અમદાવાદમાં લાઇસન્સ અને પરમિટ વગર પશુ રાખનારાઓ પર તવાઈ, આજથી ઢોર પોલિસીનો કડક અમલ


  • Published By :
  • Published Date : 2023-12-01 15:21:36

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ વધતા ગુજરાત હાઈકોર્ટ એક્શનમાં આવી હતી, હાઈકોર્ટના આદેશથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર રખડતા ઢોરને પકડવા કામે લાગ્યું હતું. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોર પકડવા અને તેના માલિકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. AMCના આ પગલાનો માલધારીઓ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે હવે તો અમદાવાદમાં લાઇસન્સ અને પરમિટ વગર પશુ રાખી શકાશે નહીં, માલધારીઓએ લાઇસન્સ વિનાનાં ઢોરને શહેર બહાર ખસેડવા પડશે. આજે 1 ડિસેમ્બરના રોજ, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઓઢવ વિસ્તારમાંથી રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


ડેડલાઈન પુરી થતા AMC તંત્ર એક્શનમાં


અમદાવાદના રસ્તા પર લાઇસન્સ વિનાના રખડતા ઢોર જોવા મળશે તો આજથી તેને જપ્ત કરવામાં આવશે. જો કોઇ પણ પશુ માલિક પાસે હવે લાઇસન્સ નહીં હોય તો તેમના ઢોરને શહેરની બહાર ખસેડવા પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આજથી એટલે કે 1 ડિસેમ્બરથી ઢોર પોલિસીનો ચુસ્ત અમલ કરશે. આજથી રોડ ઉપર રખડતા જોવા મળતા પશુઓને પકડી મ્યુનિસિપલ તંત્ર ઢોરના ડબામાં પુરી દેશે.


ઢોર નિયંત્રણ પોલિસીનો અમલ


ગુજરાત હાઇકોર્ટે રખડતા ઢોર મામલે રાજ્ય સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રની આકરી ઝાટકણી કાઢ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 સપ્ટેમ્બરથી અમદાવાદ શહેરમાં રખડતા ઢોર નિયંત્રણ પોલિસીનો અમલ શરૂ કરાયો હતો. મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન દ્વારા શહેરને રખડતા પશુઓના ત્રાસમાંથી મુકત કરાવવા માટે ઝોન મુજબ અલગ અલગ ટીમ બનાવી હતી. 90 દિવસ સુધી ઢોર માલિકોને પોતાના ઢોર રાખવા માટે લાઇસન્સ, પરમિટ અને રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. આજે 1 ડિસેમ્બરના રોજ લાઇસન્સ અને પરમિટ મેળવવા માટેના દિવસો પૂર્ણ થયા છે, પરંતુ અમદાવાદમાં હજારો પશુ માલિકોએ હજી સુધી લાઇસન્સ અને પરમિટ મેળવી નથી. ઢોર નિયંત્રણ પોલિસી મુજબ ઢોર રાખવાની જગ્યા સહિત વિવિધ પ્રશ્નોને લઈ તેઓને લાઇસન્સ આપવામાં આવ્યા નથી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે