સુખવિંદરસિંહ સુક્ખુ આવ્યા કોરોનાની ઝપેટમાં, પીએમ સાથે કરવાના હતા મુલાકાત


  • Published By :
  • Published Date : 2022-12-19 11:28:18

થોડા સમય પહેલા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી બનેલા સુખવિંદરસિંહ સુક્ખુ કોરોના સંક્રમિત થયા છે. સોમવારે સુક્ખુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાની હતી જેને કારણે રવિવારે તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રવિવાર સાંજે ટેસ્ટનો રિપોર્ટ આવ્યો. તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કોરોના સંક્રમિત હોવાને કારણે સુખવિંદર સુક્ખુ પ્રધાનમંત્રી સાથે મુલાકાત નહીં કરી શકે. 


પીએમ સાથે કરવાના બેઠક 

સુખવિંદરસિંહ સોમવારે પીએમ મોદી સાથે બેઠક કરવાના હતા. પીએમ સાથે બેઠક હોવાને કારણે તેમનો સેંપલ લેવામાં આવ્યું હતું. અને રવિવાર સાંજે તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો. કોરોના સંક્રમિત હોવાને કારણે તેઓ પીએમ મોદી સાથે બેઠક નહી કરી શકે. થોડા સમય પહેલા જ સુખવિંદર સુક્ખુ ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા. 


સાવચેતીના ભાગરૂપે સીએમ રહેશે ક્વોરન્ટાઈન 

કોરોના સંક્રમિતની વાતને લઈ રાજ્ય સરકારે જણાવ્યું છે કે મુખ્યમંત્રી સુખવિંદર સુક્ખુ  સાવચેતીના ભાગરૂપે મુખ્યમંત્રી ક્વોરન્ટાઈન રહેશે અને તેમના દરેક કાર્યક્રમ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. સીએમમાં કોરોનાના કોઈ પણ લક્ષણ દેખાયા ન હતા. કોરોના સંક્રમિત હોવાને કારણે તેઓ પીએમ સાથે મુલાકાત નહીં કરે. ઉપરાંત એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કેબિનેટ વિસ્તરણ પણ હાલ નહીં કરવામાં આવે.    




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે