ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન મિશેલની જામીન અરજી સુપ્રીમે ફગાવી, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-02-07 17:29:30

ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર કૌંભાંડમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન મિશેલ જેમ્સની જામીન અરજી ફગાવી દીધી છે. આ કૌંભાંડમાં સીબીઆઈ અને ઈડીએ બે અલગ-અલગ કેસ નોંધ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે 3600 કરોડ રૂપિયાનું આ કથિત કૌંભાડ ઓગસ્ટા વેસ્ટલેન્ડ પાસેથી 12 વીવીઆઈપી હેલિકોપ્ટરોની ખરીદી સંબંધિત છે.  


કોર્ટે જેમ્સની દલીલ ફગાવી


સુપ્રીમ કોર્ટમાં આજે મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટિસ નરસિમ્હા અને જે બી પારડીવાલાની બેન્ચે કહ્યું કે જેમ્સની દલીલ છે કે તેણે આ કેસમાં મહત્તમ સજાના અડધા ભાગની સજા કાપી લીધી છે તો તર્ક સ્વીકારી શકાય નહીં.


ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌંભાંડ શું છે?


ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટરોના સોદામાં ક્રિશ્ચિયન મિશેલક કથિત વચેટિયો છે. ભારત દ્વારા દુબઈમાં પ્રત્યાર્પણ કેસ જીત્યા બાદ વર્ષ 2018માં ક્રિશ્ચિયન મિશેલ જેમ્સને પ્રત્યાર્પિત કરવામાં આવ્યા હતા. સંયુક્ત અરબ અમિરાતથી પ્રત્યાર્પિત કરવામાં આવ્યા બાદ વર્તમાનમાં તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરની ખરીદીથી સંબંધીત 3600 કરોડ રૂપિયાના તે કથિત કૌંભાંડની શ્રૃંખલામાં દુબઈ સ્થિત બિઝનેશ મેન રાજીવ સક્સેનાને પણ 31 જાન્યુઆરી 2019ના ભારતથી પ્રત્યાર્પિત કરવામાં આવ્યા હતા.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.