ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન મિશેલની જામીન અરજી સુપ્રીમે ફગાવી, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-02-07 17:29:30

ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર કૌંભાંડમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન મિશેલ જેમ્સની જામીન અરજી ફગાવી દીધી છે. આ કૌંભાંડમાં સીબીઆઈ અને ઈડીએ બે અલગ-અલગ કેસ નોંધ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે 3600 કરોડ રૂપિયાનું આ કથિત કૌંભાડ ઓગસ્ટા વેસ્ટલેન્ડ પાસેથી 12 વીવીઆઈપી હેલિકોપ્ટરોની ખરીદી સંબંધિત છે.  


કોર્ટે જેમ્સની દલીલ ફગાવી


સુપ્રીમ કોર્ટમાં આજે મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટિસ નરસિમ્હા અને જે બી પારડીવાલાની બેન્ચે કહ્યું કે જેમ્સની દલીલ છે કે તેણે આ કેસમાં મહત્તમ સજાના અડધા ભાગની સજા કાપી લીધી છે તો તર્ક સ્વીકારી શકાય નહીં.


ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌંભાંડ શું છે?


ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટરોના સોદામાં ક્રિશ્ચિયન મિશેલક કથિત વચેટિયો છે. ભારત દ્વારા દુબઈમાં પ્રત્યાર્પણ કેસ જીત્યા બાદ વર્ષ 2018માં ક્રિશ્ચિયન મિશેલ જેમ્સને પ્રત્યાર્પિત કરવામાં આવ્યા હતા. સંયુક્ત અરબ અમિરાતથી પ્રત્યાર્પિત કરવામાં આવ્યા બાદ વર્તમાનમાં તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરની ખરીદીથી સંબંધીત 3600 કરોડ રૂપિયાના તે કથિત કૌંભાંડની શ્રૃંખલામાં દુબઈ સ્થિત બિઝનેશ મેન રાજીવ સક્સેનાને પણ 31 જાન્યુઆરી 2019ના ભારતથી પ્રત્યાર્પિત કરવામાં આવ્યા હતા.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.