Rajkot Fire Accident મુદ્દે Gujarat Highcourtમાં દાખલ કરાઈ સુઓમોટો, રવિવારે થઈ રહી છે સુનાવણી


  • Published By :
  • Published Date : 2024-05-26 13:47:37

રાજકોટમાં બનેલી દુર્ઘટનાને પગલે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવામાં આવી અને એ મામલે રવિવારના દિવસે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે... આ મામલે સુનાવણી થાય તે માટે હાઈકોર્ટ એસોશિએશન દ્વારા સુઓમોટો દાખલ કરવામાં આવી છે અને જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવેન દેસાઈની ખંડપીઠમાં સુનાવણી થઈ રહી છે.. આ ઘટનાને લઈ ગંભીર ટિપ્પણીઓ કોર્ટમાં કરવામાં આવી રહી છે.. જવાબદાર લોકો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી રજૂઆત હાઈકોર્ટમાં કરાઈ રહી છે તેવી માહિતી સામે આવી છે..


ઈજાગ્રસ્તોને મળવા માટે પહોંચ્યા મુખ્યમંત્રી

ગઈકાલ સાંજે રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમઝોનમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ... આગ ભભૂકી ઉઠી અને 28 જેટલા લોકો મોતને ભેટ્યા.. આ આંકડો વધી પણ શકે છે.. ચાર વર્ષથી એનઓસી વગર આ ગેમ ઝોન ચાલી રહ્યું હતું તેવી માહિતી સામે આવી છે.. ગેમઝોનમાં ગંભીર બેદરકારી દાખવામાં આવી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ હર્ષ સંઘવીએ સ્થળ મુલાકાત લીધી હતી. ઈજાગ્રસ્તોને મળવા પણ સીએમ પહોંચ્યા હતા. 


ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાઈ સુઓમોટો 

આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવામાં આવી છે અને આજે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી રવિવારે પણ સુનાવણી થઈ રહી છે. અને આ અગ્નિકાંડને ગુજરાત હાઈકોર્ટે માનવસર્જિત ડિઝાસ્ટર ગણાવી છે. હાઈકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અન્ય મહાનગરપાલિકાઓ તેમજ રાજ્ય સરકાર પાસે ગેમઝોનના નિયમો તેમજ ફાયર નિયમોને લઈ ખુલાસો માગ્યો છે.. એક જ દિવસમાં આનો જવાબ આપવામાં આવે તેવો આદેશ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે..હાઈકોર્ટે રાજકોટ અગ્નિકાંડને માનવસર્જિત ડિઝાસ્ટર ગણાવ્યું છે તેવી માહિતી સામે આવી છે....



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.