મોદી સરકારની મુશ્કેલી વધી, BBCની ડોક્યુમેન્ટરી મુદ્દે સુપ્રીમે કેન્દ્ર સરકાર પાસે 3 સપ્તાહમાં જવાબ માગ્યો


  • Published By :
  • Published Date : 2023-02-03 15:23:08

BBCની ડોક્યુમેન્ટરી  India: The Modi Questionને લઈ વિવાદ સતત વધી રહ્યો છે. આજે સુપ્રીમ કોર્ટે  2002ના ગુજરાત રમખાણો અંગેની આ ડોક્યુમેન્ટરીને સેન્સર કરવાથી રોકવાને લઈ કેન્દ્ર સરકારને નિર્દેશ આપનારી માગ કરતી અરજી પર મોદી સરકારને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ સપ્તાહમાં જવાબ રજુ કરવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને બ્લોક કરવાના તેના નિર્ણય સંબંધિત તાજેતરના રેકોર્ડ રજુ કરવાનું કહ્યું છે. આ મામલે આગામી સુનાવણી હવે એપ્રીલમાં થશે. 


સુપ્રીમ કોર્ટમાં થઈ હતી અરજી


અગ્રણી પત્રકાર એન રામ, ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા અને એડવોકેટ પ્રશાંત ભૂષણ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સીયુ સિંહે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ એક એવો કેસ છે જ્યાં જાહેર ડોમેનમાં આદેશો આપ્યા વિના કટોકટી સત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે માહિતી આપી હતી કે ડોક્યુમેન્ટ્રીની લિંક શેર કરતી ટ્વીટ્સને બ્લોક કરી દેવામાં આવી છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે સરકારને આ સંબંધિત આદેશ દાખલ કરવા કહી રહ્યા છીએ અને તેની તપાસ કરીશું.


કેન્દ્રએ 21 જાન્યુ.એ પ્રતિબંધ મૂક્યો હતો


કેન્દ્ર સરકારે 21 જાન્યુઆરીએ BBCની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી "India: The Modi Question" પર દેશમાં પ્રતિબંધ લગાવી દીધો હતો. જો કે, ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થી સંગઠનોએ ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગને લઈને હોબાળો મચાવ્યો હતો, જેના કારણે વિવાદ થયો હતો.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.