અનાજ, તેલ બાદ હવે ખાંડના ભાવમાં ભડકો, સરકારે સુગર કંપનીઓ પાસે માગી સ્ટોકની વિગત


  • Published By :
  • Published Date : 2023-05-10 21:09:50

ખાંડના ઓછા ઉત્પાદનના અનુમાન બાદ ખાંડના વધતા છૂટક ભાવથી સરકાર ચિંતિત છે. કેન્દ્ર સરકારે ખાંડના છૂટક ભાવને અંકુશમાં રાખવા માટે પગલાં શરૂ કર્યા છે. સુગર કંપનીઓ પાસેથી સ્ટોક હોલ્ડિંગની વિગતો માંગવામાં આવી છે. કંપનીઓને 10 મે સુધીમાં પોર્ટલ પર તેમના સ્ટોક હોલ્ડિંગની જાહેરાત કરવા માટે કહેવામાં આવ્યું છે. હકીકતમાં, હવે સ્થાનિક બજારમાં ખાંડની છૂટક કિંમતો વધવા લાગી છે. છેલ્લા એક મહિનામાં ખાંડના છૂટક ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો થયો છે. સરકારને લાગે છે કે માંગ વધવાથી ભાવ વધી શકે છે. વળી ખાંડની જમાખોરી પણ શરૂ થઈ ગઈ છે. આ જ કારણ છે કે સરકારે હવે કંપનીઓ પાસેથી ખાંડ સંબંધિત સ્ટોક હોલ્ડિંગની વિગતો માંગી છે.


કેન્દ્ર સરકાર બની સતર્ક 


સૂત્રોનું કહેવું છે કે સરકાર ખાંડને લઈને બજારમાં ગભરાટ પેદા થાય  તેવું ઈચ્છતી નથી. સ્ટોક હોલ્ડિંગની વિગતો મેળવ્યા પછી, સરકાર જોશે કે દેશમાં ખાંડની કેટલી માંગ છે અને તેના પ્રમાણમાં, દેશમાં કેટલી ઉપલબ્ધ છે. સ્ટોક હોલ્ડિંગ મેળવ્યા બાદ તેના માર્કેટ સપ્લાય પર નજર રાખવામાં આવશે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો સ્ટોક હોલ્ડિંગ લિમિટ અથવા અન્ય મોટા નિર્ણયો લેવામાં આવશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.