હવે રિક્ષાચાલકો હડતાલના માર્ગે, 10 ઓક્ટોબરે કરશે ચક્કાજામ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 15:48:27

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના રહ્યા છે ત્યારે સમાજનો દરેક વર્ગ તેમની માંગણીઓને લઈને ધરણા-આંદોલનો કરી રહ્યો છે. સરકારી કર્મચારીઓ, ખેડૂતો, માલધારીઓ અને હવે રિક્ષા ચાલકો પણ મેદાનમાં આવ્યા છે. રિક્ષા ચાલક યુનિયને CNGના ભાવમાં સતત થઈ રહેલા વધારાના વિરોધમાં હડતાળની જાહેરાત કરી છે.


રિક્ષા ચાલકો 10 ઓક્ટોબરે હડતાલ પર


CNGના ભાવ વધારાના વિરોધમાં 10 ઓક્ટોબરે અમદાવાદમાં રિક્ષા ચાલકો હડતાલ પાડશે. CNGના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો થતા 10મી ઓક્ટોબરે એક દિવસની પ્રતીક હડતાલના નિર્ણય કરાયો છે. જો કે આ હડતાલ પહેલા આવતીકાલે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે. જો ભાવ વધારો પાછો નહી ખેંચાય તો રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .