પશ્ચિમ બંગાળમાં વંદે ભારત ટ્રેન પર થયો પથ્થરમારો, થોડા દિવસ પહેલા શરૂ થઈ હતી ટ્રેન


  • Published By :
  • Published Date : 2023-01-03 12:03:20

થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. હાવડાથી ન્યુ જલપાઈગુડી સુધી વંદે ભારત ટ્રેન જતી હોય છે. પથ્થરમારાની ઘટના માલદા સ્ટેશન પાસે બની હતી. વંદે ભારત ટ્રેનની બારીના કાચ તૂટી ગયા હતા.  વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયાની માહિતી મળતા રેલવે તંત્ર દોડતું થયું છે.


વંદે ભારત ટ્રેનને અનેક વખત નડ્યા છે અકસ્માત 

દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેન ફરી રહી છે. ગુજરાતમાં પણ વંદે ભારત ટ્રેન દોડી રહી છે. ગુજરાતમાં પણ વંદે ભારત ટ્રેનને અનેક વખત અકસ્માત નડ્યા છે. પશુ ભટકાવવાને કારણે વંદે ભારત ટ્રેનને નુકસાન પહોચ્યું છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં પણ વંદે ભારત ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ ટ્રેન શરૂ થયાને થોડા દિવસો બાદ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે.  જેને કારણે ટ્રેનના કાચ તૂટી ગયા હતા. 

       

  



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.