AMCનો સપાટો, ત્રણ મહિનામાં 8121 રખડતા ઢોર પકડ્યા, 922 પશુમાલિકોને નોટિસ


  • Published By :
  • Published Date : 2023-11-30 20:52:34

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને  રખડતાં ઢોરના ત્રાસમાંથી લોકોને મુક્ત કરાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી છે.  મ્યુનિસિપલ કોર્પોરેશને 22 ટીમો બનાવી 1 સપ્ટેમ્બરથી સઘન ઝુંબેશ હાથ ધરીને ત્રણ મહિનામાં 8121 પશુઓ પકડ્યા છે.  તેમજ 209 પશુ માલિકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.  33 જેટલી ઘર્ષણ અને હુમલાની ફરિયાદો નોંધાવાઈ છે. આજે મનપાની ઢોર પકડ ટીમ દ્વારા 76 ઢોર પકડવામાં આવ્યા છે. ગત ત્રણ મહિનામાં 28 હજાર કિલો ઘાસચારો જપ્ત કરીને 12 જેટલા ઘાસચારાના વેચાણની ફરિયાદો દાખલ કરવામાં આવી છે. પશુમાલિકોને 922 જેટલી નોટિસ ઇસ્યૂ કરવામાં આવી છે. 


પરમીટ મેળવવા માટે 1070 અરજી મળી 

 

અમદાવાદમાં પશુઓ રાખવાનું લાયસન્સ / પરમીટ મેળવવા માટે સમગ્ર શહેરમાંથી કુલ 1070 જેટલી અરજી આવેલ જે પૈકી 123 જેટલા લાયસન્સ / પરમીટ ઇસ્યુ કરાયેલ છે તથા 309 જેટલી અરજીઓ પુરાવાના અભાવે રદ કરવામાં આવેલ છે.પશુ રજીસ્ટ્રેશન માટે કુલ 1148 અરજી મળેલ તથા 7742 જેટલા પશુઓનું રજીસ્ટ્રેશન આ સમયગાળામાં થયેલ છે. શહેરનાં 7 ઝોનના વિવિધ વિસ્તારોમાં પશુપાલકોએ રખડતાં મૂકલા પશુઓ પકડવામાં આવ્યા છે.


આ વર્ષે 13958 જેટલા પશુઓ પકડાયા


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝોન / વોર્ડ / વિવિધ વિસ્તારોમાં ટીમો દ્વારા શહેરમાં ત્રણ શીફટમાં કામગીરીઓ કરી ચાલુ માસમાં 2340 થી વધારે પશુઓ પકડવાની, તથા ચાલુ વર્ષમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 13958 જેટલા પશુઓ પકડવામાં આવેલ તથા 460 પશુમાલિકો સામે ફરિયાદ દાખલ કરી વિવિધ કાયદેસરની કાર્યવાહીઓ પણ કરવામાં આવી છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી