સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત! મેડિકલ આધાર પર દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રીને આપ્યા વચગાળાના જામીન!


  • Published By :
  • Published Date : 2023-05-26 14:06:56

સુપ્રીમ કોર્ટે સત્યેન્દ્ર જૈનને મોટી રાહત આપી છે. કોર્ટે સત્યેન્દ્ર જૈનને 6 અઠવાડિયા માટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. મની લોન્ડરિંગ કેસમાં તે જેલવાસો ભોગવી રહ્યા છે. ખરાબ તબિયતને કારણે સારવાર માટે જામીન મંજૂર કર્યા છે. મહત્વનું છે કે અનેક દિવસોથી તેમની તબિયત ખરાબ છે. 25 મેના રોજ ચક્કર ખઈ જેલના બાથરૂમમાં પડી ગયા હતા જે બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ શકે છે પરંતુ સત્યેન્દ્ર જૈન દિલ્હીની બહાર નહીં જઈ શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તબિયતના કારણોસર છ અઠવાડિયા માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.

વચગાળાના જામીન સુપ્રીમ કોર્ટે કર્યા મંજૂર!       

ઘણા સમયથી જેલની સજા દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન ભોગવી રહ્યા છે. જેલમાં હોવા છતાંય અનેક વખત તેઓ ચર્ચામાં રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત ખરાબ છે. ત્યારે સુપ્રીમ કોર્ટે સત્યેન્દ્ર જૈનને મેડિકલ આધાર પર જામીન આપ્યા છે. શરતોને આધીન તેમને વચગાળાના જામીન અપાયા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તબિયતના કારણોસર છ અઠવાડિયા માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. આ દરમિયાન પસંદગીની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શકશે. દિલ્હીની બહાર સત્યૈન્દ્ર જૈન જઈ શકશે. 10 જુલાઈએ હેલ્થ રિપોર્ટ જમા કરવા આદેશ કરવામાં આવ્યો છે. 11 જુલાઈ સુધી કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. 

બાથરૂમમાં સત્યેન્દ્ર જૈન થયા હતા સ્લીપ!  

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર સત્યેન્દ્ર જૈન લઈ શકશે. પરંતુ આ દરમિયાન સત્યેન્દ્ર જૈન આ મામલે મીડિયા સાથે વાતચીત કરી નહીં શકે. કોર્ટની પરમિશન વગર દિલ્હીની બહાર તેઓ જઈ શકશે નહી. મહત્વનું છે કે ગઈકાલે જેલના બાથરૂમમાં લપસીને પડી ગયા હતા. જેને લઈ સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 31 મે 2022થી તે સજા ભોગવી રહ્યા છે. આ પહેલા પણ દિલ્હી હાઈકોર્ટે જામીનની અરજી ફગાવી દીધી હતી.      



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.