રખડતા ઢોર સામે RMCનું આકરૂ વલણ, એક્શન પ્લાન કરાયો તૈયાર, રાજકોટમાં કાલથી શરૂ થશે ઢોર પકડવાની ઝુંબેશ


  • Published By :
  • Published Date : 2023-10-30 18:09:57

રાજ્યના તમામ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોરને લઈ આકરૂ વલણ અપનાવ્યું છે જેના કારણે સરકાર પણ એક્શનમાં આવી છે. અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ રાજકોટ મહાનગરપાલિકામાં મેયરની અધ્યક્ષતામાં પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, સ્ટે. ચેરમેન, અને અધિકારીઓ તથા ઢોર પકડ પાર્ટીના અધિકારીઓ સાથે બેઠક યોજી રાજકોટ શહેરમાં ઢોર નિયંત્રણ કાયદાની કડક અમલવારી કરવા માટેની ચર્ચા હાથ ધરી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે શહેરી વિકાસ વિભાગે પણ બેઠક યોજી શહેરોમાં રખડતા ઢોરોને નિયંત્રણ રાખવામાં ગાઈડલાઈન્સનો કડક અમલ કરાવવા કોર્પોરેશન અને નગરપાલિકાને સુચના આપી હતી.


બેઠકમાં શું નિર્ણય લેવામાં આવ્યો?

 

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્સન પ્લાન હેઠળ આગામી દિવસોમાં આગામી દિવસોમાં ઢોર નિયંત્રણ કાયદા હેઠળ પોલીસના સહકારથી ઢોર પકડવાની કામગીરી સાથો સાથ પશુપાલકો દ્વારા થઈ રહેલા હુમલાઓને પણ કડક હાથે ડામી દેવા સહિતના આદેશો જારી કરવામાં આવ્યા છે. આજની મિટિંગમાં શહેરમાં રખડતા ઢોરને પકડવા માટે સઘન ઝુંબેશ તેમજ જાહેરમાં ઢોરને છોડી મુકતા ઢોર માલિકો તથા ઘાસચારાનું વેચાણ કરતા આસામીઓ ઉપર એફઆઈઆર નોંધવા તેમજ ઢોર નિયંત્રણ પોલિસી 2023 અંતર્ગત કડક કાર્યવાહી કરવા અને આગામી દિવસોમાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવી તેમજ કામગીરીમાં હસ્તક્ષેપ કરનાર લોકો સામે એફઆઈઆર નોંધવા સહિતના પગલાંઓ લેવા માટેની સુચનાઓ આપવામાં આવી હતી.


કાલથી શરૂ થશે કાર્યવાહી


રાજકોટ મનપાના કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે સરકારની સૂચનાથી રાજકોટમાં કાલથી જ ઢોરનો ત્રાસ દુર કરવા કડક કાર્યવાહી શરૂ કરાશે. પોલીસ કમિશ્નરે પુરતો ફોર્સ ફાળવવા આજે સંકલન કર્યુ છે. તા.1થી નવા પશુ નિયંત્રણ અધિનિયમનો ચુસ્ત અમલ શરૂ કરી દેવાશે. જુદા જુદા વિભાગો ઉપરાંત પોલીસ, આરટીઓ સહિતના તંત્રની ટીમો સામેલ કરવામાં આવશે. રસ્તા પરના દબાણોનો મુદો પણ ચર્ચામાં આવ્યો છે. મુખ્ય માર્ગો કેટલ ફ્રી કરવા અંગે પણ તુરંતમાં કાર્યવાહી હાથ પર લેવામાં આવશે. મુખ્ય બજારના દબાણો હટાવવા પોલીસ અને મનપા સંયુકત કાર્યવાહી કરશે. સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે યાજ્ઞિક રોડની રવિવારી બજાર હટાવવા પણ સૂચના આપી છે. આ મીટીંગમાં મેયર નયનાબેન પેઢડીયા સહિતના પદાધિકારીઓ, નાયબ કમિશ્નરો, વિભાગના વડાઓ, પો.કમિશ્નર રાજુ ભાર્ગવ, નાયબ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.