ED ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાને સુપ્રીમે આપ્યો ઝટકો, એક્સટેંશનને ગણાવ્યું ગેરકાનુની, 31 જુલાઈ સુધી રહી શકશે હોદ્દા પર


  • Published By :
  • Published Date : 2023-07-11 18:16:14

સુપ્રીમ કોર્ટે મંગળવારે ED ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાને મોટો ઝટકો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ ત્રીજી વખત વધારવાના કેન્દ્ર સરકારના નિર્ણયને ગેર-કાનુની ગણાવ્યો છે. જો કે કોર્ટના આ દેશ છતાં પણ સંજય મિશ્રા 31 જુલાઈ સુધી પદ પર રહેશે. આ સમયગાળા દરમિયાન સરકારે નવા ED ચીફની નિમણૂક કરવી પડશે.


કેન્દ્ર સરકારે 3 વખત વધાર્યો હતો કાર્યકાળ


કેન્દ્ર સરકારે સંજય મિશ્રાનો કાર્યકાળ ત્રણ વખત વધાર્યો હતો. આ પહેલા સંજય મિશ્રા 18 નવેમ્બરે નિવૃત થવાના હતા. જો કે કેન્દ્ર સરકારે વટહુકમ દ્વારા તેમનો કાર્યકાળ સતત ત્રીજી વખત વધાર્યો હતો. સુપ્રીમ કોર્ટે અગાઉ પણ કહ્યું હતું કે બીજી વખત સંજય મિશ્રાનો કાર્યકાળ વધારવામાં ન આવે. 


કેન્દ્ર સરકારે સુપ્રીમમાં કરી આ દલીલ


ઈડી ચીફ સંજય મિશ્રાને પદ પર જાળવી રાખવા કેન્દ્ર સરકાર સતત તેમનો બચાવ કરતી હતી. કેન્દ્ર સરકારે સંજય મિશ્રાને મામલે સુપ્રીમ કોર્ટમાં તર્ક આપ્યો હતો કે સંજય મિશ્રાનું સ્થાન લઈ શકે તેવો કોઈ અધિકારી હાલ નથી. તેઓ હાલ મની લોન્ડ્રિગના અનેક કેસ જોઈ રહ્યા છે. આ સ્થિતીમાં નવી નિમણૂક માટે થોડો વધુ સમય જોઈએ છે.


કોણે કરી હતી અરજી? 


EDના ડાઈરેક્ટર સંજય મિશ્રાને સરકાર તરફથી મળેલા એક્સટેન્શનને સુપ્રીમ કોર્ટે ગેરકાનુની ગણાવ્યું છે. સર્વોચ્ચ અદાલતનું કહેવું છે કે વર્ષ 2021માં એનજીઓ કોમન કોઝના કેસમાં જે ચુકાદો આપ્યો હતો તેની આ કેસમાં અવગણના થઈ છે. સંજય મિશ્રા મામલે કોમન કોઝ ઉપરાંત કોંગ્રેસના નેતા જયા ઠાકુર, રણદીપ સુરજેવાલાસ ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા, સાકેત ગોખલે પણ તેમની અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે ગત સુનાવણીમાં તેનો ચુકાદો અનામત રાખ્યો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.