Rajkot નજીક Vande Bharat Train પર થયો પથ્થરમારો, જે ટ્રેન પર પથ્થરમારો થયો તેમાં આ મંત્રી કરી રહ્યા હતા મુસાફરી, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-08 13:27:52

દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેન દોડે છે. વંદે ભારત ટ્રેનને અનેક વખત અકસ્માત પણ નડ્યા છે. કોઈ વખત ગાય ટ્રેક પર આવી જાય છે તો કોઈ વખત ટ્રેન પર પથ્થરમારો થાય છે. ત્યારે રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. મળતી માહિતી અનુસાર હર્ષ સંઘવી ઈ1 કોચમાં હતા. પથ્થરમારો બિલેશ્વર સ્ટેશન પાસે થયો હતો. પથ્થરમારો થતા વંદે ભારતના ટ્રેનના કાચને નુકસાન પહોંચ્યું છે.

જામનગર-અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન હવે આ સ્ટેશન સુધી લંબાવાઈ -  મુંબઈ સમાચાર

(ફાઈલ તસવીર)

હર્ષ સંઘવી પણ વંદે ભારત ટ્રેનમાં કરી રહ્યા હતા પ્રવાસ  

વંદે ભારત ટ્રેન જ્યારથી શરૂ થઈ છે ત્યારથી ટ્રેન અનેક વખત અકસ્માતનો શિકાર બની છે. અનેક વખત તો એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ઉદ્ધાટન થયાના થોડા દિવસોની અંદર જ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હોય અથવા તો ગાય ટ્રેક પર આવી હોય જેને કારણે અકસ્માત સર્જાયો હોય. આવા અનેક કિસ્સાઓ છે. ત્યારે ફરી એક વખત વંદે ભારત ટ્રેન પર રાજકોટ નજીક પથ્થરમારો કરવામાં આવ્યો છે જેમાં ટ્રેનના કાચને નુકસાન પહોંચ્યું છે. હર્ષ સંઘવી પણ આ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. મંત્રી ઈ1 કોચમાં હતા જ્યારે આ પથ્થરમારો C4 અને C5 કોચ પર કરવામાં આવ્યા હોય તેવી માહિતી સામે આવી છે. 

અનેક કોચના ફૂટ્યા કાંચ 

મળતી માહિતી અનુસાર પથ્થરમારો થયા બાદ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આ પથ્થરમારા અંગે મંડળ સુરક્ષા આયુક્ત, પવનકુમાર શ્રીવાસ્તવે જણાવ્યું કે, રાજકોટ સ્ટેશનના ચાર કિલોમીટર પહેલા આ પથ્થરમારો થયો હતો. જેના કારણે વંદે ભારત ટ્રેનના C4 અને C5 કોચના કાંચ ફૂટ્યા હતા. જોકે, આ પથ્થરમારાથી કોઈ મોટી નુકસાની નથી થઇ. કોઈ વ્યક્તિને ઇજા પણ પહોંચી નથી. મહત્વનું છે કે અનેક વખત આવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હોય.    



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'