ED ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાને સુપ્રીમે આપ્યો ઝટકો, એક્સટેંશનને ગણાવ્યું ગેરકાનુની, 31 જુલાઈ સુધી રહી શકશે હોદ્દા પર


  • Published By :
  • Published Date : 2023-07-11 18:16:14

સુપ્રીમ કોર્ટે મંગળવારે ED ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાને મોટો ઝટકો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ ત્રીજી વખત વધારવાના કેન્દ્ર સરકારના નિર્ણયને ગેર-કાનુની ગણાવ્યો છે. જો કે કોર્ટના આ દેશ છતાં પણ સંજય મિશ્રા 31 જુલાઈ સુધી પદ પર રહેશે. આ સમયગાળા દરમિયાન સરકારે નવા ED ચીફની નિમણૂક કરવી પડશે.


કેન્દ્ર સરકારે 3 વખત વધાર્યો હતો કાર્યકાળ


કેન્દ્ર સરકારે સંજય મિશ્રાનો કાર્યકાળ ત્રણ વખત વધાર્યો હતો. આ પહેલા સંજય મિશ્રા 18 નવેમ્બરે નિવૃત થવાના હતા. જો કે કેન્દ્ર સરકારે વટહુકમ દ્વારા તેમનો કાર્યકાળ સતત ત્રીજી વખત વધાર્યો હતો. સુપ્રીમ કોર્ટે અગાઉ પણ કહ્યું હતું કે બીજી વખત સંજય મિશ્રાનો કાર્યકાળ વધારવામાં ન આવે. 


કેન્દ્ર સરકારે સુપ્રીમમાં કરી આ દલીલ


ઈડી ચીફ સંજય મિશ્રાને પદ પર જાળવી રાખવા કેન્દ્ર સરકાર સતત તેમનો બચાવ કરતી હતી. કેન્દ્ર સરકારે સંજય મિશ્રાને મામલે સુપ્રીમ કોર્ટમાં તર્ક આપ્યો હતો કે સંજય મિશ્રાનું સ્થાન લઈ શકે તેવો કોઈ અધિકારી હાલ નથી. તેઓ હાલ મની લોન્ડ્રિગના અનેક કેસ જોઈ રહ્યા છે. આ સ્થિતીમાં નવી નિમણૂક માટે થોડો વધુ સમય જોઈએ છે.


કોણે કરી હતી અરજી? 


EDના ડાઈરેક્ટર સંજય મિશ્રાને સરકાર તરફથી મળેલા એક્સટેન્શનને સુપ્રીમ કોર્ટે ગેરકાનુની ગણાવ્યું છે. સર્વોચ્ચ અદાલતનું કહેવું છે કે વર્ષ 2021માં એનજીઓ કોમન કોઝના કેસમાં જે ચુકાદો આપ્યો હતો તેની આ કેસમાં અવગણના થઈ છે. સંજય મિશ્રા મામલે કોમન કોઝ ઉપરાંત કોંગ્રેસના નેતા જયા ઠાકુર, રણદીપ સુરજેવાલાસ ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા, સાકેત ગોખલે પણ તેમની અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે ગત સુનાવણીમાં તેનો ચુકાદો અનામત રાખ્યો હતો.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.