Dediyapadaમાં ગોઠવાયો કડક પોલીસ બંદોબસ્ત, Yuvrajsinhને રસ્તામાં જ રોકી દીધા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-06 16:36:49

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી રહી છે. ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ કરાતા આમ આદમી પાર્ટીના નેતાઓ આક્રામક દેખાયા હતા. શનિવારે બજારો માટે બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા આજે ડેડિયાપાડા જઈ રહ્યા હતા. ત્યાં પહોંચે તે પહેલા જ તેમને ડિટેઈન કરી લેવામાં આવ્યા છે. યુવરાજસિંહની અટકાયત કરી લેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર નેત્રંગ ખાતે તેમને લઈ જવાયા છે.

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આખી ઘટના શું છે તે આપણે જાણીએ છીએ. જ્યારથી પોલીસ ફરિયાદ થવાની માહિતી સામે આવી છે ત્યારથી ધારાસભ્ય ફરાર છે. તેમની પત્નીની ધરપકડ કરી લેવામાં આવી છે. ધારાસભ્ય હજી પણ પોલીસ પકડની બહાર છે. આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ આક્રામક દેખાઈ રહ્યા છે. ઈસુદાન ગઢવી, યુવરાજસિંહ જાડેજા સહિતના નેતાઓએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. ડેડિયાપાડામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ત્યાં હાજર છે. 


ચૈતર વસાવાના સમર્થનમાં જઈ રહ્યા હતા આપ નેતા

આ બધા વચ્ચે યુવરાજસિંહ ડેડિયાપાડા જવા નિકળ્યા હતા તે બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે તેમની અટકાયત કરી લેવામાં આવી છે. ચૈતર વસાવાના સમર્થનમાં તેઓ ડેડિયાપાડા જવા રવાના થયા હતા પરંતુ રસ્તા જ તેમને રોકી દેવામાં આવ્યા છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી