હવે થી મેટ્રોને નુકશાન કરનાર સામે થશે કડક કાર્યવાહી ,રૂ. 5 હજારના દંડથી માંડીને થશે જેલની સજા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-07 13:15:45


દિવાળી પેહલા ગુજરાત સરકારે અમદાવાને બે મોટી ભેટ આપી હતી જેમાં એક હતી મેટ્રો અને બીજી વંદે ભારત ટ્રેન . ત્યારે હવે અમદવાદીઓએ મેટ્રો પર જતી વખતે કેટલીક બાબતો ધ્યાન રાખવી પડશે કેમ કે હવે અમદાવાદ મેટ્રોને નુકશાન કરનાર સામે કડક કાર્યવાહી થશે 



કયા ગુન્હા માટે શું છે સજા ? 

શહેરમાં મેટ્રો કોચને નુકસાન કરનારા સામે કડક કાર્યવાહી કરાશે. જેમાં જે પાનની પિચકારી મારશે તેને રૂપિયા 5 હજાર સુધીનો દંડ અને જેલની સજા કરાશે. જે કોચ-પરિસરમાં પોસ્ટર ચોંટાડશે તેને 6 માસની જેલ થશે. કારણ વિના જો કોઇ બેલ કે એલાર્મ વગાડશે તો તેવાને પણ 1 વર્ષની જેલની સજા થશે.


ઉપરાંત મેટ્રોની ટિકિટ ફોર્જ કરવા પર પણ 6 મહિનાની જેલ થશે. દારૂના નશામાં કે અભદ્ર વર્તન કરનાર અથવા તો અન્ય એવી કોઇ બાબતે રૂ. 200નો દંડ થશે તેમજ પાસ પણ જપ્ત થઇ જશે. આ સિવાય ખતરનાક કે પ્રતિબંધિત ચીજસ્તુઓ પણ ટ્રેનમાં લાવનારને 4 વર્ષ સુધીની જેલની સજા થશે.


મેટ્રો કોચમાં લખવા પર અથવા કંઈ પણ દોરવા પર પણ 500 રૂપિયાનો દંડ ફટકારાશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.