ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગ કરતી અરજી સુપ્રીમે ફગાવી, દંડ ફટકારવાની વકીલને ચેતવણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 18:14:46

ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરતી અરજી આજે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો હતો. જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ અભય એસ ઓકાએ અરજીકર્તાને પૂછ્યું કે આનાથી કયો મૂળભૂત અધિકાર પ્રભાવિત થઈ રહ્યો છે. બેન્ચે કહ્યું, 'શું આ કોર્ટનું કામ છે? તમે આવી અરજીઓ કેમ કરો છો કે અમારે દંડ ફટકારવો પડે? કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયું? તમે કોર્ટમાં આવ્યા છો તો શું અમે નકારાત્મક પરિણામની પરવા કર્યા વગર જ આમ કરીએ?'


બિન-સરકારી સંસ્થા ગોવંશ સેવા સદને કરી હતી અરજી


અરજદાર તરફથી હાજર રહેલા વકીલે કોર્ટમાં કહ્યું કે ગાયની રક્ષા કરવી ખુબ જ જરૂરી છે. બેન્ચે વકીલને ચેતવણી આપી હતી કે તે દંડ ફટકારશે, ત્યારબાદ તેમણે અરજી પાછી ખેંચી લીધી અને કેસ કાઢી નાખવામાં આવ્યો. સર્વોચ્ચ અદાલત બિન-સરકારી સંસ્થા ગોવંશ સેવા સદન અને અન્યો દ્વારા દાખલ કરવામાં આવેલી PILની સુનાવણી કરી રહી હતી. જેમાં ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી.



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.