હિમાચલ પ્રદેશના 15માં મુખ્યમંત્રી બન્યા સુખવિન્દર સિંહ, મુકેશ અગ્નિહોત્રી બન્યા ઉપમુખ્યમંત્રી


  • Published By :
  • Published Date : 2022-12-11 16:01:49

હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસના સુખવિન્દર સિંહ સુક્ખુએ શપથ ગ્રહણ કરી લીધી છે. બપોરે 1:50 કલાકે તેમણે રાજ્યના 15વા મુખ્યમંત્રી તરીકેની શપથ લીધી છે. ઉપરાંત રાજ્યના ઉપ-મુખ્યમંત્રી તરીકે મુકેશ અગ્નિહોત્રીએ શપથ લીધી છે. રિજ મેદાન ખાતે આયોજીત આ કાર્યક્રમમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથે સુખવિન્દર સિંહને શપથ લેવડાયા હતા.

  

પ્રિયંકા ગાંધીએ પ્રતિભા સિંહને સ્ટેજ પર આપ્યું સ્થાન 

આ શપથ વિધીમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગે તેમજ કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીના રેસમાં અનેક નામોની ચર્ચા થતી હતી. ત્યારે શપથ વિધી દરમિયાન પ્રિયંકા ગાંધીએ પ્રતિભા સિંહને સ્ટેજ પર બોલાવ્યા હતા. અને તેમને પોતાની બાજુમાં બેસાડ્યા હતા.

ઉપરાંત શપથ વિધીમાં સુખવિન્દર સિંહની માતા પણ હાજર હતા. સ્ટેજની સામે તેઓ બેઠા હતા પરંતુ જ્યારે રાહુલ ગાંધીને આ અંગની જાણ થઈ તો તેમણે તરત સુખવિન્દરની માતાને સ્ટેજ પર બોલાવી લીધા. અને પ્રિયંકા ગાંધી તેમને ભેટી પડ્યા અને તેમની સાથે બેસાડ્યા. આ સમારોહમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ પણ હાજર હતા.    


Image
Image


અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.