સુરતમાં રખડતા શ્વાને બાળકી પર કર્યો હુમલો, ગાલ પર બચકા ભરી પહોંચાડી બાળકીને ઈજા


  • Published By :
  • Published Date : 2023-01-09 14:36:38

એક તરફ લોકો રખડતા પશુઓને કારણે પરેશાન છે તો બીજી તરફ રખડતા શ્વાનનો ત્રાસ પણ વધી રહ્યો છે. રખડતા પશુઓને કારણે અનેક લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે. ત્યારે સુરતમાં રખડતા શ્વાને એક બાળકી પર હુમલો કર્યો હતો. શ્વાનને બાળકીના ગાલ પર બચકા ભર્યા છે. બાળકીને બચાવવા ગયેલી મહિલા પર શ્વાને હુમલો કર્યો હતો.


સુરતમાં જોવા મળ્યો શ્વાનનો આતંક

રાજ્યના લોકોને રખડતા પશુઓને કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તો બીજી તરફ રખડતા શ્વાનનો આતંક પણ સતત વધી રહ્યો છે. અનેક વખત ચાલતા લોકો પર શ્વાન હુમલો કરી દેતા હોય છે. અવાર-નવાર શ્વાન નાના બાળકો પર તેમજ વૃદ્ધો પર હુમલો કરતા હોય છે. ત્યારે વિચલીત કરતી ઘટના સુરતથી સામે આવી છે જેમાં રખડતા શ્વાને બાળકી પર હુમલો કરી દીધો હતો. બાળકીના ગાલ પર બચકા ભર્યા છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. 


બચાવવા આવેલી મહિલા પર પણ કર્યો હુમલો 

મળતી માહિતી અનુસાર આ ઘટના કુલપાજા હંસ સોસાયટી નજીકની છે. બાળકી ઘર પાસે ઉભી હતી તે બાદ દોડતી દોડતી જઈ રહી હતી. તે દરમિયાન શ્વાને બાળકી પર હુમલો કર્યો. બાળકીને શ્વાને નીચે પાડી દીધી અને તે બાદ તેને બચકા ભર્યા હતા. બાળકીએ બુમાબુમ કરી અને જે બાદ એક મહિલા તેને બચાવવા આગળ આવી પરંતુ શ્વાને તેમની પર પણ હુમલો કર્યો હતો. બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા તંત્રની ટીમ ત્યાં આવી પહોંચી હતી. લોકોના આવવાથી શ્વાન ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.