Rajkot Fire Accident મુદ્દે Gujarat Highcourtમાં દાખલ કરાઈ સુઓમોટો, રવિવારે થઈ રહી છે સુનાવણી


  • Published By :
  • Published Date : 2024-05-26 13:47:37

રાજકોટમાં બનેલી દુર્ઘટનાને પગલે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવામાં આવી અને એ મામલે રવિવારના દિવસે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે... આ મામલે સુનાવણી થાય તે માટે હાઈકોર્ટ એસોશિએશન દ્વારા સુઓમોટો દાખલ કરવામાં આવી છે અને જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવેન દેસાઈની ખંડપીઠમાં સુનાવણી થઈ રહી છે.. આ ઘટનાને લઈ ગંભીર ટિપ્પણીઓ કોર્ટમાં કરવામાં આવી રહી છે.. જવાબદાર લોકો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી રજૂઆત હાઈકોર્ટમાં કરાઈ રહી છે તેવી માહિતી સામે આવી છે..


ઈજાગ્રસ્તોને મળવા માટે પહોંચ્યા મુખ્યમંત્રી

ગઈકાલ સાંજે રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમઝોનમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ... આગ ભભૂકી ઉઠી અને 28 જેટલા લોકો મોતને ભેટ્યા.. આ આંકડો વધી પણ શકે છે.. ચાર વર્ષથી એનઓસી વગર આ ગેમ ઝોન ચાલી રહ્યું હતું તેવી માહિતી સામે આવી છે.. ગેમઝોનમાં ગંભીર બેદરકારી દાખવામાં આવી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ હર્ષ સંઘવીએ સ્થળ મુલાકાત લીધી હતી. ઈજાગ્રસ્તોને મળવા પણ સીએમ પહોંચ્યા હતા. 


ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાઈ સુઓમોટો 

આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવામાં આવી છે અને આજે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી રવિવારે પણ સુનાવણી થઈ રહી છે. અને આ અગ્નિકાંડને ગુજરાત હાઈકોર્ટે માનવસર્જિત ડિઝાસ્ટર ગણાવી છે. હાઈકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અન્ય મહાનગરપાલિકાઓ તેમજ રાજ્ય સરકાર પાસે ગેમઝોનના નિયમો તેમજ ફાયર નિયમોને લઈ ખુલાસો માગ્યો છે.. એક જ દિવસમાં આનો જવાબ આપવામાં આવે તેવો આદેશ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે..હાઈકોર્ટે રાજકોટ અગ્નિકાંડને માનવસર્જિત ડિઝાસ્ટર ગણાવ્યું છે તેવી માહિતી સામે આવી છે....



રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.