નવરાત્રી દરમિયાન પથ્થરમારો, લઘુમતી સમાજના 150 લોકોએ કર્યો હુમલો!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 14:49:59

ખેડા જિલ્લામાં ફરી વખત ધાર્મિક અશાંતિનો માહોલ ફેલાયો છે. માતમ તાલુકાના ઊઠેર ગામ ખાતે આઠમના ગરબા ચાલી રહ્યા હતા ત્યારે લઘુમતી સમાજના કેટલાક તત્વો દ્વારા પત્થરમારો કરવામાં આવ્યો હતો

 

ઘટનામાં 6થી 8 લોકોને ઇજાઑ પહોંચી હતી. અને તેમને સારવાર હેઠળ છે હાલ ઊંઠેરા ગામના સરપંચે ઘટનાની માહિતી આપતાં જણાવ્યું કે, તેમણે પોતે સરપંચ બનશે તો આઠમના ગરબા કરાવશે તેવી માનતા રાખી હતી. કારણે માંડવી ચોકથી તુળજાભવાની મંદિર સુધી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.  



 

આઠમનું નોરતું હતું અને કેટલાક લોકોએ ગરબા રમવાની ના પાડી ત્યાર બાદ તરત ચારેબાજુ પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. અને ત્યાં હીનક્ષક માહોલ બની ગયો હતો આમાં તુળજા માતાના મંદિર પાસે અંદાજે 300 જેટલા ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો કરાયો

કેટલા આરોપી પકડાયા ?

 ખેડા પોલીસે 10 આરોપીઓની કરી ધરપકડ કરી હતી અને ધરપકડ કરાયેલા વિધર્મી આરોપીઓને ગામમાં લાવવામા આવ્યા. અને સજાના ભાગ રૂપે તેમની ખેડા એલસીબી પીઆઇ અશોક.વી. પરમારે તમામ આરોપીઓની જાહેરમાં કરી ધુલાઈ એટલે એક ફરી કોઈ આવુંના કરે ત્યાં ગામમાં આરોપીઓની ધુલાઈ કરવામાં આવતા  મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા.. ધુલાઈ બાદ લોકોએ ભારત માતા કી જય વંદે  માતરમ, જયશ્રી રામના લાગ્યા નારા લગવ્યા.







જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.