રખડતાં શ્વાન બન્યા માનવભક્ષી! શ્વાનના હુમલાને કારણે બે લોકોના ગયા જીવ, જાણો કયા વિસ્તારમાં બની ઘટનાઓ


  • Published By :
  • Published Date : 2023-03-23 14:39:20

રાજ્યમાં રખડતાં શ્વાનનો આતંક સતત વધતો જોવા મળી રહ્યો છે. શ્વાનના હુમલાને કારણે અનેક લોકોના મોત થાય છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. એવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં રખડતાં શ્વાનના હુમલાને કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવો પડે છે. ત્યારે સુરતમાં પણ રખડતા શ્વાનના હુમલાને કારણે 5 વર્ષના બાળકનું મોત થયું છે. બાળકને શ્વાને અનેક બચકાં ભર્યા હતા, જેને લઈ ગંભીર રીતે બાળક ઘાયલ થયો. સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ત્યારે વધુ એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે જેમાં મહિલાનું મોત થયું છે. 


રાજકોટમાં એક મહિલાનું થયું મોત  

રખડતા ઢોર બાદ રખડતાં શ્વાનનો આતંક વધી રહ્યો છે. રખડતાં શ્વાનના આતંકની એવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં શ્વાનના હુમલાનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે. તાજેતરમાં જ બે કિસ્સા બન્યા છે જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે. એક ઘટના સુરતમાં બની હતી જ્યારે બીજી ઘટના રાજકોટમાં બની હતી. રાજકોટમાં ઘટના બની છે જેમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દંપત્તિ બાઈક પર જઈ રહ્યું હતું ત્યારે કૂતરાએ મહિલાની સાડીનો છેડો પકડી લીધો હતો. જેને કારણે મહિલા નીચે પટકાઈ હતી. જે બાદ સારવાર દરમિયાન મહિલાનું મોત થઈ ગયું હતું.


સુરતમાં પણ જોવા મળ્યો રખડતાં શ્વાનનો આતંક

બીજી ઘટના સુરતમાં બની છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં શ્વાને 5 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે બચકાં ભરી લેતા તેનું મોત થયું છે. સારવાર અર્થે બાળકને ખસેડવામાં આવ્યો પરંતુ તે કાળનો કોળિયો બની ગયો હતો. માસુમ બાળકનું મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. ન માત્ર સુરતમાં કે રાજકોટમાં રખડતાં શ્વાનનો ત્રાસ જોવા મળે છે પરંતુ દરેક જગ્યા પર રખડતા પશુનો તેમજ રખડતાં શ્વાનનો આતંક જોવા મળે છે. ક્યાં સુધી રખડતાં શ્વાનનો ભોગ લોકો બનતા રહેશે. ત્યારે એક પ્રશ્ન થાય કે આ મોતની પાછળ જવાબદાર કોણ?        



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.