ઉર્ફી જાવેદના ટોપલેસ વીડિયો પર Sudhanshu Pandeyએ આપી પ્રતિક્રિયા, વીડિયોને ગણાવ્યો વાહિયાત


  • Published By :
  • Published Date : 2022-10-27 18:06:52

અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાના અતરંગી કપડાને કારણે અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે. પોતાના કપડા સાથે અનેક પ્રયોગો તે કરતી રહે છે. ત્યારે તેણે ચોંકાવનારી રીતે પોતાના ચાહકોને દિવાળીની શુભકામના પાઠવી હતી. દિવાળી પર તેણે ટોપલેસ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો પર સુધાંશુ પાંડે પ્રતિક્રિયા આપી છે. સુધાંશુએ સોશિયલ મીડિયા પર લખ્યું કે મને ખૂબ ગુસ્સો આવે છે. કોઈ દિવાળી જેવા તહેવાર પર આવો વાહિયાત મજાક કઈ રીતે કરી શકે? કંઈ નહીં તો ભગવાન માટે તો શરમ કરો. 

Anupamaa fame actor sudhanshu pandey clears that he will remain part of  show | Anupamaa से होगी Sudhanshu Pandey की छुट्टी? एक्टर ने खुद बताया सच |  Hindi News, टीवी

સુધાંશુ પાંડેએ નારાજગી કરી વ્યક્ત

ફેશનના નામે ઉર્ફી જાવેદ જાતજાતના અખતરા કરતી રહે છે. પોતાના કપડાને કારણે તે મુખ્યત્વે ચર્ચમાં રહેતી હોય છે. ત્યારે દિવાળીની શુભેચ્છાને કારણે તે ફરી એક વખત ચર્ચામાં આવી છે. ટોપલેસ થઈ તેણે દિવાળીની શુભકામના પાઠવી હતી ત્યારે આની પર સુધાંશુ પાંડેએ નારાજગી વ્યક્ત કરી છે. સુધાંશુ પાંડેની આ પ્રતિક્રિયા પર ઉર્ફી જાવેદે પણ સામે પ્રતિક્રિયા આપી છે.

uorfi sudhanshu1

ઉર્ફીએ સુધાંશુને આપ્યો વળતો જવાબ

ઉર્ફીએ વળતો જવાબ આપતા લખ્યું કે અનુપમા એવો શો છે જેમાં નારી સશક્તિકરણની વાત કરવામાં આવે છે. જ્યાં મહિલાઓ સમાજ દ્વારા મહિલાઓ માટે બનેલા નિયમોને તોડી રહી છે. તમે પોતાનો શો કેમ નથી જોતા સુધાંશુ? બની શકે કે તમે તેમાંથી કંઈ શીખ મેળવો.



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.