મોદી સરકારની મુશ્કેલી વધી, BBCની ડોક્યુમેન્ટરી મુદ્દે સુપ્રીમે કેન્દ્ર સરકાર પાસે 3 સપ્તાહમાં જવાબ માગ્યો


  • Published By :
  • Published Date : 2023-02-03 15:23:08

BBCની ડોક્યુમેન્ટરી  India: The Modi Questionને લઈ વિવાદ સતત વધી રહ્યો છે. આજે સુપ્રીમ કોર્ટે  2002ના ગુજરાત રમખાણો અંગેની આ ડોક્યુમેન્ટરીને સેન્સર કરવાથી રોકવાને લઈ કેન્દ્ર સરકારને નિર્દેશ આપનારી માગ કરતી અરજી પર મોદી સરકારને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ સપ્તાહમાં જવાબ રજુ કરવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને બ્લોક કરવાના તેના નિર્ણય સંબંધિત તાજેતરના રેકોર્ડ રજુ કરવાનું કહ્યું છે. આ મામલે આગામી સુનાવણી હવે એપ્રીલમાં થશે. 


સુપ્રીમ કોર્ટમાં થઈ હતી અરજી


અગ્રણી પત્રકાર એન રામ, ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા અને એડવોકેટ પ્રશાંત ભૂષણ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સીયુ સિંહે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ એક એવો કેસ છે જ્યાં જાહેર ડોમેનમાં આદેશો આપ્યા વિના કટોકટી સત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે માહિતી આપી હતી કે ડોક્યુમેન્ટ્રીની લિંક શેર કરતી ટ્વીટ્સને બ્લોક કરી દેવામાં આવી છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે સરકારને આ સંબંધિત આદેશ દાખલ કરવા કહી રહ્યા છીએ અને તેની તપાસ કરીશું.


કેન્દ્રએ 21 જાન્યુ.એ પ્રતિબંધ મૂક્યો હતો


કેન્દ્ર સરકારે 21 જાન્યુઆરીએ BBCની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી "India: The Modi Question" પર દેશમાં પ્રતિબંધ લગાવી દીધો હતો. જો કે, ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થી સંગઠનોએ ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગને લઈને હોબાળો મચાવ્યો હતો, જેના કારણે વિવાદ થયો હતો.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.