સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત! મેડિકલ આધાર પર દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રીને આપ્યા વચગાળાના જામીન!


  • Published By :
  • Published Date : 2023-05-26 14:06:56

સુપ્રીમ કોર્ટે સત્યેન્દ્ર જૈનને મોટી રાહત આપી છે. કોર્ટે સત્યેન્દ્ર જૈનને 6 અઠવાડિયા માટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. મની લોન્ડરિંગ કેસમાં તે જેલવાસો ભોગવી રહ્યા છે. ખરાબ તબિયતને કારણે સારવાર માટે જામીન મંજૂર કર્યા છે. મહત્વનું છે કે અનેક દિવસોથી તેમની તબિયત ખરાબ છે. 25 મેના રોજ ચક્કર ખઈ જેલના બાથરૂમમાં પડી ગયા હતા જે બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ શકે છે પરંતુ સત્યેન્દ્ર જૈન દિલ્હીની બહાર નહીં જઈ શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તબિયતના કારણોસર છ અઠવાડિયા માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.

વચગાળાના જામીન સુપ્રીમ કોર્ટે કર્યા મંજૂર!       

ઘણા સમયથી જેલની સજા દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન ભોગવી રહ્યા છે. જેલમાં હોવા છતાંય અનેક વખત તેઓ ચર્ચામાં રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત ખરાબ છે. ત્યારે સુપ્રીમ કોર્ટે સત્યેન્દ્ર જૈનને મેડિકલ આધાર પર જામીન આપ્યા છે. શરતોને આધીન તેમને વચગાળાના જામીન અપાયા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તબિયતના કારણોસર છ અઠવાડિયા માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. આ દરમિયાન પસંદગીની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શકશે. દિલ્હીની બહાર સત્યૈન્દ્ર જૈન જઈ શકશે. 10 જુલાઈએ હેલ્થ રિપોર્ટ જમા કરવા આદેશ કરવામાં આવ્યો છે. 11 જુલાઈ સુધી કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. 

બાથરૂમમાં સત્યેન્દ્ર જૈન થયા હતા સ્લીપ!  

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર સત્યેન્દ્ર જૈન લઈ શકશે. પરંતુ આ દરમિયાન સત્યેન્દ્ર જૈન આ મામલે મીડિયા સાથે વાતચીત કરી નહીં શકે. કોર્ટની પરમિશન વગર દિલ્હીની બહાર તેઓ જઈ શકશે નહી. મહત્વનું છે કે ગઈકાલે જેલના બાથરૂમમાં લપસીને પડી ગયા હતા. જેને લઈ સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 31 મે 2022થી તે સજા ભોગવી રહ્યા છે. આ પહેલા પણ દિલ્હી હાઈકોર્ટે જામીનની અરજી ફગાવી દીધી હતી.      



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.