અંધશ્રદ્ધાએ લીધો માસુમ બાળકીનો ભોગ! સુરેન્દ્રનગરમાં માતા પિતાએ લીધો માસુમ બાળકીનો જીવ! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-01 11:04:20

એક તરફ આપણે 21મી સદીની વાતો કરીએ છીએ તો બીજી બાજુ એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં અંધશ્રદ્ધાને કારણે લોકો આજે પણ પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગરથી એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. દોઢ વર્ષની બાળકીને અંધશ્રદ્ધાના નામે તેના જ માતા પિતાએ તેની હત્યા કરી મૃતદેહને નાળામાં ફેંકી દીધો હતો. બિનવારસી હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો જે બાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.  


માતા થઈ કુમાતા!

આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે પુત્ર કુપુત્ર થાય પરંતુ માતા કુમાતા થતી નથી. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં માતા રક્ષક બની પોતાના બાળકની રક્ષા કરતી હોય છે. બાળક પર કોઈ આંચ આવે તો માતાનું દિલ તડપી ઉઠતું હોય છે. ત્યારે સુરેન્દ્રનગરથી એક એવો કિસ્સો સામે આવ્યો છે રૂંવાડા ઉભા કરી દે તેવો છે. માતા પિતાએ જ દોઢ વર્ષની દીકરીને મોતને ઘાટ ઉતારી છે. હત્યા કર્યા બાદ બાળકીના મૃતદેહ નાળામાંથી ફેંકી દીધો હતો. માસુમ બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને બાળકીના માતા પિતા વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. 


અપશુકનિયાળ માની માતા પિતાએ કરી બાળકીની હત્યા!  

પોલીસ તપાસમાં એવા અનેક ખુલાસા સામે આવ્યા જે હચમચાવી દે તેવા છે. પોલીસે જ્યારે આ મામલે મૃત બાળકીના માતા પિતાની પૂછપરછ કરી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર માતા પિતા સાથે બાળકી ખડગુંદા ગામ જઈ રહી હતી. ત્યારે રસ્તામાં એક હોટલ પાસે તેમનું બાઈક સ્લીપ થઈ ગયું હતું. જેને લઈ માતા પિતા અને બાળકી નીચે પટકાયા. ત્યારે દીકરી અપશુકનિયાળ હોવાને કારણે બાઈક સ્લીપ થયું હોવાની વાત બાળકીના પિતાએ બાળકીની માતાને જણાવી. ત્યાં જ ગળું દબાવીને માસુમ બાળકીની હત્યા તેના જ માતા પિતાએ કરી દીધી. હત્યા કર્યા બાદ બાળકી રૂહીની લાશને હાઈવે નજીક આવેલા નાળામાં ફેંકી ગીધી હતી. 


બાળકીના માતા પિતાની કરાઈ અટકાયત!

બાળકનો મૃતદેહ મળી આવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. શંકાસ્પદ હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવતા પહેલા તાંત્રિક વિધી થઈ હોવાની આશંકા ગઈ. પોલીસે બાળકીનો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધો હતો. બાળકની હત્યા કેમ કરવામાં આવી તેના કારણોને જાણવામાં પોલીસ લાગી હતી તે દરમિયાન કોની બાળકી છે તેની જાણ થઈ હતી. બાળકીના માતા પિતા કોણ છે તે અંગે પોલીસને માહિતી મળ્યા બાદ પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી. અને જે બાદ માતા પિતાની અટકાયત કરી હતી અને આ મામલે પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે માતા પિતા બાળકીને અપશુકનિયાળ માનતા હતા જેને લઈ આ પગલું તેમના દ્વારા ભરવામાં આવ્યું છે.  


અંધશ્રદ્ધાના નામે કેટલા માસુમો ગુમાવશે પોતાનો જીવ!

ત્યારે પ્રશ્ન એ થાય કે કેવી રીતે માતા પિતા પોતાની બાળકીનો જીવ લઈ શકે છે. માવતર કેવી રીતે કુમાવતર થઈ શકે છે? ક્યાં સુધી અંધશ્રદ્ધા અને અપશુકનિયાળ માનીને જીવ લેવાતા રહેશે? એક તરફ દીકરા -દીકરી એક સમાનની વાતો કરીએ છીએ. ડીઝિટલ યુગમાં તો આપણે ભલે આવી ગયા પરંતુ આપણે આપણા વિચારો બદલવાની જરૂર છે. અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં બાળકીને બોજો માનીને તેની હત્યા કરવામાં આવતી હોય છે. ત્યારે ક્યાં સુધી અંધશ્રદ્ધાના નામે આ બધું ચાલતું રહેશે?   



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?