સુપ્રીમ કોર્ટ કોલેજીયમે 7 રાજ્યોના મુખ્ય ન્યાયાધીશ માટે કરી ભલામણ, ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ સુનિતા અગ્રવાલની થશે નિમણૂક


  • Published By :
  • Published Date : 2023-07-06 15:15:09

દેશના સાત રાજ્યોની હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસની નિમણૂક માટે સુપ્રીમ કોર્ટ કોલેજીયમ દ્વારા ભલામણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેન્દ્ર સરકારને આ ભલામણ કરી હતી. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ માટે  જસ્‍ટિસ સુનીતા અગ્રવાલની ભલામણ કરી છે. તે ઉપરાંત કોલેજિયમે બુધવારે બોમ્‍બે, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મણિપુર, ઓડિશા અને કેરળની હાઈકોર્ટના મુખ્‍ય ન્‍યાયાધીશોની નિમણૂકની ભલામણ કરી છે. 


કોણ છે સુનિતા અગ્રવાલ?


ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂક માટેની કોલજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટને આ બીજા મહિલા ચીફ જસ્ટિસ મળે તેવી સંભાવના રહેલી છે. સુનિતા અગ્રવાલ અલાહાબાદ હાઇકોર્ટમાં જજ રહી ચૂક્યા છે. 21 નવેમ્બર, 2011માં તેઓ અલાહાબાદ હાઇકોર્ટમાં જજ બન્યા હતા, તેઓ ત્યાંના સૌથી સિનિયર જજ હતા. હાઇકોર્ટમાં 11 વર્ષ કરતા વધુ જજ તરીકેનો તેમને અનુભવ છે. તેઓની નિમણૂક કરવામાં આવે તો ગુજરાત રાજ્યના બીજા મહિલા ચીફ જસ્ટિસ હશે. તો વર્તમાન ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ આશિષ દેસાઈને કેરળ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા માટે ભલામણ કરવામાં આવી છે.


આ રાજ્યોને પણ મળશે ચીફ જસ્ટીસ


સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેરળ, ઓડિશા, મણિપુર, આંધ્રપ્રદેશ, બોમ્બે, તેલંગાણા હાઈકોર્ટ માટે પણ મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરવાની ભલામણ કરી છે. જેમ કે કેરળ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ આશિષ જે દેસાઈની ભલામણ કરવામાં આવી છે. જ્યારે ઓરિસ્સા હાઈકોર્ટ માટેસુભાસીસ તાલપાત્રા, મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ સિદ્ધાર્થ મૃદુલ, જસ્‍ટિસ દેવેન્‍દ્ર કુમાર ઉપાધ્‍યાયની બોમ્‍બે હાઈકોર્ટ માટે, તેલંગાણા હાઈકોર્ટ માટે જસ્‍ટિસ આલોક આરાધે,  ધીરજ સિંહ ઠાકુરની આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ માટે ભલામણ કરવામાં આવી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.