ચીન વિવાદ મામલે રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર સુધાંશુ ત્રિવેદીએ આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-01-03 16:36:43

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક વખત ભાજપ અને તેમની નીતીઓનો વિરોધ નોંધાવ્યો છે. અનેક વખત રાહુલ ગાંધી આક્રામક રૂપમાં પણ દેખાયા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક પ્રહાર થતા રહે છે. ચીન મુદ્દે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું જેની પર ભાજપના પ્રવક્તા સુશાંધુ ત્રિવેદીએ જવાબ આપ્યો છે. અને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે.

 

સુધાંશુ ત્રિવેદીએ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર 

ભારત અને ચીન વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ચીન મુદ્દે રાહુલ ગાંધીએ અનેક વખત કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. ચીનને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક પ્રહારો ચાલતા રહે છે. ત્યારે આજે ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. 


ચીન મામલે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન 

સુધાંશુ ત્રિવેદીએ જવાહરલાલ નહેરૂની પુસ્તક ડિસ્કવરી ઓફ  ઈંડિયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે ઈન્ડિયાની ખોજ ગાંધી પરિવાર ચાર પેઠીતી કરી રહ્યો છે. સીમા વિવાદને લઈ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાની મનશા સ્પષ્ટ કરી દીધી છે કે ભારતે ચીન સામે એ રીતે જ આત્મસમર્પણ કરવું જોઈએ જેવી રીતે તેમની સરકારના સમય પર થતું હતું. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.