ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન મિશેલની જામીન અરજી સુપ્રીમે ફગાવી, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-02-07 17:29:30

ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર કૌંભાંડમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન મિશેલ જેમ્સની જામીન અરજી ફગાવી દીધી છે. આ કૌંભાંડમાં સીબીઆઈ અને ઈડીએ બે અલગ-અલગ કેસ નોંધ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે 3600 કરોડ રૂપિયાનું આ કથિત કૌંભાડ ઓગસ્ટા વેસ્ટલેન્ડ પાસેથી 12 વીવીઆઈપી હેલિકોપ્ટરોની ખરીદી સંબંધિત છે.  


કોર્ટે જેમ્સની દલીલ ફગાવી


સુપ્રીમ કોર્ટમાં આજે મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટિસ નરસિમ્હા અને જે બી પારડીવાલાની બેન્ચે કહ્યું કે જેમ્સની દલીલ છે કે તેણે આ કેસમાં મહત્તમ સજાના અડધા ભાગની સજા કાપી લીધી છે તો તર્ક સ્વીકારી શકાય નહીં.


ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌંભાંડ શું છે?


ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટરોના સોદામાં ક્રિશ્ચિયન મિશેલક કથિત વચેટિયો છે. ભારત દ્વારા દુબઈમાં પ્રત્યાર્પણ કેસ જીત્યા બાદ વર્ષ 2018માં ક્રિશ્ચિયન મિશેલ જેમ્સને પ્રત્યાર્પિત કરવામાં આવ્યા હતા. સંયુક્ત અરબ અમિરાતથી પ્રત્યાર્પિત કરવામાં આવ્યા બાદ વર્તમાનમાં તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરની ખરીદીથી સંબંધીત 3600 કરોડ રૂપિયાના તે કથિત કૌંભાંડની શ્રૃંખલામાં દુબઈ સ્થિત બિઝનેશ મેન રાજીવ સક્સેનાને પણ 31 જાન્યુઆરી 2019ના ભારતથી પ્રત્યાર્પિત કરવામાં આવ્યા હતા.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.