ઉર્ફી જાવેદના ટોપલેસ વીડિયો પર Sudhanshu Pandeyએ આપી પ્રતિક્રિયા, વીડિયોને ગણાવ્યો વાહિયાત


  • Published By :
  • Published Date : 2022-10-27 18:06:52

અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાના અતરંગી કપડાને કારણે અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે. પોતાના કપડા સાથે અનેક પ્રયોગો તે કરતી રહે છે. ત્યારે તેણે ચોંકાવનારી રીતે પોતાના ચાહકોને દિવાળીની શુભકામના પાઠવી હતી. દિવાળી પર તેણે ટોપલેસ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો પર સુધાંશુ પાંડે પ્રતિક્રિયા આપી છે. સુધાંશુએ સોશિયલ મીડિયા પર લખ્યું કે મને ખૂબ ગુસ્સો આવે છે. કોઈ દિવાળી જેવા તહેવાર પર આવો વાહિયાત મજાક કઈ રીતે કરી શકે? કંઈ નહીં તો ભગવાન માટે તો શરમ કરો. 

Anupamaa fame actor sudhanshu pandey clears that he will remain part of  show | Anupamaa से होगी Sudhanshu Pandey की छुट्टी? एक्टर ने खुद बताया सच |  Hindi News, टीवी

સુધાંશુ પાંડેએ નારાજગી કરી વ્યક્ત

ફેશનના નામે ઉર્ફી જાવેદ જાતજાતના અખતરા કરતી રહે છે. પોતાના કપડાને કારણે તે મુખ્યત્વે ચર્ચમાં રહેતી હોય છે. ત્યારે દિવાળીની શુભેચ્છાને કારણે તે ફરી એક વખત ચર્ચામાં આવી છે. ટોપલેસ થઈ તેણે દિવાળીની શુભકામના પાઠવી હતી ત્યારે આની પર સુધાંશુ પાંડેએ નારાજગી વ્યક્ત કરી છે. સુધાંશુ પાંડેની આ પ્રતિક્રિયા પર ઉર્ફી જાવેદે પણ સામે પ્રતિક્રિયા આપી છે.

uorfi sudhanshu1

ઉર્ફીએ સુધાંશુને આપ્યો વળતો જવાબ

ઉર્ફીએ વળતો જવાબ આપતા લખ્યું કે અનુપમા એવો શો છે જેમાં નારી સશક્તિકરણની વાત કરવામાં આવે છે. જ્યાં મહિલાઓ સમાજ દ્વારા મહિલાઓ માટે બનેલા નિયમોને તોડી રહી છે. તમે પોતાનો શો કેમ નથી જોતા સુધાંશુ? બની શકે કે તમે તેમાંથી કંઈ શીખ મેળવો.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.