સુરતમાં રખડતા શ્વાન 15 દિવસમાં 400થી વધુ લોકોને કરડયા, દર વર્ષે લાખો લોકો બને છે કૂતરાના હુમલાનો ભોગ


  • Published By :
  • Published Date : 2023-02-22 09:41:28

ગુજરાતમાં રખડતા પશુ તેમજ શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. શેરી કુતરાઓને કારણે અનેક લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. અનેક વખત શ્વાનના હુમલાને કારણે અનેક લોકોના મોત પણ થતાં હોય છે. સુરતમાં રખડતા શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે. માત્ર 15 દિવસની અંદર સુરત મહાનગર પાલિકાના વિસ્તારમાં 477 કેસ નોંધાયા છે જેમાં શ્વાને હુમલો કરી દીધો છે. કૂતરા કરડવાના 477 કેસ સામે આવતા શ્વાનને પકડવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો લાખો લોકો પર કૂતરાએ હુમલા કર્યા હોય તેવા બનાવ સામે આવ્યા છે. 2019માં 4.80 લાખ કેસ નોંધાયા, વર્ષ 2020માં 4.31 લાખ જેટલા કેસ નોંધાયા, 2021માં 1.92 લાખ કેસ નોંધાયા જ્યારે વર્ષ 2022માં 1.44 લાખ કૂતરા કરડવાના કિસ્સાઓ બન્યા છે. 


15 દિવસમાં શ્વાન કરડવાના 477 જેટલા કેસ નોંધાયા 

આજકાલ એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં રખડતા પશુ તેમજ શ્વાન હુમલો કરતા હોય છે. શ્વાન તેમજ ગાય દ્વારા કરવામાં આવેલા હુમલાને કારણે અનેક લોકોના જીવ જતા હોય છે તો અનેક લોકોના તો મોત પણ થતાં હોય છે. ત્યારે માત્ર સુરતમાં 15 દિવસમાં 477 જેટલા કેસ નોંધાયા છે જેમાં શ્વાને લોકોને કરડયા છે. તે ઉપરાંત અનેક વખત ગાયને કારણે પણ લોકોના જીવ સંકટમાં મૂકાતા હોય છે. 


રખડતા પશુઓને કારણે લોકોના જીવ મૂકાય છે સંકટમાં 

થોડા દિવસો પહેલા ગાયે ઘરની બહાર રમતા બાળક પર હુમલો કર્યો છે. જેને કારણે બાળકના માથાના ભાગે તેમજ આંખમાં ઈજા થઈ હતી. તે ઉપરાંત શ્વાનના હુમલાને કારણે એક બાળકનું મોત થયું છે જ્યારે બે બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. રખડતા શ્વાન કે રખડતા પશુના હુમલાના કિસ્સાઓ વધતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.