સંસદમાં સરકારને ઘેરવા બનાવાઈ રણનીતિ! મલ્લિકાર્જુન ખડગેની અનેક પાર્ટીઓ સાથે મીટિંગ, સંસદમાં રાહુલ ગાંધી લઈ શકે છે ભાગ


  • Published By :
  • Published Date : 2023-03-15 12:23:42

સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો હાલ ચાલી રહ્યો છે. વિવિધ મુદ્દાઓને લઈ સંસદમાં ભારે હોબાળો થયો છે જેને કારણે અનેક વખત સંસદની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે. એક તરફ ભાજપ રાહુલ ગાંધી દેશની માફી માગે તે વાતને લઈ વિરોધ કરી રહી છે તો બીજી તરફ અદાણી મુદ્દે વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિદેશથી રાહુલ ગાંધી ભારત પરત આવી ગયા છે અને આજે સંસદની કાર્યવાહીમાં તેઓ ભાગ લઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.

      

અનેક વખત સંસદની કાર્યવાહી થઈ છે સ્થગિત 

થોડા દિવસો પહેલા રાહુલ ગાંધી લંડનના પ્રવાસે ગયા હતા. પોતાના પ્રવાસ દરમિયાન અનેક મુદ્દાઓને લઈ સરકાર પર પ્રહાર કર્યા હતા. સંસદની કાર્યવાહી પર પણ તેમણે પ્રહાર કર્યા હતા. આ બધી વાતોની અસર સંસદની કાર્યવાહી પર જોવા મળી રહી છે. સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. ભાજપ રાહુલ ગાંધીના નિવેદનને લઈ આક્રામક જોવા મળી રહી છે તો બીજી તરફ વિપક્ષ અદાણી મુદ્દાને લઈ આક્રામક જોવા મળી રહી છે. સંસદની કાર્યવાહી દરમિયાન ભારે હોબાળો થતા અનેક વખત કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી હતી. 


રાહુલ ગાંધી સંસદમાં આપી શકે છે હાજરી  

ભારે હોબાળાને કારણે અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. ભાજપ રાહુલ ગાંધી માફી માગે તે વાતને લઈ સંસદમાં હોબાળો કરી રહી છે તો બીજી તરફ અદાણી હિંડનબર્ગ મુદ્દે તપાસ કરવામાં આવે તેવી માગ સાથે વિપક્ષ પણ મક્કમ દેખાઈ રહી છે. ભારે હોબાળાને કારણે કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે. રાહુલ ગાંધી વિદેશથી પરત આવી ગયા છે ત્યારે સંસદની કાર્યવાહીમાં તેઓ ભાગ લઈ શકે છે. રાહુલ ગાંધી સંસદમાં હાજર હશે તો વધારે હોબાળો થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.