ઉર્ફી જાવેદના ટોપલેસ વીડિયો પર Sudhanshu Pandeyએ આપી પ્રતિક્રિયા, વીડિયોને ગણાવ્યો વાહિયાત


  • Published By :
  • Published Date : 2022-10-27 18:06:52

અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાના અતરંગી કપડાને કારણે અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે. પોતાના કપડા સાથે અનેક પ્રયોગો તે કરતી રહે છે. ત્યારે તેણે ચોંકાવનારી રીતે પોતાના ચાહકોને દિવાળીની શુભકામના પાઠવી હતી. દિવાળી પર તેણે ટોપલેસ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો પર સુધાંશુ પાંડે પ્રતિક્રિયા આપી છે. સુધાંશુએ સોશિયલ મીડિયા પર લખ્યું કે મને ખૂબ ગુસ્સો આવે છે. કોઈ દિવાળી જેવા તહેવાર પર આવો વાહિયાત મજાક કઈ રીતે કરી શકે? કંઈ નહીં તો ભગવાન માટે તો શરમ કરો. 

Anupamaa fame actor sudhanshu pandey clears that he will remain part of  show | Anupamaa से होगी Sudhanshu Pandey की छुट्टी? एक्टर ने खुद बताया सच |  Hindi News, टीवी

સુધાંશુ પાંડેએ નારાજગી કરી વ્યક્ત

ફેશનના નામે ઉર્ફી જાવેદ જાતજાતના અખતરા કરતી રહે છે. પોતાના કપડાને કારણે તે મુખ્યત્વે ચર્ચમાં રહેતી હોય છે. ત્યારે દિવાળીની શુભેચ્છાને કારણે તે ફરી એક વખત ચર્ચામાં આવી છે. ટોપલેસ થઈ તેણે દિવાળીની શુભકામના પાઠવી હતી ત્યારે આની પર સુધાંશુ પાંડેએ નારાજગી વ્યક્ત કરી છે. સુધાંશુ પાંડેની આ પ્રતિક્રિયા પર ઉર્ફી જાવેદે પણ સામે પ્રતિક્રિયા આપી છે.

uorfi sudhanshu1

ઉર્ફીએ સુધાંશુને આપ્યો વળતો જવાબ

ઉર્ફીએ વળતો જવાબ આપતા લખ્યું કે અનુપમા એવો શો છે જેમાં નારી સશક્તિકરણની વાત કરવામાં આવે છે. જ્યાં મહિલાઓ સમાજ દ્વારા મહિલાઓ માટે બનેલા નિયમોને તોડી રહી છે. તમે પોતાનો શો કેમ નથી જોતા સુધાંશુ? બની શકે કે તમે તેમાંથી કંઈ શીખ મેળવો.



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.