સુપ્રીમ કોર્ટને મળ્યા પાંચ નવા ન્યાયાધીશ, CJIએ લેવડાવ્યા શપથ


  • Published By :
  • Published Date : 2023-02-06 16:25:42

સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજોની નિયુક્તિ થઈ ગઈ છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડે જજોને શપથ લેવડાવી હતી. અદાલતમાં કુલ ન્યાયાધીશોની સંખ્યા 32 થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં સ્વીકૃત ન્યાયાધીશોની સંખ્યા 34 થઈ ગઈ છે. રાજસ્થાન, પટના અને મણિપુરના ઉચ્ચ ન્યાયાલયોના ત્રણ મુખ્ય જજ પંકજ મિત્તલ, સંજય કરોલ અને પીવી સંજય કુમારે શપથ ગ્રહણ કર્યા છે.

   

પાંચ જજોએ કર્યા શપથ ગ્રહણ

સોમવારના રોજ સુપ્રીમ કોર્ટને નવા પાંચ ન્યાયાધીશ મળી ગયા છે. સવારના સમયે તમામ પાંચ જજોને ભારતના મુખ્ય ન્યાયાધીશે શપથ લેવડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટના નવા જજ તરીકે પંકજ મિતલ, સંજય કરોલ અને જસ્ટિસ પીવી સંજય કુમારે શપથ લીધી છે. તે સિવાય બે જજસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ, જસ્ટિસ મનોજ મિશ્રાના નામનો પણ સમાવેશ થયો છે. આની સાથે સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા 32 થઈ ગઈ છે.

  


રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.