આવી નિષ્ઠુર માતા ક્યાંય નહીં જોઈ હોય! Rajkotના ઉપલેટામાં માતાએ 9 મહિનાની બાળકીને પીવડાવ્યું એસિડ, પોતે પીધું અને પછી....


  • Published By :
  • Published Date : 2024-01-29 14:45:18

કહેવાય છે કે પુત્ર કુપુત્ર થઈ શકે છે પરંતુ માતા કુમાતા નથી થતી. માતા સાથે બાળકનો સંબંધ 9 મહિનાનો વધારે હોય છે. બાળકને કષ્ટ પડે તો માતાનું દિલ કંપી ઉઠે છે. આજે માતા અને બાળકના સંબંધની વાત એટલા માટે કરી રહ્યા છે કારણ કે ઉપલેટાથી એક કિસ્સો સામે આવ્યો છે જે રૂંવાડા ઉભા કરી દે તેવો છે. ભીમોરા ગામમાં માતાએ 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવ્યું છે. માસુમને એસિડ પીવડાવ્યા બાદ માતાએ પણ પોતે એસિડ ગગટાવ્યું. માતાનું મોત થઈ ગયું પરંતુ માસુમ બાળકી જીવન અને મોત વચ્ચે ઝુલી રહી છે.   


જિંદગી અને મોત વચ્ચે ઝઝુમી રહ્યું છે માસુમ બાળક!

ઉપલેટીના ભીમોરા ગામથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં માતાએ પોતાની માસુમ બાળકીને એસિડ પીવડાવ્યું છે. માસુમને એસિડ પીવડાવી માતાએ પણ એસિડ પી લીધું છે. સારવાર દરમિયાન માતાનું મોત થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે. બાળકીને સારવાર આપવામાં આવી રહી છે. 9 મહિનાની બાળકી જીવન અને મરણ વચ્ચે ઝઝુમી રહી છે. મળતી માહિતી અનુસાર બાળકી સારવાર હેઠળ છે. બાળકીના પિતાએ મરનાર પત્ની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે તેવી માહિતી સામે આવી છે. કયા કારણોસર પત્નીએ આ પગલું ભર્યું તે અકબંધ છે. 


પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી!

આ ઘટનાને લઈ જે માહિતી સામે આવી છે કે ઉપલેટાના ભીમોરા ગામમાં રહેતા મનીષાબેન મકવાણા ગઈકાલ બપોરે એકલા હતા. તે વખતે પોતાની માસુમ બાળકીને એસિડ પીવડાવ્યું અને તે બાદ એસિડ પોતે ગગટાવ્યું. જ્યારે આ બનાવ બન્યો ત્યારે બાળકીના પિતા કામ પર ગયા હતા. ઘટનાની જાણ થતા પરિવારના સભ્યો ત્યાં દોડી આવ્યા હતા. માસુમ પુત્રીની હત્યાના પ્રયાસ કરવા બદલ પતિએ પત્ની વિરૂદ્ધ કેસ નોંધાવ્યો છે. કયા કારણોસર આ પગલું માતાએ ભર્યું તે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે.           



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે