નોટબંધી મામલે મોદી સરકારને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે ડિમોનિટાઈઝેશનને યોગ્ય નિર્ણય ગણાવ્યો


  • Published By :
  • Published Date : 2023-01-02 12:31:39

મોદી સરકારે 8 નવેમ્બર 2016એ અચાનક દેશમાં નોટબંધી લાગુ કરી દીધી હતી. કેન્દ્ર સરકારે એકી ઝાટકે ર્ટે 1000 અને 500 રૂપિયાની ચલણી નોટો પર પ્રતિબંધ મુકતા લોકોની હાલત કફોડી થઈ હતી. જો કે કેન્દ્ર સરકારના આ નિર્ણયને નવેમ્બર 2016ના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. જો કે સુપ્રીમ  કોર્ટે આજે મહત્વનો ચુદાદો આપી કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને  યોગ્ય ગણાવ્યો હતો. આ સાથે જ કેન્દ્રની મોદી સરકારે રાહતનો શ્વાસ લીધો છે.


પાંચ જજની બેન્ચે આપ્યો ચુકાદો


સુપ્રીમ કોર્ટે 1000 અને 500 રૂપિયાની ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્રના નવેમ્બર 2016ના નિર્ણયને પડકારતી અરજીઓને ફગાવીને નોટબંધીને યોગ્ય જાહેર કરી છે. સરકારના આ પગલાંથી રાતોરાત 10 લાખ કરોડ રૂપિયા સર્ક્યુલેશનમાંથી પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. જસ્ટિસ એસ. એ. નઝીરની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો હતો. આ નિર્ણય સંભળાવનારી બેંચમાં જસ્ટિસ અબ્દુલ નઝીર, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ એ.એસ.બોપન્ના, જસ્ટિસ વી. રામાસુબ્રમણ્યન, અને જસ્ટિસ બી.વી. નાગરત્ના સામેલ છે.



કેન્દ્ર સરકારના નિર્ણયને કોણે પડકાર્યો? 


આ કેસમાં અરજદારો દલીલ કરે હતી કે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમની કલમ 26(2) સરકારને ચોક્કસ મૂલ્યની ચલણી નોટોને સંપૂર્ણપણે રદ કરવા માટે અધિકૃત કરતી નથી. કલમ 26(2) કેન્દ્રને ચોક્કસ શ્રેણીની ચલણી નોટો રદ કરવાની સત્તા આપે છે અને સમગ્ર ચલણી નોટોને નહીં. જો કે નોટબંધીના નિર્ણયને પડકારતી તમામ 58 અરજી અમાન્ય ઠેરવવામાં આવી હતી. નોટબંધીનો નિર્ણય સાચો છે કે ખોટો આ મુ્દે સુપ્રીમ કોર્ટમાં દલીલો થઈ હતી જેમાં એક પક્ષકાર તરીકે સુપ્રીમ કોર્ટ અને આરબીઆઈ પણ હતી. સુપ્રીમ કોર્ટના  5 જજોની બેન્ચ આ અંગે પોતાનો નિર્ણય આપ્યો હતો અને કહ્યું હતું કે સરકારે નોટબંધી કરી તે પગલું યોગ્ય હતું.



કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં શું દલીલ કરી? 


સુપ્રીમ કોર્ટમાં નોટબંધીના નિર્ણય સામે થયેલી અરજીઓના જવાબમાં કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને પોતાનો પક્ષ રજુ કર્યો  હતો. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રના વકીલે દલીલ કરતા જણાવ્યું હતું કે, નકલી નોટો, બિનહિસાબી નાણાં અને આતંકવાદ જેવી પ્રવૃત્તિઓ સામે લડવા માટે નોટબંધી એક મહત્વપૂર્ણ પગલું છે. ડિમોનેટાઇઝેશનને અન્ય તમામ સંબંધિત આર્થિક નીતિના પગલાંથી અલગ કરીને જોવું અથવા તપાસવું જોઈએ નહીં. આર્થિક પ્રણાલીમાં જે પ્રચંડ લાભો પ્રાપ્ત થયા છે તેની તુલના લોકો દ્વારા એક વખતની મુશ્કેલીઓ સાથે કરી શકાતી નથી. નોટબંધીથી મોટાભાગે સિસ્ટમમાંથી નકલી ચલણ દૂર થઈ ગયું. ડિમોનેટાઈઝેશનથી ડિજિટલ ઈકોનોમીને પ્રોત્સાહન મળ્યું છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.