અંધશ્રદ્ધાએ લીધો માસુમ બાળકીનો ભોગ! સુરેન્દ્રનગરમાં માતા પિતાએ લીધો માસુમ બાળકીનો જીવ! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-01 11:04:20

એક તરફ આપણે 21મી સદીની વાતો કરીએ છીએ તો બીજી બાજુ એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં અંધશ્રદ્ધાને કારણે લોકો આજે પણ પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગરથી એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. દોઢ વર્ષની બાળકીને અંધશ્રદ્ધાના નામે તેના જ માતા પિતાએ તેની હત્યા કરી મૃતદેહને નાળામાં ફેંકી દીધો હતો. બિનવારસી હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો જે બાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.  


માતા થઈ કુમાતા!

આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે પુત્ર કુપુત્ર થાય પરંતુ માતા કુમાતા થતી નથી. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં માતા રક્ષક બની પોતાના બાળકની રક્ષા કરતી હોય છે. બાળક પર કોઈ આંચ આવે તો માતાનું દિલ તડપી ઉઠતું હોય છે. ત્યારે સુરેન્દ્રનગરથી એક એવો કિસ્સો સામે આવ્યો છે રૂંવાડા ઉભા કરી દે તેવો છે. માતા પિતાએ જ દોઢ વર્ષની દીકરીને મોતને ઘાટ ઉતારી છે. હત્યા કર્યા બાદ બાળકીના મૃતદેહ નાળામાંથી ફેંકી દીધો હતો. માસુમ બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને બાળકીના માતા પિતા વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. 


અપશુકનિયાળ માની માતા પિતાએ કરી બાળકીની હત્યા!  

પોલીસ તપાસમાં એવા અનેક ખુલાસા સામે આવ્યા જે હચમચાવી દે તેવા છે. પોલીસે જ્યારે આ મામલે મૃત બાળકીના માતા પિતાની પૂછપરછ કરી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર માતા પિતા સાથે બાળકી ખડગુંદા ગામ જઈ રહી હતી. ત્યારે રસ્તામાં એક હોટલ પાસે તેમનું બાઈક સ્લીપ થઈ ગયું હતું. જેને લઈ માતા પિતા અને બાળકી નીચે પટકાયા. ત્યારે દીકરી અપશુકનિયાળ હોવાને કારણે બાઈક સ્લીપ થયું હોવાની વાત બાળકીના પિતાએ બાળકીની માતાને જણાવી. ત્યાં જ ગળું દબાવીને માસુમ બાળકીની હત્યા તેના જ માતા પિતાએ કરી દીધી. હત્યા કર્યા બાદ બાળકી રૂહીની લાશને હાઈવે નજીક આવેલા નાળામાં ફેંકી ગીધી હતી. 


બાળકીના માતા પિતાની કરાઈ અટકાયત!

બાળકનો મૃતદેહ મળી આવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. શંકાસ્પદ હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવતા પહેલા તાંત્રિક વિધી થઈ હોવાની આશંકા ગઈ. પોલીસે બાળકીનો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધો હતો. બાળકની હત્યા કેમ કરવામાં આવી તેના કારણોને જાણવામાં પોલીસ લાગી હતી તે દરમિયાન કોની બાળકી છે તેની જાણ થઈ હતી. બાળકીના માતા પિતા કોણ છે તે અંગે પોલીસને માહિતી મળ્યા બાદ પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી. અને જે બાદ માતા પિતાની અટકાયત કરી હતી અને આ મામલે પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે માતા પિતા બાળકીને અપશુકનિયાળ માનતા હતા જેને લઈ આ પગલું તેમના દ્વારા ભરવામાં આવ્યું છે.  


અંધશ્રદ્ધાના નામે કેટલા માસુમો ગુમાવશે પોતાનો જીવ!

ત્યારે પ્રશ્ન એ થાય કે કેવી રીતે માતા પિતા પોતાની બાળકીનો જીવ લઈ શકે છે. માવતર કેવી રીતે કુમાવતર થઈ શકે છે? ક્યાં સુધી અંધશ્રદ્ધા અને અપશુકનિયાળ માનીને જીવ લેવાતા રહેશે? એક તરફ દીકરા -દીકરી એક સમાનની વાતો કરીએ છીએ. ડીઝિટલ યુગમાં તો આપણે ભલે આવી ગયા પરંતુ આપણે આપણા વિચારો બદલવાની જરૂર છે. અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં બાળકીને બોજો માનીને તેની હત્યા કરવામાં આવતી હોય છે. ત્યારે ક્યાં સુધી અંધશ્રદ્ધાના નામે આ બધું ચાલતું રહેશે?   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે