સંસદમાં સરકારને ઘેરવા બનાવાઈ રણનીતિ! મલ્લિકાર્જુન ખડગેની અનેક પાર્ટીઓ સાથે મીટિંગ, સંસદમાં રાહુલ ગાંધી લઈ શકે છે ભાગ


  • Published By :
  • Published Date : 2023-03-15 12:23:42

સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો હાલ ચાલી રહ્યો છે. વિવિધ મુદ્દાઓને લઈ સંસદમાં ભારે હોબાળો થયો છે જેને કારણે અનેક વખત સંસદની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે. એક તરફ ભાજપ રાહુલ ગાંધી દેશની માફી માગે તે વાતને લઈ વિરોધ કરી રહી છે તો બીજી તરફ અદાણી મુદ્દે વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિદેશથી રાહુલ ગાંધી ભારત પરત આવી ગયા છે અને આજે સંસદની કાર્યવાહીમાં તેઓ ભાગ લઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.

      

અનેક વખત સંસદની કાર્યવાહી થઈ છે સ્થગિત 

થોડા દિવસો પહેલા રાહુલ ગાંધી લંડનના પ્રવાસે ગયા હતા. પોતાના પ્રવાસ દરમિયાન અનેક મુદ્દાઓને લઈ સરકાર પર પ્રહાર કર્યા હતા. સંસદની કાર્યવાહી પર પણ તેમણે પ્રહાર કર્યા હતા. આ બધી વાતોની અસર સંસદની કાર્યવાહી પર જોવા મળી રહી છે. સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. ભાજપ રાહુલ ગાંધીના નિવેદનને લઈ આક્રામક જોવા મળી રહી છે તો બીજી તરફ વિપક્ષ અદાણી મુદ્દાને લઈ આક્રામક જોવા મળી રહી છે. સંસદની કાર્યવાહી દરમિયાન ભારે હોબાળો થતા અનેક વખત કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી હતી. 


રાહુલ ગાંધી સંસદમાં આપી શકે છે હાજરી  

ભારે હોબાળાને કારણે અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. ભાજપ રાહુલ ગાંધી માફી માગે તે વાતને લઈ સંસદમાં હોબાળો કરી રહી છે તો બીજી તરફ અદાણી હિંડનબર્ગ મુદ્દે તપાસ કરવામાં આવે તેવી માગ સાથે વિપક્ષ પણ મક્કમ દેખાઈ રહી છે. ભારે હોબાળાને કારણે કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે. રાહુલ ગાંધી વિદેશથી પરત આવી ગયા છે ત્યારે સંસદની કાર્યવાહીમાં તેઓ ભાગ લઈ શકે છે. રાહુલ ગાંધી સંસદમાં હાજર હશે તો વધારે હોબાળો થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.