સુરતમાં રખડતા શ્વાન 15 દિવસમાં 400થી વધુ લોકોને કરડયા, દર વર્ષે લાખો લોકો બને છે કૂતરાના હુમલાનો ભોગ


  • Published By :
  • Published Date : 2023-02-22 09:41:28

ગુજરાતમાં રખડતા પશુ તેમજ શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. શેરી કુતરાઓને કારણે અનેક લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. અનેક વખત શ્વાનના હુમલાને કારણે અનેક લોકોના મોત પણ થતાં હોય છે. સુરતમાં રખડતા શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે. માત્ર 15 દિવસની અંદર સુરત મહાનગર પાલિકાના વિસ્તારમાં 477 કેસ નોંધાયા છે જેમાં શ્વાને હુમલો કરી દીધો છે. કૂતરા કરડવાના 477 કેસ સામે આવતા શ્વાનને પકડવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો લાખો લોકો પર કૂતરાએ હુમલા કર્યા હોય તેવા બનાવ સામે આવ્યા છે. 2019માં 4.80 લાખ કેસ નોંધાયા, વર્ષ 2020માં 4.31 લાખ જેટલા કેસ નોંધાયા, 2021માં 1.92 લાખ કેસ નોંધાયા જ્યારે વર્ષ 2022માં 1.44 લાખ કૂતરા કરડવાના કિસ્સાઓ બન્યા છે. 


15 દિવસમાં શ્વાન કરડવાના 477 જેટલા કેસ નોંધાયા 

આજકાલ એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં રખડતા પશુ તેમજ શ્વાન હુમલો કરતા હોય છે. શ્વાન તેમજ ગાય દ્વારા કરવામાં આવેલા હુમલાને કારણે અનેક લોકોના જીવ જતા હોય છે તો અનેક લોકોના તો મોત પણ થતાં હોય છે. ત્યારે માત્ર સુરતમાં 15 દિવસમાં 477 જેટલા કેસ નોંધાયા છે જેમાં શ્વાને લોકોને કરડયા છે. તે ઉપરાંત અનેક વખત ગાયને કારણે પણ લોકોના જીવ સંકટમાં મૂકાતા હોય છે. 


રખડતા પશુઓને કારણે લોકોના જીવ મૂકાય છે સંકટમાં 

થોડા દિવસો પહેલા ગાયે ઘરની બહાર રમતા બાળક પર હુમલો કર્યો છે. જેને કારણે બાળકના માથાના ભાગે તેમજ આંખમાં ઈજા થઈ હતી. તે ઉપરાંત શ્વાનના હુમલાને કારણે એક બાળકનું મોત થયું છે જ્યારે બે બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. રખડતા શ્વાન કે રખડતા પશુના હુમલાના કિસ્સાઓ વધતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.