Dediyapadaમાં ગોઠવાયો કડક પોલીસ બંદોબસ્ત, Yuvrajsinhને રસ્તામાં જ રોકી દીધા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-06 16:36:49

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી રહી છે. ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ કરાતા આમ આદમી પાર્ટીના નેતાઓ આક્રામક દેખાયા હતા. શનિવારે બજારો માટે બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા આજે ડેડિયાપાડા જઈ રહ્યા હતા. ત્યાં પહોંચે તે પહેલા જ તેમને ડિટેઈન કરી લેવામાં આવ્યા છે. યુવરાજસિંહની અટકાયત કરી લેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર નેત્રંગ ખાતે તેમને લઈ જવાયા છે.

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આખી ઘટના શું છે તે આપણે જાણીએ છીએ. જ્યારથી પોલીસ ફરિયાદ થવાની માહિતી સામે આવી છે ત્યારથી ધારાસભ્ય ફરાર છે. તેમની પત્નીની ધરપકડ કરી લેવામાં આવી છે. ધારાસભ્ય હજી પણ પોલીસ પકડની બહાર છે. આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ આક્રામક દેખાઈ રહ્યા છે. ઈસુદાન ગઢવી, યુવરાજસિંહ જાડેજા સહિતના નેતાઓએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. ડેડિયાપાડામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ત્યાં હાજર છે. 


ચૈતર વસાવાના સમર્થનમાં જઈ રહ્યા હતા આપ નેતા

આ બધા વચ્ચે યુવરાજસિંહ ડેડિયાપાડા જવા નિકળ્યા હતા તે બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે તેમની અટકાયત કરી લેવામાં આવી છે. ચૈતર વસાવાના સમર્થનમાં તેઓ ડેડિયાપાડા જવા રવાના થયા હતા પરંતુ રસ્તા જ તેમને રોકી દેવામાં આવ્યા છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.