સુરતમાં રખડતા શ્વાને બાળકી પર કર્યો હુમલો, ગાલ પર બચકા ભરી પહોંચાડી બાળકીને ઈજા


  • Published By :
  • Published Date : 2023-01-09 14:36:38

એક તરફ લોકો રખડતા પશુઓને કારણે પરેશાન છે તો બીજી તરફ રખડતા શ્વાનનો ત્રાસ પણ વધી રહ્યો છે. રખડતા પશુઓને કારણે અનેક લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે. ત્યારે સુરતમાં રખડતા શ્વાને એક બાળકી પર હુમલો કર્યો હતો. શ્વાનને બાળકીના ગાલ પર બચકા ભર્યા છે. બાળકીને બચાવવા ગયેલી મહિલા પર શ્વાને હુમલો કર્યો હતો.


સુરતમાં જોવા મળ્યો શ્વાનનો આતંક

રાજ્યના લોકોને રખડતા પશુઓને કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તો બીજી તરફ રખડતા શ્વાનનો આતંક પણ સતત વધી રહ્યો છે. અનેક વખત ચાલતા લોકો પર શ્વાન હુમલો કરી દેતા હોય છે. અવાર-નવાર શ્વાન નાના બાળકો પર તેમજ વૃદ્ધો પર હુમલો કરતા હોય છે. ત્યારે વિચલીત કરતી ઘટના સુરતથી સામે આવી છે જેમાં રખડતા શ્વાને બાળકી પર હુમલો કરી દીધો હતો. બાળકીના ગાલ પર બચકા ભર્યા છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. 


બચાવવા આવેલી મહિલા પર પણ કર્યો હુમલો 

મળતી માહિતી અનુસાર આ ઘટના કુલપાજા હંસ સોસાયટી નજીકની છે. બાળકી ઘર પાસે ઉભી હતી તે બાદ દોડતી દોડતી જઈ રહી હતી. તે દરમિયાન શ્વાને બાળકી પર હુમલો કર્યો. બાળકીને શ્વાને નીચે પાડી દીધી અને તે બાદ તેને બચકા ભર્યા હતા. બાળકીએ બુમાબુમ કરી અને જે બાદ એક મહિલા તેને બચાવવા આગળ આવી પરંતુ શ્વાને તેમની પર પણ હુમલો કર્યો હતો. બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા તંત્રની ટીમ ત્યાં આવી પહોંચી હતી. લોકોના આવવાથી શ્વાન ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.