Vadodaraના ભોજ ગામમાં ભગવાન રામની શોભાયાત્રા પર કરાયો પથ્થરમારો! પોલીસ કાફલો કરાયો તૈનાત


  • Published By :
  • Published Date : 2024-01-22 17:42:46

એક તરફ ભગવાન રામની ભક્તિમાં દેશ આખો લીન થયો છે તો બીજી તરફ ગુજરાતમાં શાંતિ ખોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રામ ભગવાનની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે જેમાં 10 જેટલી મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે. વડોદરાના ભોજ ગામમાં ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન કેટલાંક અસામાજિક તત્વો દ્વારા પથ્થર મારો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. પથ્થમારા ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ગઈકાલે પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. અસામાજીક તત્વો દ્વારા આ પથ્થરમારો કરવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. 


ભોજ ગામમાં બની પથ્થરમારાની ઘટના!

ગઈકાલે મહેસાણાના ખેરાલુથી સમાચાર સામે આવ્યા કે રામ ભગવાનની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ગુજરાતની શાંતિને ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે આજે આવી ઘટના વડોદરાથી સામે આવી છે. વડોદરાના પાદરા તાલુકાના ભોજ ગામમાં જ્યારે ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી તે વખતે પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા 10 જેટલી મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે. ઘટનાને પગલે ભોજ ગામમાં પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસે આ મામલાને શાંત પાડવાની કોશિશ કરી, લોકોને સમજાવાની કોશિશ કરી હતી. પાદરાના પીઆઈ તડવીએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  

શું હતી મહેસાણાની ઘટના?

મહેસાણા જિલ્લાના ખેરાલુમાં પણ ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હાટડીયા રામની શોભાયાત્રા દરમિયાન ખેરાલુ કડીયા બજારમાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બન્યાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. શોભાયાત્રા બેલીમ વાસ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ધાબા પરથી કેટલાક યુવકો અને મહિલાઓના સહિતના ટોળાએ શોભાયાત્રા પર અચાનક પથ્થર મારો કર્યો હતો. ધાબા ઉપર થી મહિલાઓ અને પુરુષોએ રેલી ઉપર પથ્થર મારો કર્યા હોવાનો વીડિયો પણ વાયરલ થયો. ઘટનાની જાણ થતાં ખેરાલુ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પથ્થરમારો કરનાર સામે પોલીસે કડક કાર્યવાહી કરવાની શરૂ કરી છે. 

પોલીસે 10 રાઉન્ડ ટીયર ગેસના સેલ છોડ્યા


ખેરાલુમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા વાજતે ગાજતે નિકળી હતી પરંતું મસ્જિદ આગળથી પસાર થતા જ શોભાયાત્રા દરમ્યાન પથ્થરમારો અચાનક જ શરુ થયો હતો. અચાનક પથ્થરમારાની ઘટના સામે આવતા લોકોમાં અફરા-તફરી સર્જાઈ હતી. પોલીસે આશરે 10 રાઉન્ડ ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને મામલો શાંત પાડવા માટે પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકાયો હતો. ત્યારે આજે ભગવાનની શોભાયાત્રા પર વડોદરામાં પથ્થરમારો કરવામાં આવ્યો છે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે