અમદાવાદમાં લાઇસન્સ અને પરમિટ વગર પશુ રાખનારાઓ પર તવાઈ, આજથી ઢોર પોલિસીનો કડક અમલ


  • Published By :
  • Published Date : 2023-12-01 15:21:36

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ વધતા ગુજરાત હાઈકોર્ટ એક્શનમાં આવી હતી, હાઈકોર્ટના આદેશથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર રખડતા ઢોરને પકડવા કામે લાગ્યું હતું. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોર પકડવા અને તેના માલિકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. AMCના આ પગલાનો માલધારીઓ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે હવે તો અમદાવાદમાં લાઇસન્સ અને પરમિટ વગર પશુ રાખી શકાશે નહીં, માલધારીઓએ લાઇસન્સ વિનાનાં ઢોરને શહેર બહાર ખસેડવા પડશે. આજે 1 ડિસેમ્બરના રોજ, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઓઢવ વિસ્તારમાંથી રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


ડેડલાઈન પુરી થતા AMC તંત્ર એક્શનમાં


અમદાવાદના રસ્તા પર લાઇસન્સ વિનાના રખડતા ઢોર જોવા મળશે તો આજથી તેને જપ્ત કરવામાં આવશે. જો કોઇ પણ પશુ માલિક પાસે હવે લાઇસન્સ નહીં હોય તો તેમના ઢોરને શહેરની બહાર ખસેડવા પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આજથી એટલે કે 1 ડિસેમ્બરથી ઢોર પોલિસીનો ચુસ્ત અમલ કરશે. આજથી રોડ ઉપર રખડતા જોવા મળતા પશુઓને પકડી મ્યુનિસિપલ તંત્ર ઢોરના ડબામાં પુરી દેશે.


ઢોર નિયંત્રણ પોલિસીનો અમલ


ગુજરાત હાઇકોર્ટે રખડતા ઢોર મામલે રાજ્ય સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રની આકરી ઝાટકણી કાઢ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 સપ્ટેમ્બરથી અમદાવાદ શહેરમાં રખડતા ઢોર નિયંત્રણ પોલિસીનો અમલ શરૂ કરાયો હતો. મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન દ્વારા શહેરને રખડતા પશુઓના ત્રાસમાંથી મુકત કરાવવા માટે ઝોન મુજબ અલગ અલગ ટીમ બનાવી હતી. 90 દિવસ સુધી ઢોર માલિકોને પોતાના ઢોર રાખવા માટે લાઇસન્સ, પરમિટ અને રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. આજે 1 ડિસેમ્બરના રોજ લાઇસન્સ અને પરમિટ મેળવવા માટેના દિવસો પૂર્ણ થયા છે, પરંતુ અમદાવાદમાં હજારો પશુ માલિકોએ હજી સુધી લાઇસન્સ અને પરમિટ મેળવી નથી. ઢોર નિયંત્રણ પોલિસી મુજબ ઢોર રાખવાની જગ્યા સહિત વિવિધ પ્રશ્નોને લઈ તેઓને લાઇસન્સ આપવામાં આવ્યા નથી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.