Rajkot નજીક Vande Bharat Train પર થયો પથ્થરમારો, જે ટ્રેન પર પથ્થરમારો થયો તેમાં આ મંત્રી કરી રહ્યા હતા મુસાફરી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-08 13:27:52

દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેન દોડે છે. વંદે ભારત ટ્રેનને અનેક વખત અકસ્માત પણ નડ્યા છે. કોઈ વખત ગાય ટ્રેક પર આવી જાય છે તો કોઈ વખત ટ્રેન પર પથ્થરમારો થાય છે. ત્યારે રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. મળતી માહિતી અનુસાર હર્ષ સંઘવી ઈ1 કોચમાં હતા. પથ્થરમારો બિલેશ્વર સ્ટેશન પાસે થયો હતો. પથ્થરમારો થતા વંદે ભારતના ટ્રેનના કાચને નુકસાન પહોંચ્યું છે.

જામનગર-અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન હવે આ સ્ટેશન સુધી લંબાવાઈ -  મુંબઈ સમાચાર

(ફાઈલ તસવીર)

હર્ષ સંઘવી પણ વંદે ભારત ટ્રેનમાં કરી રહ્યા હતા પ્રવાસ  

વંદે ભારત ટ્રેન જ્યારથી શરૂ થઈ છે ત્યારથી ટ્રેન અનેક વખત અકસ્માતનો શિકાર બની છે. અનેક વખત તો એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ઉદ્ધાટન થયાના થોડા દિવસોની અંદર જ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હોય અથવા તો ગાય ટ્રેક પર આવી હોય જેને કારણે અકસ્માત સર્જાયો હોય. આવા અનેક કિસ્સાઓ છે. ત્યારે ફરી એક વખત વંદે ભારત ટ્રેન પર રાજકોટ નજીક પથ્થરમારો કરવામાં આવ્યો છે જેમાં ટ્રેનના કાચને નુકસાન પહોંચ્યું છે. હર્ષ સંઘવી પણ આ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. મંત્રી ઈ1 કોચમાં હતા જ્યારે આ પથ્થરમારો C4 અને C5 કોચ પર કરવામાં આવ્યા હોય તેવી માહિતી સામે આવી છે. 

અનેક કોચના ફૂટ્યા કાંચ 

મળતી માહિતી અનુસાર પથ્થરમારો થયા બાદ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આ પથ્થરમારા અંગે મંડળ સુરક્ષા આયુક્ત, પવનકુમાર શ્રીવાસ્તવે જણાવ્યું કે, રાજકોટ સ્ટેશનના ચાર કિલોમીટર પહેલા આ પથ્થરમારો થયો હતો. જેના કારણે વંદે ભારત ટ્રેનના C4 અને C5 કોચના કાંચ ફૂટ્યા હતા. જોકે, આ પથ્થરમારાથી કોઈ મોટી નુકસાની નથી થઇ. કોઈ વ્યક્તિને ઇજા પણ પહોંચી નથી. મહત્વનું છે કે અનેક વખત આવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હોય.    



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.