કાર્યકર, કેતુલ કાપડિયાએ કથિત રીતે આંબેડકરના પુતળાને તોડી પાડતો વીડિયો સોશિયલ મીડિયા પર મુક્યો કર્યો હતો. ત્યાર બાદ સેંકડો લોકો એકઠા હતા થયા અને કથિત રીતે તિવારીની દુકાનને નુકસાન પહોંચાડ્યું હતું. ચાંદખેડા પોલીસે કાપડિયા વિરુદ્ધ ગેરકાયદેસર રીતે સભા કરવા, નુકસાન પહોંચાડવા અને તોફાનો કરવા બદલ ફરિયાદ નોંધી હતી, કેતુલ કાપડિયાની ધરપકડ કરીને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે