ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન મિશેલની જામીન અરજી સુપ્રીમે ફગાવી, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-02-07 17:29:30

ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર કૌંભાંડમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન મિશેલ જેમ્સની જામીન અરજી ફગાવી દીધી છે. આ કૌંભાંડમાં સીબીઆઈ અને ઈડીએ બે અલગ-અલગ કેસ નોંધ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે 3600 કરોડ રૂપિયાનું આ કથિત કૌંભાડ ઓગસ્ટા વેસ્ટલેન્ડ પાસેથી 12 વીવીઆઈપી હેલિકોપ્ટરોની ખરીદી સંબંધિત છે.  


કોર્ટે જેમ્સની દલીલ ફગાવી


સુપ્રીમ કોર્ટમાં આજે મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટિસ નરસિમ્હા અને જે બી પારડીવાલાની બેન્ચે કહ્યું કે જેમ્સની દલીલ છે કે તેણે આ કેસમાં મહત્તમ સજાના અડધા ભાગની સજા કાપી લીધી છે તો તર્ક સ્વીકારી શકાય નહીં.


ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌંભાંડ શું છે?


ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટરોના સોદામાં ક્રિશ્ચિયન મિશેલક કથિત વચેટિયો છે. ભારત દ્વારા દુબઈમાં પ્રત્યાર્પણ કેસ જીત્યા બાદ વર્ષ 2018માં ક્રિશ્ચિયન મિશેલ જેમ્સને પ્રત્યાર્પિત કરવામાં આવ્યા હતા. સંયુક્ત અરબ અમિરાતથી પ્રત્યાર્પિત કરવામાં આવ્યા બાદ વર્તમાનમાં તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરની ખરીદીથી સંબંધીત 3600 કરોડ રૂપિયાના તે કથિત કૌંભાંડની શ્રૃંખલામાં દુબઈ સ્થિત બિઝનેશ મેન રાજીવ સક્સેનાને પણ 31 જાન્યુઆરી 2019ના ભારતથી પ્રત્યાર્પિત કરવામાં આવ્યા હતા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.