રખડતા ઢોર સામે RMCનું આકરૂ વલણ, એક્શન પ્લાન કરાયો તૈયાર, રાજકોટમાં કાલથી શરૂ થશે ઢોર પકડવાની ઝુંબેશ


  • Published By :
  • Published Date : 2023-10-30 18:09:57

રાજ્યના તમામ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોરને લઈ આકરૂ વલણ અપનાવ્યું છે જેના કારણે સરકાર પણ એક્શનમાં આવી છે. અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ રાજકોટ મહાનગરપાલિકામાં મેયરની અધ્યક્ષતામાં પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, સ્ટે. ચેરમેન, અને અધિકારીઓ તથા ઢોર પકડ પાર્ટીના અધિકારીઓ સાથે બેઠક યોજી રાજકોટ શહેરમાં ઢોર નિયંત્રણ કાયદાની કડક અમલવારી કરવા માટેની ચર્ચા હાથ ધરી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે શહેરી વિકાસ વિભાગે પણ બેઠક યોજી શહેરોમાં રખડતા ઢોરોને નિયંત્રણ રાખવામાં ગાઈડલાઈન્સનો કડક અમલ કરાવવા કોર્પોરેશન અને નગરપાલિકાને સુચના આપી હતી.


બેઠકમાં શું નિર્ણય લેવામાં આવ્યો?

 

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્સન પ્લાન હેઠળ આગામી દિવસોમાં આગામી દિવસોમાં ઢોર નિયંત્રણ કાયદા હેઠળ પોલીસના સહકારથી ઢોર પકડવાની કામગીરી સાથો સાથ પશુપાલકો દ્વારા થઈ રહેલા હુમલાઓને પણ કડક હાથે ડામી દેવા સહિતના આદેશો જારી કરવામાં આવ્યા છે. આજની મિટિંગમાં શહેરમાં રખડતા ઢોરને પકડવા માટે સઘન ઝુંબેશ તેમજ જાહેરમાં ઢોરને છોડી મુકતા ઢોર માલિકો તથા ઘાસચારાનું વેચાણ કરતા આસામીઓ ઉપર એફઆઈઆર નોંધવા તેમજ ઢોર નિયંત્રણ પોલિસી 2023 અંતર્ગત કડક કાર્યવાહી કરવા અને આગામી દિવસોમાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવી તેમજ કામગીરીમાં હસ્તક્ષેપ કરનાર લોકો સામે એફઆઈઆર નોંધવા સહિતના પગલાંઓ લેવા માટેની સુચનાઓ આપવામાં આવી હતી.


કાલથી શરૂ થશે કાર્યવાહી


રાજકોટ મનપાના કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે સરકારની સૂચનાથી રાજકોટમાં કાલથી જ ઢોરનો ત્રાસ દુર કરવા કડક કાર્યવાહી શરૂ કરાશે. પોલીસ કમિશ્નરે પુરતો ફોર્સ ફાળવવા આજે સંકલન કર્યુ છે. તા.1થી નવા પશુ નિયંત્રણ અધિનિયમનો ચુસ્ત અમલ શરૂ કરી દેવાશે. જુદા જુદા વિભાગો ઉપરાંત પોલીસ, આરટીઓ સહિતના તંત્રની ટીમો સામેલ કરવામાં આવશે. રસ્તા પરના દબાણોનો મુદો પણ ચર્ચામાં આવ્યો છે. મુખ્ય માર્ગો કેટલ ફ્રી કરવા અંગે પણ તુરંતમાં કાર્યવાહી હાથ પર લેવામાં આવશે. મુખ્ય બજારના દબાણો હટાવવા પોલીસ અને મનપા સંયુકત કાર્યવાહી કરશે. સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે યાજ્ઞિક રોડની રવિવારી બજાર હટાવવા પણ સૂચના આપી છે. આ મીટીંગમાં મેયર નયનાબેન પેઢડીયા સહિતના પદાધિકારીઓ, નાયબ કમિશ્નરો, વિભાગના વડાઓ, પો.કમિશ્નર રાજુ ભાર્ગવ, નાયબ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.