ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગ કરતી અરજી સુપ્રીમે ફગાવી, દંડ ફટકારવાની વકીલને ચેતવણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 18:14:46

ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરતી અરજી આજે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો હતો. જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ અભય એસ ઓકાએ અરજીકર્તાને પૂછ્યું કે આનાથી કયો મૂળભૂત અધિકાર પ્રભાવિત થઈ રહ્યો છે. બેન્ચે કહ્યું, 'શું આ કોર્ટનું કામ છે? તમે આવી અરજીઓ કેમ કરો છો કે અમારે દંડ ફટકારવો પડે? કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયું? તમે કોર્ટમાં આવ્યા છો તો શું અમે નકારાત્મક પરિણામની પરવા કર્યા વગર જ આમ કરીએ?'


બિન-સરકારી સંસ્થા ગોવંશ સેવા સદને કરી હતી અરજી


અરજદાર તરફથી હાજર રહેલા વકીલે કોર્ટમાં કહ્યું કે ગાયની રક્ષા કરવી ખુબ જ જરૂરી છે. બેન્ચે વકીલને ચેતવણી આપી હતી કે તે દંડ ફટકારશે, ત્યારબાદ તેમણે અરજી પાછી ખેંચી લીધી અને કેસ કાઢી નાખવામાં આવ્યો. સર્વોચ્ચ અદાલત બિન-સરકારી સંસ્થા ગોવંશ સેવા સદન અને અન્યો દ્વારા દાખલ કરવામાં આવેલી PILની સુનાવણી કરી રહી હતી. જેમાં ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.