સુરતમાં રખડતા શ્વાને બાળકી પર કર્યો હુમલો, ગાલ પર બચકા ભરી પહોંચાડી બાળકીને ઈજા


  • Published By :
  • Published Date : 2023-01-09 14:36:38

એક તરફ લોકો રખડતા પશુઓને કારણે પરેશાન છે તો બીજી તરફ રખડતા શ્વાનનો ત્રાસ પણ વધી રહ્યો છે. રખડતા પશુઓને કારણે અનેક લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે. ત્યારે સુરતમાં રખડતા શ્વાને એક બાળકી પર હુમલો કર્યો હતો. શ્વાનને બાળકીના ગાલ પર બચકા ભર્યા છે. બાળકીને બચાવવા ગયેલી મહિલા પર શ્વાને હુમલો કર્યો હતો.


સુરતમાં જોવા મળ્યો શ્વાનનો આતંક

રાજ્યના લોકોને રખડતા પશુઓને કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તો બીજી તરફ રખડતા શ્વાનનો આતંક પણ સતત વધી રહ્યો છે. અનેક વખત ચાલતા લોકો પર શ્વાન હુમલો કરી દેતા હોય છે. અવાર-નવાર શ્વાન નાના બાળકો પર તેમજ વૃદ્ધો પર હુમલો કરતા હોય છે. ત્યારે વિચલીત કરતી ઘટના સુરતથી સામે આવી છે જેમાં રખડતા શ્વાને બાળકી પર હુમલો કરી દીધો હતો. બાળકીના ગાલ પર બચકા ભર્યા છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. 


બચાવવા આવેલી મહિલા પર પણ કર્યો હુમલો 

મળતી માહિતી અનુસાર આ ઘટના કુલપાજા હંસ સોસાયટી નજીકની છે. બાળકી ઘર પાસે ઉભી હતી તે બાદ દોડતી દોડતી જઈ રહી હતી. તે દરમિયાન શ્વાને બાળકી પર હુમલો કર્યો. બાળકીને શ્વાને નીચે પાડી દીધી અને તે બાદ તેને બચકા ભર્યા હતા. બાળકીએ બુમાબુમ કરી અને જે બાદ એક મહિલા તેને બચાવવા આગળ આવી પરંતુ શ્વાને તેમની પર પણ હુમલો કર્યો હતો. બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા તંત્રની ટીમ ત્યાં આવી પહોંચી હતી. લોકોના આવવાથી શ્વાન ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.