રખડતાં શ્વાન બન્યા માનવભક્ષી! શ્વાનના હુમલાને કારણે બે લોકોના ગયા જીવ, જાણો કયા વિસ્તારમાં બની ઘટનાઓ


  • Published By :
  • Published Date : 2023-03-23 14:39:20

રાજ્યમાં રખડતાં શ્વાનનો આતંક સતત વધતો જોવા મળી રહ્યો છે. શ્વાનના હુમલાને કારણે અનેક લોકોના મોત થાય છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. એવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં રખડતાં શ્વાનના હુમલાને કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવો પડે છે. ત્યારે સુરતમાં પણ રખડતા શ્વાનના હુમલાને કારણે 5 વર્ષના બાળકનું મોત થયું છે. બાળકને શ્વાને અનેક બચકાં ભર્યા હતા, જેને લઈ ગંભીર રીતે બાળક ઘાયલ થયો. સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ત્યારે વધુ એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે જેમાં મહિલાનું મોત થયું છે. 


રાજકોટમાં એક મહિલાનું થયું મોત  

રખડતા ઢોર બાદ રખડતાં શ્વાનનો આતંક વધી રહ્યો છે. રખડતાં શ્વાનના આતંકની એવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં શ્વાનના હુમલાનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે. તાજેતરમાં જ બે કિસ્સા બન્યા છે જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે. એક ઘટના સુરતમાં બની હતી જ્યારે બીજી ઘટના રાજકોટમાં બની હતી. રાજકોટમાં ઘટના બની છે જેમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દંપત્તિ બાઈક પર જઈ રહ્યું હતું ત્યારે કૂતરાએ મહિલાની સાડીનો છેડો પકડી લીધો હતો. જેને કારણે મહિલા નીચે પટકાઈ હતી. જે બાદ સારવાર દરમિયાન મહિલાનું મોત થઈ ગયું હતું.


સુરતમાં પણ જોવા મળ્યો રખડતાં શ્વાનનો આતંક

બીજી ઘટના સુરતમાં બની છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં શ્વાને 5 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે બચકાં ભરી લેતા તેનું મોત થયું છે. સારવાર અર્થે બાળકને ખસેડવામાં આવ્યો પરંતુ તે કાળનો કોળિયો બની ગયો હતો. માસુમ બાળકનું મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. ન માત્ર સુરતમાં કે રાજકોટમાં રખડતાં શ્વાનનો ત્રાસ જોવા મળે છે પરંતુ દરેક જગ્યા પર રખડતા પશુનો તેમજ રખડતાં શ્વાનનો આતંક જોવા મળે છે. ક્યાં સુધી રખડતાં શ્વાનનો ભોગ લોકો બનતા રહેશે. ત્યારે એક પ્રશ્ન થાય કે આ મોતની પાછળ જવાબદાર કોણ?        



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.