આંબેડકરનું પૂતળું હટાવવા મુદ્દે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પથ્થરમારો, પોલીસે એકની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-04-12 15:34:04

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરનું પુતળું હટાવવાના વિરોધમાં બબાલ થઈ ગઈ હતી. મામલો વણસતા ટોળાએ પથ્થરમારો પણ કર્યો હતો. આ ઘટના અંગ ચાંદખેડા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ચાંદખેડાના દિલીપ તિવારી નામના એક દુકાનદારે 30 માર્ચે એક પિલર તોડી નાખ્યું હતું જેના પર આંબેડકરનું પૂતળું સ્થાપિત કરવામાં આવી હતી. 


સમગ્ર મામલો શું હતો?


અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક રહેણાંક સોસાયટીની જમીન પર આંબેડકરનું પૂતળું સ્થાપિત કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશ અને દુકાનદાર દિલીપ તિવારીએ આ પૂતળાનો વિરોધ કરતા કહ્યું કે આ સોસાયટીની જમીન પર દબાણ છે. આ મુદ્દે સ્થાનિક નાગરિક સંસ્થાએ પણ પિલરને હટાવવા માટે નોટિસ આપી હતી. જો કે તેમ છતાં પણ આંબેડકરનું પૂતળું યથાવત રહેતા દિલીપ તિવારીએ તે પિલર તોડી નાખ્યું ત્યાર બાદ મામલો વણસ્યો હતો.


વીડિયો વાયરલ થતા હોબાળો થયો


ચાંડખેડા વિસ્તારના એક સ્થાનિક સામાજિક કાર્યકર, કેતુલ કાપડિયાએ કથિત રીતે આંબેડકરના પુતળાને તોડી પાડતો વીડિયો સોશિયલ મીડિયા પર મુક્યો કર્યો હતો. ત્યાર બાદ સેંકડો લોકો એકઠા હતા થયા અને કથિત રીતે તિવારીની દુકાનને નુકસાન પહોંચાડ્યું હતું. ચાંદખેડા પોલીસે કાપડિયા વિરુદ્ધ ગેરકાયદેસર રીતે સભા કરવા, નુકસાન પહોંચાડવા અને તોફાનો કરવા બદલ ફરિયાદ નોંધી હતી, કેતુલ કાપડિયાની ધરપકડ કરીને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.