AMCનો સપાટો, ત્રણ મહિનામાં 8121 રખડતા ઢોર પકડ્યા, 922 પશુમાલિકોને નોટિસ


  • Published By :
  • Published Date : 2023-11-30 20:52:34

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને  રખડતાં ઢોરના ત્રાસમાંથી લોકોને મુક્ત કરાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી છે.  મ્યુનિસિપલ કોર્પોરેશને 22 ટીમો બનાવી 1 સપ્ટેમ્બરથી સઘન ઝુંબેશ હાથ ધરીને ત્રણ મહિનામાં 8121 પશુઓ પકડ્યા છે.  તેમજ 209 પશુ માલિકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.  33 જેટલી ઘર્ષણ અને હુમલાની ફરિયાદો નોંધાવાઈ છે. આજે મનપાની ઢોર પકડ ટીમ દ્વારા 76 ઢોર પકડવામાં આવ્યા છે. ગત ત્રણ મહિનામાં 28 હજાર કિલો ઘાસચારો જપ્ત કરીને 12 જેટલા ઘાસચારાના વેચાણની ફરિયાદો દાખલ કરવામાં આવી છે. પશુમાલિકોને 922 જેટલી નોટિસ ઇસ્યૂ કરવામાં આવી છે. 


પરમીટ મેળવવા માટે 1070 અરજી મળી 

 

અમદાવાદમાં પશુઓ રાખવાનું લાયસન્સ / પરમીટ મેળવવા માટે સમગ્ર શહેરમાંથી કુલ 1070 જેટલી અરજી આવેલ જે પૈકી 123 જેટલા લાયસન્સ / પરમીટ ઇસ્યુ કરાયેલ છે તથા 309 જેટલી અરજીઓ પુરાવાના અભાવે રદ કરવામાં આવેલ છે.પશુ રજીસ્ટ્રેશન માટે કુલ 1148 અરજી મળેલ તથા 7742 જેટલા પશુઓનું રજીસ્ટ્રેશન આ સમયગાળામાં થયેલ છે. શહેરનાં 7 ઝોનના વિવિધ વિસ્તારોમાં પશુપાલકોએ રખડતાં મૂકલા પશુઓ પકડવામાં આવ્યા છે.


આ વર્ષે 13958 જેટલા પશુઓ પકડાયા


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝોન / વોર્ડ / વિવિધ વિસ્તારોમાં ટીમો દ્વારા શહેરમાં ત્રણ શીફટમાં કામગીરીઓ કરી ચાલુ માસમાં 2340 થી વધારે પશુઓ પકડવાની, તથા ચાલુ વર્ષમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 13958 જેટલા પશુઓ પકડવામાં આવેલ તથા 460 પશુમાલિકો સામે ફરિયાદ દાખલ કરી વિવિધ કાયદેસરની કાર્યવાહીઓ પણ કરવામાં આવી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.