બળજબરીપુર્વક થતાં ધર્માંતરણ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી


  • Published By :
  • Published Date : 2022-11-14 17:20:27


સુપ્રીમ કોર્ટે બળજબરીપુર્વક થતાં ધર્માંતરણ પર ખૂબ જ કડક ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે બળજબરીથી થતું ધર્મ પરિવર્તન એ ખૂબ જ ગંભીર મુદ્દો છે. તેમણે કહ્યું કે તેનાથી દેશની સુરક્ષા અને ધર્મની સ્વતંત્રતા પર પણ અસર પડે છે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે તે બળજબરીથી થતા ધર્માંતરણને રોકવા માટે શું કરી રહી છે. આ સાથે ગેરકાયદે ધર્માંતરણ પર કાયદો બનાવવાની માંગ અંગે 22 નવેમ્બર સુધીમાં જવાબ માંગવામાં આવ્યો છે. આ કેસમાં સુનાવણીની આગામી તારીખ 28 નવેમ્બર નક્કી કરવામાં આવી છે.


કેન્દ્રએ એફિડેવિટ ફાઇલ કરવી પડશે


સુનાવણી દરમિયાન ટિપ્પણી કરતા, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આદિવાસી વિસ્તારોમાં થઈ રહેલા ધર્મ પરિવર્તન વિશે વાત કરી. આ સાથે જ સરકારને પૂછ્યું કે તે આવા કેસમાં શું પગલા લઈ રહી છે. સોલિસિટર જનરલે એમ પણ કહ્યું કે રાજ્યો પાસે આ મામલે કાયદો હોઈ શકે છે. પરંતુ અમે જાણવા માંગીએ છીએ કે કેન્દ્ર આ મામલે શું કરી રહ્યું છે. બેંચે બળજબરીથી ધર્માંતરણ સામે કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા 22 પગલાંની વિગતો આપતું એફિડેવિટ માંગ્યું છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.