અનાજ, તેલ બાદ હવે ખાંડના ભાવમાં ભડકો, સરકારે સુગર કંપનીઓ પાસે માગી સ્ટોકની વિગત


  • Published By :
  • Published Date : 2023-05-10 21:09:50

ખાંડના ઓછા ઉત્પાદનના અનુમાન બાદ ખાંડના વધતા છૂટક ભાવથી સરકાર ચિંતિત છે. કેન્દ્ર સરકારે ખાંડના છૂટક ભાવને અંકુશમાં રાખવા માટે પગલાં શરૂ કર્યા છે. સુગર કંપનીઓ પાસેથી સ્ટોક હોલ્ડિંગની વિગતો માંગવામાં આવી છે. કંપનીઓને 10 મે સુધીમાં પોર્ટલ પર તેમના સ્ટોક હોલ્ડિંગની જાહેરાત કરવા માટે કહેવામાં આવ્યું છે. હકીકતમાં, હવે સ્થાનિક બજારમાં ખાંડની છૂટક કિંમતો વધવા લાગી છે. છેલ્લા એક મહિનામાં ખાંડના છૂટક ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો થયો છે. સરકારને લાગે છે કે માંગ વધવાથી ભાવ વધી શકે છે. વળી ખાંડની જમાખોરી પણ શરૂ થઈ ગઈ છે. આ જ કારણ છે કે સરકારે હવે કંપનીઓ પાસેથી ખાંડ સંબંધિત સ્ટોક હોલ્ડિંગની વિગતો માંગી છે.


કેન્દ્ર સરકાર બની સતર્ક 


સૂત્રોનું કહેવું છે કે સરકાર ખાંડને લઈને બજારમાં ગભરાટ પેદા થાય  તેવું ઈચ્છતી નથી. સ્ટોક હોલ્ડિંગની વિગતો મેળવ્યા પછી, સરકાર જોશે કે દેશમાં ખાંડની કેટલી માંગ છે અને તેના પ્રમાણમાં, દેશમાં કેટલી ઉપલબ્ધ છે. સ્ટોક હોલ્ડિંગ મેળવ્યા બાદ તેના માર્કેટ સપ્લાય પર નજર રાખવામાં આવશે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો સ્ટોક હોલ્ડિંગ લિમિટ અથવા અન્ય મોટા નિર્ણયો લેવામાં આવશે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.