હાથમાં સલ્ફાસની ગોળીઓ, ચહેરા પર મુસ્કાન; 3 યુવતીઓના આપઘાત પહેલાંનો વીડિયો વાયરલ થયો


  • Published By :
  • Published Date : 2022-10-29 17:16:48

યુવતીઓ હાથમાં સલ્ફાસની ગોળીઓ છે. ઉપરાંત, તે વીડિયોમાં બાય-બાય કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આત્મહત્યા કરતા પહેલા ત્રણેય યુવતીઓ ખુશ જોવા મળે છે 

हाथों में सल्फास की गोलियां, चेहरे पर हंसी; 3 लड़कियों का खुदकुशी वाला वीडियो वायरल

મધ્યપ્રદેશના સિહોરના ત્રણ વિધાર્થીની સ્કૂલમાંથી બંક કરીને ઈન્દોર પહોંચી હતી અને ત્રણેયએ ત્યાં ઝેર પી લીધું હતું. ત્રણેય છોકરીઓ ધોરણ 12ની વિદ્યાર્થીની હતી. ઝેર પી લીધા બાદ ત્રણેય વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બે વિદ્યાર્થીનીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એકની હાલત અત્યંત ગંભીર છે. ત્રણેય વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરતા પહેલા તેનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણેય વિદ્યાર્થીનીઓ હાથમાં ડઝનેક સલ્ફાસની ગોળીઓ લઈ રહી છે. ઉપરાંત, તે વીડિયોમાં બાય-બાય કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આત્મહત્યા કરતા પહેલા ત્રણેય વિદ્યાર્થીનીઓ હસતી જોવા મળે છે.


MP: Three School Girls From Sehore Consume Poison In Indore; Two Dead, One  Critical


શું છે સમગ્ર મામલો

પોલીસે જણાવ્યું કે ત્રણેય મિત્રો સિહોરના અષ્ટાના રહેવાસી છે. ત્રણેયે ઈન્દોરના એક પાર્કમાં ઝેરી દવા ખાદી હતી. ત્રણેય વિદ્યાર્થીનીઓ શુક્રવારે બસ દ્વારા ઈન્દોર પહોંચી હતી. પોલીસે જણાવ્યું કે ત્રણમાંથી પાયલ અને પૂજાનું મોત થઈ ગયું છે. સાથે જ આરતીની હાલત અત્યંત ગંભીર છે.

3 girls takes poison in Indore, one survives


મિત્ર ન આવ્યો તો ઝેર ખાઈ લીધું

આષ્ટાની મોડલ સ્કૂલમાં અભ્યાસ કરતી ત્રણેય વિદ્યાર્થીની ઈન્દોર પહોંચી હતી. જ્યાં પાયલ તેના મિત્ર રોહિતને મળવા આવી હતી. પાર્કમાં પહોંચ્યા બાદ પાયલે રોહિતને મળવા બોલાવ્યો હતો પરંતુ રોહિત તેને મળવા આવ્યો ન હતો અને તેણે ઘરે પરત ફરવાનું કહ્યું હતું. આ બાબતે પાયલ અને રોહિત વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડાથી નારાજ પાયલે ઝેર પી લીધું હતું.

Sun Pharma Q1 Review - Shoring Up Specialty Well: Dolat Capital

બીજી તરફ, પૂજા નામની વિદ્યાર્થીની તેના પરિવારના મતભેદથી નારાજ હતી. જ્યારે તેણે તેની મિત્રને ઝેર પીતા જોઈ ત્યારે તેણે પણ ઝેર પી લીધું. આરતી તેના બે મિત્રોને ઝેર ખાતા જોઈને ડરી ગઈ. આરતીએ વિચાર્યું કે ઘરે જઈને શું જવાબ આપીશ. આનાથી ડરીને આરતીએ પણ ઝેર પી લીધું હતું. જણાવી દઈએ કે પૂજા અને પાયલનું સારવાર દરમિયાન મોત થયું હતું. સાથે જ આરતીની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.