રખડતાં શ્વાન બન્યા માનવભક્ષી! શ્વાનના હુમલાને કારણે બે લોકોના ગયા જીવ, જાણો કયા વિસ્તારમાં બની ઘટનાઓ


  • Published By :
  • Published Date : 2023-03-23 14:39:20

રાજ્યમાં રખડતાં શ્વાનનો આતંક સતત વધતો જોવા મળી રહ્યો છે. શ્વાનના હુમલાને કારણે અનેક લોકોના મોત થાય છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. એવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં રખડતાં શ્વાનના હુમલાને કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવો પડે છે. ત્યારે સુરતમાં પણ રખડતા શ્વાનના હુમલાને કારણે 5 વર્ષના બાળકનું મોત થયું છે. બાળકને શ્વાને અનેક બચકાં ભર્યા હતા, જેને લઈ ગંભીર રીતે બાળક ઘાયલ થયો. સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ત્યારે વધુ એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે જેમાં મહિલાનું મોત થયું છે. 


રાજકોટમાં એક મહિલાનું થયું મોત  

રખડતા ઢોર બાદ રખડતાં શ્વાનનો આતંક વધી રહ્યો છે. રખડતાં શ્વાનના આતંકની એવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં શ્વાનના હુમલાનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે. તાજેતરમાં જ બે કિસ્સા બન્યા છે જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે. એક ઘટના સુરતમાં બની હતી જ્યારે બીજી ઘટના રાજકોટમાં બની હતી. રાજકોટમાં ઘટના બની છે જેમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દંપત્તિ બાઈક પર જઈ રહ્યું હતું ત્યારે કૂતરાએ મહિલાની સાડીનો છેડો પકડી લીધો હતો. જેને કારણે મહિલા નીચે પટકાઈ હતી. જે બાદ સારવાર દરમિયાન મહિલાનું મોત થઈ ગયું હતું.


સુરતમાં પણ જોવા મળ્યો રખડતાં શ્વાનનો આતંક

બીજી ઘટના સુરતમાં બની છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં શ્વાને 5 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે બચકાં ભરી લેતા તેનું મોત થયું છે. સારવાર અર્થે બાળકને ખસેડવામાં આવ્યો પરંતુ તે કાળનો કોળિયો બની ગયો હતો. માસુમ બાળકનું મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. ન માત્ર સુરતમાં કે રાજકોટમાં રખડતાં શ્વાનનો ત્રાસ જોવા મળે છે પરંતુ દરેક જગ્યા પર રખડતા પશુનો તેમજ રખડતાં શ્વાનનો આતંક જોવા મળે છે. ક્યાં સુધી રખડતાં શ્વાનનો ભોગ લોકો બનતા રહેશે. ત્યારે એક પ્રશ્ન થાય કે આ મોતની પાછળ જવાબદાર કોણ?        



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે