સંસદમાં સરકારને ઘેરવા બનાવાઈ રણનીતિ! મલ્લિકાર્જુન ખડગેની અનેક પાર્ટીઓ સાથે મીટિંગ, સંસદમાં રાહુલ ગાંધી લઈ શકે છે ભાગ


  • Published By :
  • Published Date : 2023-03-15 12:23:42

સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો હાલ ચાલી રહ્યો છે. વિવિધ મુદ્દાઓને લઈ સંસદમાં ભારે હોબાળો થયો છે જેને કારણે અનેક વખત સંસદની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે. એક તરફ ભાજપ રાહુલ ગાંધી દેશની માફી માગે તે વાતને લઈ વિરોધ કરી રહી છે તો બીજી તરફ અદાણી મુદ્દે વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિદેશથી રાહુલ ગાંધી ભારત પરત આવી ગયા છે અને આજે સંસદની કાર્યવાહીમાં તેઓ ભાગ લઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.

      

અનેક વખત સંસદની કાર્યવાહી થઈ છે સ્થગિત 

થોડા દિવસો પહેલા રાહુલ ગાંધી લંડનના પ્રવાસે ગયા હતા. પોતાના પ્રવાસ દરમિયાન અનેક મુદ્દાઓને લઈ સરકાર પર પ્રહાર કર્યા હતા. સંસદની કાર્યવાહી પર પણ તેમણે પ્રહાર કર્યા હતા. આ બધી વાતોની અસર સંસદની કાર્યવાહી પર જોવા મળી રહી છે. સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. ભાજપ રાહુલ ગાંધીના નિવેદનને લઈ આક્રામક જોવા મળી રહી છે તો બીજી તરફ વિપક્ષ અદાણી મુદ્દાને લઈ આક્રામક જોવા મળી રહી છે. સંસદની કાર્યવાહી દરમિયાન ભારે હોબાળો થતા અનેક વખત કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી હતી. 


રાહુલ ગાંધી સંસદમાં આપી શકે છે હાજરી  

ભારે હોબાળાને કારણે અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. ભાજપ રાહુલ ગાંધી માફી માગે તે વાતને લઈ સંસદમાં હોબાળો કરી રહી છે તો બીજી તરફ અદાણી હિંડનબર્ગ મુદ્દે તપાસ કરવામાં આવે તેવી માગ સાથે વિપક્ષ પણ મક્કમ દેખાઈ રહી છે. ભારે હોબાળાને કારણે કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે. રાહુલ ગાંધી વિદેશથી પરત આવી ગયા છે ત્યારે સંસદની કાર્યવાહીમાં તેઓ ભાગ લઈ શકે છે. રાહુલ ગાંધી સંસદમાં હાજર હશે તો વધારે હોબાળો થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.