મોદી સરકારની મુશ્કેલી વધી, BBCની ડોક્યુમેન્ટરી મુદ્દે સુપ્રીમે કેન્દ્ર સરકાર પાસે 3 સપ્તાહમાં જવાબ માગ્યો


  • Published By :
  • Published Date : 2023-02-03 15:23:08

BBCની ડોક્યુમેન્ટરી  India: The Modi Questionને લઈ વિવાદ સતત વધી રહ્યો છે. આજે સુપ્રીમ કોર્ટે  2002ના ગુજરાત રમખાણો અંગેની આ ડોક્યુમેન્ટરીને સેન્સર કરવાથી રોકવાને લઈ કેન્દ્ર સરકારને નિર્દેશ આપનારી માગ કરતી અરજી પર મોદી સરકારને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ સપ્તાહમાં જવાબ રજુ કરવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને બ્લોક કરવાના તેના નિર્ણય સંબંધિત તાજેતરના રેકોર્ડ રજુ કરવાનું કહ્યું છે. આ મામલે આગામી સુનાવણી હવે એપ્રીલમાં થશે. 


સુપ્રીમ કોર્ટમાં થઈ હતી અરજી


અગ્રણી પત્રકાર એન રામ, ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા અને એડવોકેટ પ્રશાંત ભૂષણ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સીયુ સિંહે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ એક એવો કેસ છે જ્યાં જાહેર ડોમેનમાં આદેશો આપ્યા વિના કટોકટી સત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે માહિતી આપી હતી કે ડોક્યુમેન્ટ્રીની લિંક શેર કરતી ટ્વીટ્સને બ્લોક કરી દેવામાં આવી છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે સરકારને આ સંબંધિત આદેશ દાખલ કરવા કહી રહ્યા છીએ અને તેની તપાસ કરીશું.


કેન્દ્રએ 21 જાન્યુ.એ પ્રતિબંધ મૂક્યો હતો


કેન્દ્ર સરકારે 21 જાન્યુઆરીએ BBCની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી "India: The Modi Question" પર દેશમાં પ્રતિબંધ લગાવી દીધો હતો. જો કે, ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થી સંગઠનોએ ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગને લઈને હોબાળો મચાવ્યો હતો, જેના કારણે વિવાદ થયો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.