ED ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાને સુપ્રીમે આપ્યો ઝટકો, એક્સટેંશનને ગણાવ્યું ગેરકાનુની, 31 જુલાઈ સુધી રહી શકશે હોદ્દા પર


  • Published By :
  • Published Date : 2023-07-11 18:16:14

સુપ્રીમ કોર્ટે મંગળવારે ED ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાને મોટો ઝટકો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ ત્રીજી વખત વધારવાના કેન્દ્ર સરકારના નિર્ણયને ગેર-કાનુની ગણાવ્યો છે. જો કે કોર્ટના આ દેશ છતાં પણ સંજય મિશ્રા 31 જુલાઈ સુધી પદ પર રહેશે. આ સમયગાળા દરમિયાન સરકારે નવા ED ચીફની નિમણૂક કરવી પડશે.


કેન્દ્ર સરકારે 3 વખત વધાર્યો હતો કાર્યકાળ


કેન્દ્ર સરકારે સંજય મિશ્રાનો કાર્યકાળ ત્રણ વખત વધાર્યો હતો. આ પહેલા સંજય મિશ્રા 18 નવેમ્બરે નિવૃત થવાના હતા. જો કે કેન્દ્ર સરકારે વટહુકમ દ્વારા તેમનો કાર્યકાળ સતત ત્રીજી વખત વધાર્યો હતો. સુપ્રીમ કોર્ટે અગાઉ પણ કહ્યું હતું કે બીજી વખત સંજય મિશ્રાનો કાર્યકાળ વધારવામાં ન આવે. 


કેન્દ્ર સરકારે સુપ્રીમમાં કરી આ દલીલ


ઈડી ચીફ સંજય મિશ્રાને પદ પર જાળવી રાખવા કેન્દ્ર સરકાર સતત તેમનો બચાવ કરતી હતી. કેન્દ્ર સરકારે સંજય મિશ્રાને મામલે સુપ્રીમ કોર્ટમાં તર્ક આપ્યો હતો કે સંજય મિશ્રાનું સ્થાન લઈ શકે તેવો કોઈ અધિકારી હાલ નથી. તેઓ હાલ મની લોન્ડ્રિગના અનેક કેસ જોઈ રહ્યા છે. આ સ્થિતીમાં નવી નિમણૂક માટે થોડો વધુ સમય જોઈએ છે.


કોણે કરી હતી અરજી? 


EDના ડાઈરેક્ટર સંજય મિશ્રાને સરકાર તરફથી મળેલા એક્સટેન્શનને સુપ્રીમ કોર્ટે ગેરકાનુની ગણાવ્યું છે. સર્વોચ્ચ અદાલતનું કહેવું છે કે વર્ષ 2021માં એનજીઓ કોમન કોઝના કેસમાં જે ચુકાદો આપ્યો હતો તેની આ કેસમાં અવગણના થઈ છે. સંજય મિશ્રા મામલે કોમન કોઝ ઉપરાંત કોંગ્રેસના નેતા જયા ઠાકુર, રણદીપ સુરજેવાલાસ ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા, સાકેત ગોખલે પણ તેમની અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે ગત સુનાવણીમાં તેનો ચુકાદો અનામત રાખ્યો હતો.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.