પશ્ચિમ બંગાળમાં વંદે ભારત ટ્રેન પર થયો પથ્થરમારો, થોડા દિવસ પહેલા શરૂ થઈ હતી ટ્રેન


  • Published By :
  • Published Date : 2023-01-03 12:03:20

થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. હાવડાથી ન્યુ જલપાઈગુડી સુધી વંદે ભારત ટ્રેન જતી હોય છે. પથ્થરમારાની ઘટના માલદા સ્ટેશન પાસે બની હતી. વંદે ભારત ટ્રેનની બારીના કાચ તૂટી ગયા હતા.  વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયાની માહિતી મળતા રેલવે તંત્ર દોડતું થયું છે.


વંદે ભારત ટ્રેનને અનેક વખત નડ્યા છે અકસ્માત 

દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેન ફરી રહી છે. ગુજરાતમાં પણ વંદે ભારત ટ્રેન દોડી રહી છે. ગુજરાતમાં પણ વંદે ભારત ટ્રેનને અનેક વખત અકસ્માત નડ્યા છે. પશુ ભટકાવવાને કારણે વંદે ભારત ટ્રેનને નુકસાન પહોચ્યું છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં પણ વંદે ભારત ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ ટ્રેન શરૂ થયાને થોડા દિવસો બાદ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે.  જેને કારણે ટ્રેનના કાચ તૂટી ગયા હતા. 

       

  



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.