સંસદમાં સરકારને ઘેરવા બનાવાઈ રણનીતિ! મલ્લિકાર્જુન ખડગેની અનેક પાર્ટીઓ સાથે મીટિંગ, સંસદમાં રાહુલ ગાંધી લઈ શકે છે ભાગ


  • Published By :
  • Published Date : 2023-03-15 12:23:42

સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો હાલ ચાલી રહ્યો છે. વિવિધ મુદ્દાઓને લઈ સંસદમાં ભારે હોબાળો થયો છે જેને કારણે અનેક વખત સંસદની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે. એક તરફ ભાજપ રાહુલ ગાંધી દેશની માફી માગે તે વાતને લઈ વિરોધ કરી રહી છે તો બીજી તરફ અદાણી મુદ્દે વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિદેશથી રાહુલ ગાંધી ભારત પરત આવી ગયા છે અને આજે સંસદની કાર્યવાહીમાં તેઓ ભાગ લઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.

      

અનેક વખત સંસદની કાર્યવાહી થઈ છે સ્થગિત 

થોડા દિવસો પહેલા રાહુલ ગાંધી લંડનના પ્રવાસે ગયા હતા. પોતાના પ્રવાસ દરમિયાન અનેક મુદ્દાઓને લઈ સરકાર પર પ્રહાર કર્યા હતા. સંસદની કાર્યવાહી પર પણ તેમણે પ્રહાર કર્યા હતા. આ બધી વાતોની અસર સંસદની કાર્યવાહી પર જોવા મળી રહી છે. સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. ભાજપ રાહુલ ગાંધીના નિવેદનને લઈ આક્રામક જોવા મળી રહી છે તો બીજી તરફ વિપક્ષ અદાણી મુદ્દાને લઈ આક્રામક જોવા મળી રહી છે. સંસદની કાર્યવાહી દરમિયાન ભારે હોબાળો થતા અનેક વખત કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી હતી. 


રાહુલ ગાંધી સંસદમાં આપી શકે છે હાજરી  

ભારે હોબાળાને કારણે અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. ભાજપ રાહુલ ગાંધી માફી માગે તે વાતને લઈ સંસદમાં હોબાળો કરી રહી છે તો બીજી તરફ અદાણી હિંડનબર્ગ મુદ્દે તપાસ કરવામાં આવે તેવી માગ સાથે વિપક્ષ પણ મક્કમ દેખાઈ રહી છે. ભારે હોબાળાને કારણે કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે. રાહુલ ગાંધી વિદેશથી પરત આવી ગયા છે ત્યારે સંસદની કાર્યવાહીમાં તેઓ ભાગ લઈ શકે છે. રાહુલ ગાંધી સંસદમાં હાજર હશે તો વધારે હોબાળો થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.   



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.