સુપ્રીમ કોર્ટને મળ્યા પાંચ નવા ન્યાયાધીશ, CJIએ લેવડાવ્યા શપથ


  • Published By :
  • Published Date : 2023-02-06 16:25:42

સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજોની નિયુક્તિ થઈ ગઈ છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડે જજોને શપથ લેવડાવી હતી. અદાલતમાં કુલ ન્યાયાધીશોની સંખ્યા 32 થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં સ્વીકૃત ન્યાયાધીશોની સંખ્યા 34 થઈ ગઈ છે. રાજસ્થાન, પટના અને મણિપુરના ઉચ્ચ ન્યાયાલયોના ત્રણ મુખ્ય જજ પંકજ મિત્તલ, સંજય કરોલ અને પીવી સંજય કુમારે શપથ ગ્રહણ કર્યા છે.

   

પાંચ જજોએ કર્યા શપથ ગ્રહણ

સોમવારના રોજ સુપ્રીમ કોર્ટને નવા પાંચ ન્યાયાધીશ મળી ગયા છે. સવારના સમયે તમામ પાંચ જજોને ભારતના મુખ્ય ન્યાયાધીશે શપથ લેવડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટના નવા જજ તરીકે પંકજ મિતલ, સંજય કરોલ અને જસ્ટિસ પીવી સંજય કુમારે શપથ લીધી છે. તે સિવાય બે જજસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ, જસ્ટિસ મનોજ મિશ્રાના નામનો પણ સમાવેશ થયો છે. આની સાથે સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા 32 થઈ ગઈ છે.

  


પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.