હિમાચલ પ્રદેશના 15માં મુખ્યમંત્રી બન્યા સુખવિન્દર સિંહ, મુકેશ અગ્નિહોત્રી બન્યા ઉપમુખ્યમંત્રી


  • Published By :
  • Published Date : 2022-12-11 16:01:49

હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસના સુખવિન્દર સિંહ સુક્ખુએ શપથ ગ્રહણ કરી લીધી છે. બપોરે 1:50 કલાકે તેમણે રાજ્યના 15વા મુખ્યમંત્રી તરીકેની શપથ લીધી છે. ઉપરાંત રાજ્યના ઉપ-મુખ્યમંત્રી તરીકે મુકેશ અગ્નિહોત્રીએ શપથ લીધી છે. રિજ મેદાન ખાતે આયોજીત આ કાર્યક્રમમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથે સુખવિન્દર સિંહને શપથ લેવડાયા હતા.

  

પ્રિયંકા ગાંધીએ પ્રતિભા સિંહને સ્ટેજ પર આપ્યું સ્થાન 

આ શપથ વિધીમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગે તેમજ કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીના રેસમાં અનેક નામોની ચર્ચા થતી હતી. ત્યારે શપથ વિધી દરમિયાન પ્રિયંકા ગાંધીએ પ્રતિભા સિંહને સ્ટેજ પર બોલાવ્યા હતા. અને તેમને પોતાની બાજુમાં બેસાડ્યા હતા.

ઉપરાંત શપથ વિધીમાં સુખવિન્દર સિંહની માતા પણ હાજર હતા. સ્ટેજની સામે તેઓ બેઠા હતા પરંતુ જ્યારે રાહુલ ગાંધીને આ અંગની જાણ થઈ તો તેમણે તરત સુખવિન્દરની માતાને સ્ટેજ પર બોલાવી લીધા. અને પ્રિયંકા ગાંધી તેમને ભેટી પડ્યા અને તેમની સાથે બેસાડ્યા. આ સમારોહમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ પણ હાજર હતા.    


Image
Image


અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.