હાથમાં સલ્ફાસની ગોળીઓ, ચહેરા પર મુસ્કાન; 3 યુવતીઓના આપઘાત પહેલાંનો વીડિયો વાયરલ થયો


  • Published By :
  • Published Date : 2022-10-29 17:16:48

યુવતીઓ હાથમાં સલ્ફાસની ગોળીઓ છે. ઉપરાંત, તે વીડિયોમાં બાય-બાય કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આત્મહત્યા કરતા પહેલા ત્રણેય યુવતીઓ ખુશ જોવા મળે છે 

हाथों में सल्फास की गोलियां, चेहरे पर हंसी; 3 लड़कियों का खुदकुशी वाला वीडियो वायरल

મધ્યપ્રદેશના સિહોરના ત્રણ વિધાર્થીની સ્કૂલમાંથી બંક કરીને ઈન્દોર પહોંચી હતી અને ત્રણેયએ ત્યાં ઝેર પી લીધું હતું. ત્રણેય છોકરીઓ ધોરણ 12ની વિદ્યાર્થીની હતી. ઝેર પી લીધા બાદ ત્રણેય વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બે વિદ્યાર્થીનીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એકની હાલત અત્યંત ગંભીર છે. ત્રણેય વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરતા પહેલા તેનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણેય વિદ્યાર્થીનીઓ હાથમાં ડઝનેક સલ્ફાસની ગોળીઓ લઈ રહી છે. ઉપરાંત, તે વીડિયોમાં બાય-બાય કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આત્મહત્યા કરતા પહેલા ત્રણેય વિદ્યાર્થીનીઓ હસતી જોવા મળે છે.


MP: Three School Girls From Sehore Consume Poison In Indore; Two Dead, One  Critical


શું છે સમગ્ર મામલો

પોલીસે જણાવ્યું કે ત્રણેય મિત્રો સિહોરના અષ્ટાના રહેવાસી છે. ત્રણેયે ઈન્દોરના એક પાર્કમાં ઝેરી દવા ખાદી હતી. ત્રણેય વિદ્યાર્થીનીઓ શુક્રવારે બસ દ્વારા ઈન્દોર પહોંચી હતી. પોલીસે જણાવ્યું કે ત્રણમાંથી પાયલ અને પૂજાનું મોત થઈ ગયું છે. સાથે જ આરતીની હાલત અત્યંત ગંભીર છે.

3 girls takes poison in Indore, one survives


મિત્ર ન આવ્યો તો ઝેર ખાઈ લીધું

આષ્ટાની મોડલ સ્કૂલમાં અભ્યાસ કરતી ત્રણેય વિદ્યાર્થીની ઈન્દોર પહોંચી હતી. જ્યાં પાયલ તેના મિત્ર રોહિતને મળવા આવી હતી. પાર્કમાં પહોંચ્યા બાદ પાયલે રોહિતને મળવા બોલાવ્યો હતો પરંતુ રોહિત તેને મળવા આવ્યો ન હતો અને તેણે ઘરે પરત ફરવાનું કહ્યું હતું. આ બાબતે પાયલ અને રોહિત વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડાથી નારાજ પાયલે ઝેર પી લીધું હતું.

Sun Pharma Q1 Review - Shoring Up Specialty Well: Dolat Capital

બીજી તરફ, પૂજા નામની વિદ્યાર્થીની તેના પરિવારના મતભેદથી નારાજ હતી. જ્યારે તેણે તેની મિત્રને ઝેર પીતા જોઈ ત્યારે તેણે પણ ઝેર પી લીધું. આરતી તેના બે મિત્રોને ઝેર ખાતા જોઈને ડરી ગઈ. આરતીએ વિચાર્યું કે ઘરે જઈને શું જવાબ આપીશ. આનાથી ડરીને આરતીએ પણ ઝેર પી લીધું હતું. જણાવી દઈએ કે પૂજા અને પાયલનું સારવાર દરમિયાન મોત થયું હતું. સાથે જ આરતીની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.