Rajkot Fire Accident મુદ્દે Gujarat Highcourtમાં દાખલ કરાઈ સુઓમોટો, રવિવારે થઈ રહી છે સુનાવણી


  • Published By :
  • Published Date : 2024-05-26 13:47:37

રાજકોટમાં બનેલી દુર્ઘટનાને પગલે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવામાં આવી અને એ મામલે રવિવારના દિવસે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે... આ મામલે સુનાવણી થાય તે માટે હાઈકોર્ટ એસોશિએશન દ્વારા સુઓમોટો દાખલ કરવામાં આવી છે અને જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવેન દેસાઈની ખંડપીઠમાં સુનાવણી થઈ રહી છે.. આ ઘટનાને લઈ ગંભીર ટિપ્પણીઓ કોર્ટમાં કરવામાં આવી રહી છે.. જવાબદાર લોકો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી રજૂઆત હાઈકોર્ટમાં કરાઈ રહી છે તેવી માહિતી સામે આવી છે..


ઈજાગ્રસ્તોને મળવા માટે પહોંચ્યા મુખ્યમંત્રી

ગઈકાલ સાંજે રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમઝોનમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ... આગ ભભૂકી ઉઠી અને 28 જેટલા લોકો મોતને ભેટ્યા.. આ આંકડો વધી પણ શકે છે.. ચાર વર્ષથી એનઓસી વગર આ ગેમ ઝોન ચાલી રહ્યું હતું તેવી માહિતી સામે આવી છે.. ગેમઝોનમાં ગંભીર બેદરકારી દાખવામાં આવી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ હર્ષ સંઘવીએ સ્થળ મુલાકાત લીધી હતી. ઈજાગ્રસ્તોને મળવા પણ સીએમ પહોંચ્યા હતા. 


ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાઈ સુઓમોટો 

આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવામાં આવી છે અને આજે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી રવિવારે પણ સુનાવણી થઈ રહી છે. અને આ અગ્નિકાંડને ગુજરાત હાઈકોર્ટે માનવસર્જિત ડિઝાસ્ટર ગણાવી છે. હાઈકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અન્ય મહાનગરપાલિકાઓ તેમજ રાજ્ય સરકાર પાસે ગેમઝોનના નિયમો તેમજ ફાયર નિયમોને લઈ ખુલાસો માગ્યો છે.. એક જ દિવસમાં આનો જવાબ આપવામાં આવે તેવો આદેશ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે..હાઈકોર્ટે રાજકોટ અગ્નિકાંડને માનવસર્જિત ડિઝાસ્ટર ગણાવ્યું છે તેવી માહિતી સામે આવી છે....



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.