સુપ્રીમ કોર્ટ કોલેજીયમે 7 રાજ્યોના મુખ્ય ન્યાયાધીશ માટે કરી ભલામણ, ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ સુનિતા અગ્રવાલની થશે નિમણૂક


  • Published By :
  • Published Date : 2023-07-06 15:15:09

દેશના સાત રાજ્યોની હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસની નિમણૂક માટે સુપ્રીમ કોર્ટ કોલેજીયમ દ્વારા ભલામણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેન્દ્ર સરકારને આ ભલામણ કરી હતી. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ માટે  જસ્‍ટિસ સુનીતા અગ્રવાલની ભલામણ કરી છે. તે ઉપરાંત કોલેજિયમે બુધવારે બોમ્‍બે, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મણિપુર, ઓડિશા અને કેરળની હાઈકોર્ટના મુખ્‍ય ન્‍યાયાધીશોની નિમણૂકની ભલામણ કરી છે. 


કોણ છે સુનિતા અગ્રવાલ?


ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂક માટેની કોલજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટને આ બીજા મહિલા ચીફ જસ્ટિસ મળે તેવી સંભાવના રહેલી છે. સુનિતા અગ્રવાલ અલાહાબાદ હાઇકોર્ટમાં જજ રહી ચૂક્યા છે. 21 નવેમ્બર, 2011માં તેઓ અલાહાબાદ હાઇકોર્ટમાં જજ બન્યા હતા, તેઓ ત્યાંના સૌથી સિનિયર જજ હતા. હાઇકોર્ટમાં 11 વર્ષ કરતા વધુ જજ તરીકેનો તેમને અનુભવ છે. તેઓની નિમણૂક કરવામાં આવે તો ગુજરાત રાજ્યના બીજા મહિલા ચીફ જસ્ટિસ હશે. તો વર્તમાન ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ આશિષ દેસાઈને કેરળ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા માટે ભલામણ કરવામાં આવી છે.


આ રાજ્યોને પણ મળશે ચીફ જસ્ટીસ


સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેરળ, ઓડિશા, મણિપુર, આંધ્રપ્રદેશ, બોમ્બે, તેલંગાણા હાઈકોર્ટ માટે પણ મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરવાની ભલામણ કરી છે. જેમ કે કેરળ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ આશિષ જે દેસાઈની ભલામણ કરવામાં આવી છે. જ્યારે ઓરિસ્સા હાઈકોર્ટ માટેસુભાસીસ તાલપાત્રા, મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ સિદ્ધાર્થ મૃદુલ, જસ્‍ટિસ દેવેન્‍દ્ર કુમાર ઉપાધ્‍યાયની બોમ્‍બે હાઈકોર્ટ માટે, તેલંગાણા હાઈકોર્ટ માટે જસ્‍ટિસ આલોક આરાધે,  ધીરજ સિંહ ઠાકુરની આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ માટે ભલામણ કરવામાં આવી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.