સુખવિંદરસિંહ સુક્ખુ આવ્યા કોરોનાની ઝપેટમાં, પીએમ સાથે કરવાના હતા મુલાકાત


  • Published By :
  • Published Date : 2022-12-19 11:28:18

થોડા સમય પહેલા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી બનેલા સુખવિંદરસિંહ સુક્ખુ કોરોના સંક્રમિત થયા છે. સોમવારે સુક્ખુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાની હતી જેને કારણે રવિવારે તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રવિવાર સાંજે ટેસ્ટનો રિપોર્ટ આવ્યો. તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કોરોના સંક્રમિત હોવાને કારણે સુખવિંદર સુક્ખુ પ્રધાનમંત્રી સાથે મુલાકાત નહીં કરી શકે. 


પીએમ સાથે કરવાના બેઠક 

સુખવિંદરસિંહ સોમવારે પીએમ મોદી સાથે બેઠક કરવાના હતા. પીએમ સાથે બેઠક હોવાને કારણે તેમનો સેંપલ લેવામાં આવ્યું હતું. અને રવિવાર સાંજે તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો. કોરોના સંક્રમિત હોવાને કારણે તેઓ પીએમ મોદી સાથે બેઠક નહી કરી શકે. થોડા સમય પહેલા જ સુખવિંદર સુક્ખુ ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા. 


સાવચેતીના ભાગરૂપે સીએમ રહેશે ક્વોરન્ટાઈન 

કોરોના સંક્રમિતની વાતને લઈ રાજ્ય સરકારે જણાવ્યું છે કે મુખ્યમંત્રી સુખવિંદર સુક્ખુ  સાવચેતીના ભાગરૂપે મુખ્યમંત્રી ક્વોરન્ટાઈન રહેશે અને તેમના દરેક કાર્યક્રમ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. સીએમમાં કોરોનાના કોઈ પણ લક્ષણ દેખાયા ન હતા. કોરોના સંક્રમિત હોવાને કારણે તેઓ પીએમ સાથે મુલાકાત નહીં કરે. ઉપરાંત એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કેબિનેટ વિસ્તરણ પણ હાલ નહીં કરવામાં આવે.    




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.