રખડતા ઢોર સામે RMCનું આકરૂ વલણ, એક્શન પ્લાન કરાયો તૈયાર, રાજકોટમાં કાલથી શરૂ થશે ઢોર પકડવાની ઝુંબેશ


  • Published By :
  • Published Date : 2023-10-30 18:09:57

રાજ્યના તમામ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોરને લઈ આકરૂ વલણ અપનાવ્યું છે જેના કારણે સરકાર પણ એક્શનમાં આવી છે. અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ રાજકોટ મહાનગરપાલિકામાં મેયરની અધ્યક્ષતામાં પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, સ્ટે. ચેરમેન, અને અધિકારીઓ તથા ઢોર પકડ પાર્ટીના અધિકારીઓ સાથે બેઠક યોજી રાજકોટ શહેરમાં ઢોર નિયંત્રણ કાયદાની કડક અમલવારી કરવા માટેની ચર્ચા હાથ ધરી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે શહેરી વિકાસ વિભાગે પણ બેઠક યોજી શહેરોમાં રખડતા ઢોરોને નિયંત્રણ રાખવામાં ગાઈડલાઈન્સનો કડક અમલ કરાવવા કોર્પોરેશન અને નગરપાલિકાને સુચના આપી હતી.


બેઠકમાં શું નિર્ણય લેવામાં આવ્યો?

 

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્સન પ્લાન હેઠળ આગામી દિવસોમાં આગામી દિવસોમાં ઢોર નિયંત્રણ કાયદા હેઠળ પોલીસના સહકારથી ઢોર પકડવાની કામગીરી સાથો સાથ પશુપાલકો દ્વારા થઈ રહેલા હુમલાઓને પણ કડક હાથે ડામી દેવા સહિતના આદેશો જારી કરવામાં આવ્યા છે. આજની મિટિંગમાં શહેરમાં રખડતા ઢોરને પકડવા માટે સઘન ઝુંબેશ તેમજ જાહેરમાં ઢોરને છોડી મુકતા ઢોર માલિકો તથા ઘાસચારાનું વેચાણ કરતા આસામીઓ ઉપર એફઆઈઆર નોંધવા તેમજ ઢોર નિયંત્રણ પોલિસી 2023 અંતર્ગત કડક કાર્યવાહી કરવા અને આગામી દિવસોમાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવી તેમજ કામગીરીમાં હસ્તક્ષેપ કરનાર લોકો સામે એફઆઈઆર નોંધવા સહિતના પગલાંઓ લેવા માટેની સુચનાઓ આપવામાં આવી હતી.


કાલથી શરૂ થશે કાર્યવાહી


રાજકોટ મનપાના કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે સરકારની સૂચનાથી રાજકોટમાં કાલથી જ ઢોરનો ત્રાસ દુર કરવા કડક કાર્યવાહી શરૂ કરાશે. પોલીસ કમિશ્નરે પુરતો ફોર્સ ફાળવવા આજે સંકલન કર્યુ છે. તા.1થી નવા પશુ નિયંત્રણ અધિનિયમનો ચુસ્ત અમલ શરૂ કરી દેવાશે. જુદા જુદા વિભાગો ઉપરાંત પોલીસ, આરટીઓ સહિતના તંત્રની ટીમો સામેલ કરવામાં આવશે. રસ્તા પરના દબાણોનો મુદો પણ ચર્ચામાં આવ્યો છે. મુખ્ય માર્ગો કેટલ ફ્રી કરવા અંગે પણ તુરંતમાં કાર્યવાહી હાથ પર લેવામાં આવશે. મુખ્ય બજારના દબાણો હટાવવા પોલીસ અને મનપા સંયુકત કાર્યવાહી કરશે. સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે યાજ્ઞિક રોડની રવિવારી બજાર હટાવવા પણ સૂચના આપી છે. આ મીટીંગમાં મેયર નયનાબેન પેઢડીયા સહિતના પદાધિકારીઓ, નાયબ કમિશ્નરો, વિભાગના વડાઓ, પો.કમિશ્નર રાજુ ભાર્ગવ, નાયબ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.