હિમાચલ પ્રદેશના 15માં મુખ્યમંત્રી બન્યા સુખવિન્દર સિંહ, મુકેશ અગ્નિહોત્રી બન્યા ઉપમુખ્યમંત્રી


  • Published By :
  • Published Date : 2022-12-11 16:01:49

હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસના સુખવિન્દર સિંહ સુક્ખુએ શપથ ગ્રહણ કરી લીધી છે. બપોરે 1:50 કલાકે તેમણે રાજ્યના 15વા મુખ્યમંત્રી તરીકેની શપથ લીધી છે. ઉપરાંત રાજ્યના ઉપ-મુખ્યમંત્રી તરીકે મુકેશ અગ્નિહોત્રીએ શપથ લીધી છે. રિજ મેદાન ખાતે આયોજીત આ કાર્યક્રમમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથે સુખવિન્દર સિંહને શપથ લેવડાયા હતા.

  

પ્રિયંકા ગાંધીએ પ્રતિભા સિંહને સ્ટેજ પર આપ્યું સ્થાન 

આ શપથ વિધીમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગે તેમજ કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીના રેસમાં અનેક નામોની ચર્ચા થતી હતી. ત્યારે શપથ વિધી દરમિયાન પ્રિયંકા ગાંધીએ પ્રતિભા સિંહને સ્ટેજ પર બોલાવ્યા હતા. અને તેમને પોતાની બાજુમાં બેસાડ્યા હતા.

ઉપરાંત શપથ વિધીમાં સુખવિન્દર સિંહની માતા પણ હાજર હતા. સ્ટેજની સામે તેઓ બેઠા હતા પરંતુ જ્યારે રાહુલ ગાંધીને આ અંગની જાણ થઈ તો તેમણે તરત સુખવિન્દરની માતાને સ્ટેજ પર બોલાવી લીધા. અને પ્રિયંકા ગાંધી તેમને ભેટી પડ્યા અને તેમની સાથે બેસાડ્યા. આ સમારોહમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ પણ હાજર હતા.    


Image
Image


આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.