રખડતા ઢોર સામે RMCનું આકરૂ વલણ, એક્શન પ્લાન કરાયો તૈયાર, રાજકોટમાં કાલથી શરૂ થશે ઢોર પકડવાની ઝુંબેશ


  • Published By :
  • Published Date : 2023-10-30 18:09:57

રાજ્યના તમામ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોરને લઈ આકરૂ વલણ અપનાવ્યું છે જેના કારણે સરકાર પણ એક્શનમાં આવી છે. અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ રાજકોટ મહાનગરપાલિકામાં મેયરની અધ્યક્ષતામાં પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, સ્ટે. ચેરમેન, અને અધિકારીઓ તથા ઢોર પકડ પાર્ટીના અધિકારીઓ સાથે બેઠક યોજી રાજકોટ શહેરમાં ઢોર નિયંત્રણ કાયદાની કડક અમલવારી કરવા માટેની ચર્ચા હાથ ધરી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે શહેરી વિકાસ વિભાગે પણ બેઠક યોજી શહેરોમાં રખડતા ઢોરોને નિયંત્રણ રાખવામાં ગાઈડલાઈન્સનો કડક અમલ કરાવવા કોર્પોરેશન અને નગરપાલિકાને સુચના આપી હતી.


બેઠકમાં શું નિર્ણય લેવામાં આવ્યો?

 

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્સન પ્લાન હેઠળ આગામી દિવસોમાં આગામી દિવસોમાં ઢોર નિયંત્રણ કાયદા હેઠળ પોલીસના સહકારથી ઢોર પકડવાની કામગીરી સાથો સાથ પશુપાલકો દ્વારા થઈ રહેલા હુમલાઓને પણ કડક હાથે ડામી દેવા સહિતના આદેશો જારી કરવામાં આવ્યા છે. આજની મિટિંગમાં શહેરમાં રખડતા ઢોરને પકડવા માટે સઘન ઝુંબેશ તેમજ જાહેરમાં ઢોરને છોડી મુકતા ઢોર માલિકો તથા ઘાસચારાનું વેચાણ કરતા આસામીઓ ઉપર એફઆઈઆર નોંધવા તેમજ ઢોર નિયંત્રણ પોલિસી 2023 અંતર્ગત કડક કાર્યવાહી કરવા અને આગામી દિવસોમાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવી તેમજ કામગીરીમાં હસ્તક્ષેપ કરનાર લોકો સામે એફઆઈઆર નોંધવા સહિતના પગલાંઓ લેવા માટેની સુચનાઓ આપવામાં આવી હતી.


કાલથી શરૂ થશે કાર્યવાહી


રાજકોટ મનપાના કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે સરકારની સૂચનાથી રાજકોટમાં કાલથી જ ઢોરનો ત્રાસ દુર કરવા કડક કાર્યવાહી શરૂ કરાશે. પોલીસ કમિશ્નરે પુરતો ફોર્સ ફાળવવા આજે સંકલન કર્યુ છે. તા.1થી નવા પશુ નિયંત્રણ અધિનિયમનો ચુસ્ત અમલ શરૂ કરી દેવાશે. જુદા જુદા વિભાગો ઉપરાંત પોલીસ, આરટીઓ સહિતના તંત્રની ટીમો સામેલ કરવામાં આવશે. રસ્તા પરના દબાણોનો મુદો પણ ચર્ચામાં આવ્યો છે. મુખ્ય માર્ગો કેટલ ફ્રી કરવા અંગે પણ તુરંતમાં કાર્યવાહી હાથ પર લેવામાં આવશે. મુખ્ય બજારના દબાણો હટાવવા પોલીસ અને મનપા સંયુકત કાર્યવાહી કરશે. સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે યાજ્ઞિક રોડની રવિવારી બજાર હટાવવા પણ સૂચના આપી છે. આ મીટીંગમાં મેયર નયનાબેન પેઢડીયા સહિતના પદાધિકારીઓ, નાયબ કમિશ્નરો, વિભાગના વડાઓ, પો.કમિશ્નર રાજુ ભાર્ગવ, નાયબ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.