આવી નિષ્ઠુર માતા ક્યાંય નહીં જોઈ હોય! Rajkotના ઉપલેટામાં માતાએ 9 મહિનાની બાળકીને પીવડાવ્યું એસિડ, પોતે પીધું અને પછી....


  • Published By :
  • Published Date : 2024-01-29 14:45:18

કહેવાય છે કે પુત્ર કુપુત્ર થઈ શકે છે પરંતુ માતા કુમાતા નથી થતી. માતા સાથે બાળકનો સંબંધ 9 મહિનાનો વધારે હોય છે. બાળકને કષ્ટ પડે તો માતાનું દિલ કંપી ઉઠે છે. આજે માતા અને બાળકના સંબંધની વાત એટલા માટે કરી રહ્યા છે કારણ કે ઉપલેટાથી એક કિસ્સો સામે આવ્યો છે જે રૂંવાડા ઉભા કરી દે તેવો છે. ભીમોરા ગામમાં માતાએ 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવ્યું છે. માસુમને એસિડ પીવડાવ્યા બાદ માતાએ પણ પોતે એસિડ ગગટાવ્યું. માતાનું મોત થઈ ગયું પરંતુ માસુમ બાળકી જીવન અને મોત વચ્ચે ઝુલી રહી છે.   


જિંદગી અને મોત વચ્ચે ઝઝુમી રહ્યું છે માસુમ બાળક!

ઉપલેટીના ભીમોરા ગામથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં માતાએ પોતાની માસુમ બાળકીને એસિડ પીવડાવ્યું છે. માસુમને એસિડ પીવડાવી માતાએ પણ એસિડ પી લીધું છે. સારવાર દરમિયાન માતાનું મોત થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે. બાળકીને સારવાર આપવામાં આવી રહી છે. 9 મહિનાની બાળકી જીવન અને મરણ વચ્ચે ઝઝુમી રહી છે. મળતી માહિતી અનુસાર બાળકી સારવાર હેઠળ છે. બાળકીના પિતાએ મરનાર પત્ની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે તેવી માહિતી સામે આવી છે. કયા કારણોસર પત્નીએ આ પગલું ભર્યું તે અકબંધ છે. 


પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી!

આ ઘટનાને લઈ જે માહિતી સામે આવી છે કે ઉપલેટાના ભીમોરા ગામમાં રહેતા મનીષાબેન મકવાણા ગઈકાલ બપોરે એકલા હતા. તે વખતે પોતાની માસુમ બાળકીને એસિડ પીવડાવ્યું અને તે બાદ એસિડ પોતે ગગટાવ્યું. જ્યારે આ બનાવ બન્યો ત્યારે બાળકીના પિતા કામ પર ગયા હતા. ઘટનાની જાણ થતા પરિવારના સભ્યો ત્યાં દોડી આવ્યા હતા. માસુમ પુત્રીની હત્યાના પ્રયાસ કરવા બદલ પતિએ પત્ની વિરૂદ્ધ કેસ નોંધાવ્યો છે. કયા કારણોસર આ પગલું માતાએ ભર્યું તે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે.           



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.