આવી નિષ્ઠુર માતા ક્યાંય નહીં જોઈ હોય! Rajkotના ઉપલેટામાં માતાએ 9 મહિનાની બાળકીને પીવડાવ્યું એસિડ, પોતે પીધું અને પછી....


  • Published By :
  • Published Date : 2024-01-29 14:45:18

કહેવાય છે કે પુત્ર કુપુત્ર થઈ શકે છે પરંતુ માતા કુમાતા નથી થતી. માતા સાથે બાળકનો સંબંધ 9 મહિનાનો વધારે હોય છે. બાળકને કષ્ટ પડે તો માતાનું દિલ કંપી ઉઠે છે. આજે માતા અને બાળકના સંબંધની વાત એટલા માટે કરી રહ્યા છે કારણ કે ઉપલેટાથી એક કિસ્સો સામે આવ્યો છે જે રૂંવાડા ઉભા કરી દે તેવો છે. ભીમોરા ગામમાં માતાએ 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવ્યું છે. માસુમને એસિડ પીવડાવ્યા બાદ માતાએ પણ પોતે એસિડ ગગટાવ્યું. માતાનું મોત થઈ ગયું પરંતુ માસુમ બાળકી જીવન અને મોત વચ્ચે ઝુલી રહી છે.   


જિંદગી અને મોત વચ્ચે ઝઝુમી રહ્યું છે માસુમ બાળક!

ઉપલેટીના ભીમોરા ગામથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં માતાએ પોતાની માસુમ બાળકીને એસિડ પીવડાવ્યું છે. માસુમને એસિડ પીવડાવી માતાએ પણ એસિડ પી લીધું છે. સારવાર દરમિયાન માતાનું મોત થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે. બાળકીને સારવાર આપવામાં આવી રહી છે. 9 મહિનાની બાળકી જીવન અને મરણ વચ્ચે ઝઝુમી રહી છે. મળતી માહિતી અનુસાર બાળકી સારવાર હેઠળ છે. બાળકીના પિતાએ મરનાર પત્ની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે તેવી માહિતી સામે આવી છે. કયા કારણોસર પત્નીએ આ પગલું ભર્યું તે અકબંધ છે. 


પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી!

આ ઘટનાને લઈ જે માહિતી સામે આવી છે કે ઉપલેટાના ભીમોરા ગામમાં રહેતા મનીષાબેન મકવાણા ગઈકાલ બપોરે એકલા હતા. તે વખતે પોતાની માસુમ બાળકીને એસિડ પીવડાવ્યું અને તે બાદ એસિડ પોતે ગગટાવ્યું. જ્યારે આ બનાવ બન્યો ત્યારે બાળકીના પિતા કામ પર ગયા હતા. ઘટનાની જાણ થતા પરિવારના સભ્યો ત્યાં દોડી આવ્યા હતા. માસુમ પુત્રીની હત્યાના પ્રયાસ કરવા બદલ પતિએ પત્ની વિરૂદ્ધ કેસ નોંધાવ્યો છે. કયા કારણોસર આ પગલું માતાએ ભર્યું તે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે.           



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.