ગોધરા કાંડના આરોપીને સુપ્રીમ કોર્ટે 17 વર્ષ બાદ આપી જામીન


  • Published By :
  • Published Date : 2022-12-15 16:24:00

સુપ્રીમ કોર્ટે 2002 ગોધરા કાંડના એક આરોપી ફારૂખને જામીન આપ્યા છે. ગોધરા ટ્રેનના કોચને સળગાવાની સજા તે ભોગવી રહ્યા હતા. આજીવન કેદની સજા તે ભોગવી રહ્યા હતા. છેલ્લા 17 વર્ષથી તે આ ઘટનાને લઈ સજા ભોગવી રહ્યા હતા. 2018માં જામીન માટે આરોપી ફારૂખે અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં આ કેસ પેન્ડીંગ હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે આ કેસને લઈ સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે આજે ફારૂખને જામીન આપ્યા છે.

સુપ્રીમ કોર્ટ : વિમાનુ પ્રીમીયમ નહી ભરવાથી પોલીસી લેપ્સ થાય તો કંપની ક્લેઈમ  નામંજુર કરી શકે છે – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking  News, Politics News etc.


પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો 

સુપ્રીમ કોર્ટે એ જોઈને આરોપીને જામીન આપ્યા હતા કે તે છેલ્લા 17 વર્ષથી સજા ભોગવી રહ્યા છે કેસની સુનાવણી કરતા મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા સમક્ષ જામીનને લઈ અરજી કરવામાં આવી હતી. ગુજરાત સરકાર તરફથી હાજર રેહલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં વાત રજૂ કરતા જણાવ્યું હતું કે  આ ઘટનામાં મહિલા, બાળકો સહિત 59 લોકો મોતને ભેટ્યા હતા,. ઉપરાંત તેમણે કહ્યું કે પથ્થરમારો સામાન્ય રીતે ગૌણ પ્રકૃતિનો ગુન્હો છે. મુસાફરો બહાર ન આવી શકે તે માટે ટ્રેનમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 




લાંબો સમય જેલમાં વિતાવ્યો છે 

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આમાંના કેટલાક દોષિતો પથ્થરમારો કર્યો હતો. લાંબો સમય ફારૂખે જેલમાં વિતાવ્યો છે. આવી સ્થિતિમાં કેટલાકને જામીન આપી છોડી દેવામાં આવે છે. આને ધ્યાનમાં રાખી જ ફારૂખને જામીન આપવામાં આવી રહ્યા છે.  આ મામલામાં ઘણા દોષિતોની સજા વિરૂદ્ધની અપીલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.