Dediyapadaમાં ગોઠવાયો કડક પોલીસ બંદોબસ્ત, Yuvrajsinhને રસ્તામાં જ રોકી દીધા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-06 16:36:49

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી રહી છે. ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ કરાતા આમ આદમી પાર્ટીના નેતાઓ આક્રામક દેખાયા હતા. શનિવારે બજારો માટે બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા આજે ડેડિયાપાડા જઈ રહ્યા હતા. ત્યાં પહોંચે તે પહેલા જ તેમને ડિટેઈન કરી લેવામાં આવ્યા છે. યુવરાજસિંહની અટકાયત કરી લેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર નેત્રંગ ખાતે તેમને લઈ જવાયા છે.

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આખી ઘટના શું છે તે આપણે જાણીએ છીએ. જ્યારથી પોલીસ ફરિયાદ થવાની માહિતી સામે આવી છે ત્યારથી ધારાસભ્ય ફરાર છે. તેમની પત્નીની ધરપકડ કરી લેવામાં આવી છે. ધારાસભ્ય હજી પણ પોલીસ પકડની બહાર છે. આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ આક્રામક દેખાઈ રહ્યા છે. ઈસુદાન ગઢવી, યુવરાજસિંહ જાડેજા સહિતના નેતાઓએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. ડેડિયાપાડામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ત્યાં હાજર છે. 


ચૈતર વસાવાના સમર્થનમાં જઈ રહ્યા હતા આપ નેતા

આ બધા વચ્ચે યુવરાજસિંહ ડેડિયાપાડા જવા નિકળ્યા હતા તે બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે તેમની અટકાયત કરી લેવામાં આવી છે. ચૈતર વસાવાના સમર્થનમાં તેઓ ડેડિયાપાડા જવા રવાના થયા હતા પરંતુ રસ્તા જ તેમને રોકી દેવામાં આવ્યા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.