અનાજ, તેલ બાદ હવે ખાંડના ભાવમાં ભડકો, સરકારે સુગર કંપનીઓ પાસે માગી સ્ટોકની વિગત


  • Published By :
  • Published Date : 2023-05-10 21:09:50

ખાંડના ઓછા ઉત્પાદનના અનુમાન બાદ ખાંડના વધતા છૂટક ભાવથી સરકાર ચિંતિત છે. કેન્દ્ર સરકારે ખાંડના છૂટક ભાવને અંકુશમાં રાખવા માટે પગલાં શરૂ કર્યા છે. સુગર કંપનીઓ પાસેથી સ્ટોક હોલ્ડિંગની વિગતો માંગવામાં આવી છે. કંપનીઓને 10 મે સુધીમાં પોર્ટલ પર તેમના સ્ટોક હોલ્ડિંગની જાહેરાત કરવા માટે કહેવામાં આવ્યું છે. હકીકતમાં, હવે સ્થાનિક બજારમાં ખાંડની છૂટક કિંમતો વધવા લાગી છે. છેલ્લા એક મહિનામાં ખાંડના છૂટક ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો થયો છે. સરકારને લાગે છે કે માંગ વધવાથી ભાવ વધી શકે છે. વળી ખાંડની જમાખોરી પણ શરૂ થઈ ગઈ છે. આ જ કારણ છે કે સરકારે હવે કંપનીઓ પાસેથી ખાંડ સંબંધિત સ્ટોક હોલ્ડિંગની વિગતો માંગી છે.


કેન્દ્ર સરકાર બની સતર્ક 


સૂત્રોનું કહેવું છે કે સરકાર ખાંડને લઈને બજારમાં ગભરાટ પેદા થાય  તેવું ઈચ્છતી નથી. સ્ટોક હોલ્ડિંગની વિગતો મેળવ્યા પછી, સરકાર જોશે કે દેશમાં ખાંડની કેટલી માંગ છે અને તેના પ્રમાણમાં, દેશમાં કેટલી ઉપલબ્ધ છે. સ્ટોક હોલ્ડિંગ મેળવ્યા બાદ તેના માર્કેટ સપ્લાય પર નજર રાખવામાં આવશે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો સ્ટોક હોલ્ડિંગ લિમિટ અથવા અન્ય મોટા નિર્ણયો લેવામાં આવશે.



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.