ગોધરા કાંડના આરોપીને સુપ્રીમ કોર્ટે 17 વર્ષ બાદ આપી જામીન


  • Published By :
  • Published Date : 2022-12-15 16:24:00

સુપ્રીમ કોર્ટે 2002 ગોધરા કાંડના એક આરોપી ફારૂખને જામીન આપ્યા છે. ગોધરા ટ્રેનના કોચને સળગાવાની સજા તે ભોગવી રહ્યા હતા. આજીવન કેદની સજા તે ભોગવી રહ્યા હતા. છેલ્લા 17 વર્ષથી તે આ ઘટનાને લઈ સજા ભોગવી રહ્યા હતા. 2018માં જામીન માટે આરોપી ફારૂખે અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં આ કેસ પેન્ડીંગ હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે આ કેસને લઈ સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે આજે ફારૂખને જામીન આપ્યા છે.

સુપ્રીમ કોર્ટ : વિમાનુ પ્રીમીયમ નહી ભરવાથી પોલીસી લેપ્સ થાય તો કંપની ક્લેઈમ  નામંજુર કરી શકે છે – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking  News, Politics News etc.


પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો 

સુપ્રીમ કોર્ટે એ જોઈને આરોપીને જામીન આપ્યા હતા કે તે છેલ્લા 17 વર્ષથી સજા ભોગવી રહ્યા છે કેસની સુનાવણી કરતા મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા સમક્ષ જામીનને લઈ અરજી કરવામાં આવી હતી. ગુજરાત સરકાર તરફથી હાજર રેહલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં વાત રજૂ કરતા જણાવ્યું હતું કે  આ ઘટનામાં મહિલા, બાળકો સહિત 59 લોકો મોતને ભેટ્યા હતા,. ઉપરાંત તેમણે કહ્યું કે પથ્થરમારો સામાન્ય રીતે ગૌણ પ્રકૃતિનો ગુન્હો છે. મુસાફરો બહાર ન આવી શકે તે માટે ટ્રેનમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 




લાંબો સમય જેલમાં વિતાવ્યો છે 

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આમાંના કેટલાક દોષિતો પથ્થરમારો કર્યો હતો. લાંબો સમય ફારૂખે જેલમાં વિતાવ્યો છે. આવી સ્થિતિમાં કેટલાકને જામીન આપી છોડી દેવામાં આવે છે. આને ધ્યાનમાં રાખી જ ફારૂખને જામીન આપવામાં આવી રહ્યા છે.  આ મામલામાં ઘણા દોષિતોની સજા વિરૂદ્ધની અપીલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.