ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગ કરતી અરજી સુપ્રીમે ફગાવી, દંડ ફટકારવાની વકીલને ચેતવણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 18:14:46

ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરતી અરજી આજે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો હતો. જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ અભય એસ ઓકાએ અરજીકર્તાને પૂછ્યું કે આનાથી કયો મૂળભૂત અધિકાર પ્રભાવિત થઈ રહ્યો છે. બેન્ચે કહ્યું, 'શું આ કોર્ટનું કામ છે? તમે આવી અરજીઓ કેમ કરો છો કે અમારે દંડ ફટકારવો પડે? કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયું? તમે કોર્ટમાં આવ્યા છો તો શું અમે નકારાત્મક પરિણામની પરવા કર્યા વગર જ આમ કરીએ?'


બિન-સરકારી સંસ્થા ગોવંશ સેવા સદને કરી હતી અરજી


અરજદાર તરફથી હાજર રહેલા વકીલે કોર્ટમાં કહ્યું કે ગાયની રક્ષા કરવી ખુબ જ જરૂરી છે. બેન્ચે વકીલને ચેતવણી આપી હતી કે તે દંડ ફટકારશે, ત્યારબાદ તેમણે અરજી પાછી ખેંચી લીધી અને કેસ કાઢી નાખવામાં આવ્યો. સર્વોચ્ચ અદાલત બિન-સરકારી સંસ્થા ગોવંશ સેવા સદન અને અન્યો દ્વારા દાખલ કરવામાં આવેલી PILની સુનાવણી કરી રહી હતી. જેમાં ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .