સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત! મેડિકલ આધાર પર દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રીને આપ્યા વચગાળાના જામીન!


  • Published By :
  • Published Date : 2023-05-26 14:06:56

સુપ્રીમ કોર્ટે સત્યેન્દ્ર જૈનને મોટી રાહત આપી છે. કોર્ટે સત્યેન્દ્ર જૈનને 6 અઠવાડિયા માટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. મની લોન્ડરિંગ કેસમાં તે જેલવાસો ભોગવી રહ્યા છે. ખરાબ તબિયતને કારણે સારવાર માટે જામીન મંજૂર કર્યા છે. મહત્વનું છે કે અનેક દિવસોથી તેમની તબિયત ખરાબ છે. 25 મેના રોજ ચક્કર ખઈ જેલના બાથરૂમમાં પડી ગયા હતા જે બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ શકે છે પરંતુ સત્યેન્દ્ર જૈન દિલ્હીની બહાર નહીં જઈ શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તબિયતના કારણોસર છ અઠવાડિયા માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.

વચગાળાના જામીન સુપ્રીમ કોર્ટે કર્યા મંજૂર!       

ઘણા સમયથી જેલની સજા દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન ભોગવી રહ્યા છે. જેલમાં હોવા છતાંય અનેક વખત તેઓ ચર્ચામાં રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત ખરાબ છે. ત્યારે સુપ્રીમ કોર્ટે સત્યેન્દ્ર જૈનને મેડિકલ આધાર પર જામીન આપ્યા છે. શરતોને આધીન તેમને વચગાળાના જામીન અપાયા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તબિયતના કારણોસર છ અઠવાડિયા માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. આ દરમિયાન પસંદગીની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શકશે. દિલ્હીની બહાર સત્યૈન્દ્ર જૈન જઈ શકશે. 10 જુલાઈએ હેલ્થ રિપોર્ટ જમા કરવા આદેશ કરવામાં આવ્યો છે. 11 જુલાઈ સુધી કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. 

બાથરૂમમાં સત્યેન્દ્ર જૈન થયા હતા સ્લીપ!  

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર સત્યેન્દ્ર જૈન લઈ શકશે. પરંતુ આ દરમિયાન સત્યેન્દ્ર જૈન આ મામલે મીડિયા સાથે વાતચીત કરી નહીં શકે. કોર્ટની પરમિશન વગર દિલ્હીની બહાર તેઓ જઈ શકશે નહી. મહત્વનું છે કે ગઈકાલે જેલના બાથરૂમમાં લપસીને પડી ગયા હતા. જેને લઈ સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 31 મે 2022થી તે સજા ભોગવી રહ્યા છે. આ પહેલા પણ દિલ્હી હાઈકોર્ટે જામીનની અરજી ફગાવી દીધી હતી.      



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.