પશ્ચિમ બંગાળમાં વંદે ભારત ટ્રેન પર થયો પથ્થરમારો, થોડા દિવસ પહેલા શરૂ થઈ હતી ટ્રેન


  • Published By :
  • Published Date : 2023-01-03 12:03:20

થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. હાવડાથી ન્યુ જલપાઈગુડી સુધી વંદે ભારત ટ્રેન જતી હોય છે. પથ્થરમારાની ઘટના માલદા સ્ટેશન પાસે બની હતી. વંદે ભારત ટ્રેનની બારીના કાચ તૂટી ગયા હતા.  વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયાની માહિતી મળતા રેલવે તંત્ર દોડતું થયું છે.


વંદે ભારત ટ્રેનને અનેક વખત નડ્યા છે અકસ્માત 

દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેન ફરી રહી છે. ગુજરાતમાં પણ વંદે ભારત ટ્રેન દોડી રહી છે. ગુજરાતમાં પણ વંદે ભારત ટ્રેનને અનેક વખત અકસ્માત નડ્યા છે. પશુ ભટકાવવાને કારણે વંદે ભારત ટ્રેનને નુકસાન પહોચ્યું છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં પણ વંદે ભારત ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ ટ્રેન શરૂ થયાને થોડા દિવસો બાદ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે.  જેને કારણે ટ્રેનના કાચ તૂટી ગયા હતા. 

       

  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.