અનાજ, તેલ બાદ હવે ખાંડના ભાવમાં ભડકો, સરકારે સુગર કંપનીઓ પાસે માગી સ્ટોકની વિગત


  • Published By :
  • Published Date : 2023-05-10 21:09:50

ખાંડના ઓછા ઉત્પાદનના અનુમાન બાદ ખાંડના વધતા છૂટક ભાવથી સરકાર ચિંતિત છે. કેન્દ્ર સરકારે ખાંડના છૂટક ભાવને અંકુશમાં રાખવા માટે પગલાં શરૂ કર્યા છે. સુગર કંપનીઓ પાસેથી સ્ટોક હોલ્ડિંગની વિગતો માંગવામાં આવી છે. કંપનીઓને 10 મે સુધીમાં પોર્ટલ પર તેમના સ્ટોક હોલ્ડિંગની જાહેરાત કરવા માટે કહેવામાં આવ્યું છે. હકીકતમાં, હવે સ્થાનિક બજારમાં ખાંડની છૂટક કિંમતો વધવા લાગી છે. છેલ્લા એક મહિનામાં ખાંડના છૂટક ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો થયો છે. સરકારને લાગે છે કે માંગ વધવાથી ભાવ વધી શકે છે. વળી ખાંડની જમાખોરી પણ શરૂ થઈ ગઈ છે. આ જ કારણ છે કે સરકારે હવે કંપનીઓ પાસેથી ખાંડ સંબંધિત સ્ટોક હોલ્ડિંગની વિગતો માંગી છે.


કેન્દ્ર સરકાર બની સતર્ક 


સૂત્રોનું કહેવું છે કે સરકાર ખાંડને લઈને બજારમાં ગભરાટ પેદા થાય  તેવું ઈચ્છતી નથી. સ્ટોક હોલ્ડિંગની વિગતો મેળવ્યા પછી, સરકાર જોશે કે દેશમાં ખાંડની કેટલી માંગ છે અને તેના પ્રમાણમાં, દેશમાં કેટલી ઉપલબ્ધ છે. સ્ટોક હોલ્ડિંગ મેળવ્યા બાદ તેના માર્કેટ સપ્લાય પર નજર રાખવામાં આવશે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો સ્ટોક હોલ્ડિંગ લિમિટ અથવા અન્ય મોટા નિર્ણયો લેવામાં આવશે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.