ચીન વિવાદ મામલે રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર સુધાંશુ ત્રિવેદીએ આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-01-03 16:36:43

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક વખત ભાજપ અને તેમની નીતીઓનો વિરોધ નોંધાવ્યો છે. અનેક વખત રાહુલ ગાંધી આક્રામક રૂપમાં પણ દેખાયા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક પ્રહાર થતા રહે છે. ચીન મુદ્દે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું જેની પર ભાજપના પ્રવક્તા સુશાંધુ ત્રિવેદીએ જવાબ આપ્યો છે. અને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે.

 

સુધાંશુ ત્રિવેદીએ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર 

ભારત અને ચીન વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ચીન મુદ્દે રાહુલ ગાંધીએ અનેક વખત કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. ચીનને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક પ્રહારો ચાલતા રહે છે. ત્યારે આજે ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. 


ચીન મામલે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન 

સુધાંશુ ત્રિવેદીએ જવાહરલાલ નહેરૂની પુસ્તક ડિસ્કવરી ઓફ  ઈંડિયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે ઈન્ડિયાની ખોજ ગાંધી પરિવાર ચાર પેઠીતી કરી રહ્યો છે. સીમા વિવાદને લઈ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાની મનશા સ્પષ્ટ કરી દીધી છે કે ભારતે ચીન સામે એ રીતે જ આત્મસમર્પણ કરવું જોઈએ જેવી રીતે તેમની સરકારના સમય પર થતું હતું. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.