સુપ્રીમ કોર્ટને મળ્યા પાંચ નવા ન્યાયાધીશ, CJIએ લેવડાવ્યા શપથ


  • Published By :
  • Published Date : 2023-02-06 16:25:42

સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજોની નિયુક્તિ થઈ ગઈ છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડે જજોને શપથ લેવડાવી હતી. અદાલતમાં કુલ ન્યાયાધીશોની સંખ્યા 32 થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં સ્વીકૃત ન્યાયાધીશોની સંખ્યા 34 થઈ ગઈ છે. રાજસ્થાન, પટના અને મણિપુરના ઉચ્ચ ન્યાયાલયોના ત્રણ મુખ્ય જજ પંકજ મિત્તલ, સંજય કરોલ અને પીવી સંજય કુમારે શપથ ગ્રહણ કર્યા છે.

   

પાંચ જજોએ કર્યા શપથ ગ્રહણ

સોમવારના રોજ સુપ્રીમ કોર્ટને નવા પાંચ ન્યાયાધીશ મળી ગયા છે. સવારના સમયે તમામ પાંચ જજોને ભારતના મુખ્ય ન્યાયાધીશે શપથ લેવડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટના નવા જજ તરીકે પંકજ મિતલ, સંજય કરોલ અને જસ્ટિસ પીવી સંજય કુમારે શપથ લીધી છે. તે સિવાય બે જજસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ, જસ્ટિસ મનોજ મિશ્રાના નામનો પણ સમાવેશ થયો છે. આની સાથે સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા 32 થઈ ગઈ છે.

  


આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.