અનાજ, તેલ બાદ હવે ખાંડના ભાવમાં ભડકો, સરકારે સુગર કંપનીઓ પાસે માગી સ્ટોકની વિગત


  • Published By :
  • Published Date : 2023-05-10 21:09:50

ખાંડના ઓછા ઉત્પાદનના અનુમાન બાદ ખાંડના વધતા છૂટક ભાવથી સરકાર ચિંતિત છે. કેન્દ્ર સરકારે ખાંડના છૂટક ભાવને અંકુશમાં રાખવા માટે પગલાં શરૂ કર્યા છે. સુગર કંપનીઓ પાસેથી સ્ટોક હોલ્ડિંગની વિગતો માંગવામાં આવી છે. કંપનીઓને 10 મે સુધીમાં પોર્ટલ પર તેમના સ્ટોક હોલ્ડિંગની જાહેરાત કરવા માટે કહેવામાં આવ્યું છે. હકીકતમાં, હવે સ્થાનિક બજારમાં ખાંડની છૂટક કિંમતો વધવા લાગી છે. છેલ્લા એક મહિનામાં ખાંડના છૂટક ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો થયો છે. સરકારને લાગે છે કે માંગ વધવાથી ભાવ વધી શકે છે. વળી ખાંડની જમાખોરી પણ શરૂ થઈ ગઈ છે. આ જ કારણ છે કે સરકારે હવે કંપનીઓ પાસેથી ખાંડ સંબંધિત સ્ટોક હોલ્ડિંગની વિગતો માંગી છે.


કેન્દ્ર સરકાર બની સતર્ક 


સૂત્રોનું કહેવું છે કે સરકાર ખાંડને લઈને બજારમાં ગભરાટ પેદા થાય  તેવું ઈચ્છતી નથી. સ્ટોક હોલ્ડિંગની વિગતો મેળવ્યા પછી, સરકાર જોશે કે દેશમાં ખાંડની કેટલી માંગ છે અને તેના પ્રમાણમાં, દેશમાં કેટલી ઉપલબ્ધ છે. સ્ટોક હોલ્ડિંગ મેળવ્યા બાદ તેના માર્કેટ સપ્લાય પર નજર રાખવામાં આવશે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો સ્ટોક હોલ્ડિંગ લિમિટ અથવા અન્ય મોટા નિર્ણયો લેવામાં આવશે.



જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.