ચીન વિવાદ મામલે રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર સુધાંશુ ત્રિવેદીએ આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-01-03 16:36:43

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક વખત ભાજપ અને તેમની નીતીઓનો વિરોધ નોંધાવ્યો છે. અનેક વખત રાહુલ ગાંધી આક્રામક રૂપમાં પણ દેખાયા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક પ્રહાર થતા રહે છે. ચીન મુદ્દે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું જેની પર ભાજપના પ્રવક્તા સુશાંધુ ત્રિવેદીએ જવાબ આપ્યો છે. અને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે.

 

સુધાંશુ ત્રિવેદીએ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર 

ભારત અને ચીન વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ચીન મુદ્દે રાહુલ ગાંધીએ અનેક વખત કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. ચીનને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક પ્રહારો ચાલતા રહે છે. ત્યારે આજે ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. 


ચીન મામલે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન 

સુધાંશુ ત્રિવેદીએ જવાહરલાલ નહેરૂની પુસ્તક ડિસ્કવરી ઓફ  ઈંડિયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે ઈન્ડિયાની ખોજ ગાંધી પરિવાર ચાર પેઠીતી કરી રહ્યો છે. સીમા વિવાદને લઈ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાની મનશા સ્પષ્ટ કરી દીધી છે કે ભારતે ચીન સામે એ રીતે જ આત્મસમર્પણ કરવું જોઈએ જેવી રીતે તેમની સરકારના સમય પર થતું હતું. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.