કેન્દ્ર સરકારની છૂટના કારણે દક્ષિણ ગુજરાતના શેરડી પકાવતા લોકોને થશે ફાયદો


  • Published By :
  • Published Date : 2022-11-10 18:42:43

કેન્દ્ર સરકારે 31 મે 2023 સુધી ખાંડના નિકાસને છૂટ આપી દીધી છે. કેન્દ્ર સરકારે કુલ ઉત્પાદનના 18.23 ટકા ખાંડની નિકાસ કરવા માટે મંજૂરી આપી દીધી છે. ભારતમાં હવે ખાંડ પૂરતી માત્રમાં હોવાના કારણે અન્ન-પુરવઠા નાગરિક મંત્રાલયે નિર્ણય લીધો છે. ખાંડની નિકાસની છૂટ આપવાના કારણે હવે દક્ષિણ ગુજરાતના શેરડી નિકાસ કરતા લોકોને અને ખાંડનું ઉત્પાદન કરતા લોકોને ફાયદો થશે. દક્ષિણ ગુજરાત વિસ્તારની 15 સુગર મીલોમાંથી 1.93 લાખ ટન ખાંડની નિકાસ થશે તેવી શક્યતા વર્તાઈ રહી છે. 


દક્ષિણ ગુજરાતની સુગર મીલોને થશે ફાયદો

દક્ષિણ ગુજરાતની મીલોમાં બારડોલી સુગર મીલનો ક્વોટા સૌથી વધુ છે. બારડોલી સુગરને  તેત્રીસ હજાર ટન ખાંડ નિકાસ કરવાની છૂટ આપવામાં આવી છે. ગુજરાતમાં ખાંડ ઉત્પાદનનો સમય છે ત્યારે લોકો પાસે જૂનો સ્ટૉક પડ્યો હશે. આ સ્ટૉક વેંચીને દક્ષિણ ગુજરાતના શેરડી પકાવતા લોકોને બમણો ફાયદો થઈ શકે તેવી શક્યતાઓ છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.