2002નાં ગુજરાત રમખાણો સાથે જોડાયેલા તમામ કેસ કરો બંધ: સુપ્રીમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 13:41:56

ગુજરાતને હચમચાવી નાખનારા 2002ના કોમી તોફાનોને કોણ ભુલી શકે?. હવે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો નિર્ણય લેતા  તોફાનો સાથે સંકળાયેલા તમામ કેસ બંધ કરવાનો હુકમ કર્યો છે. ચીફ જસ્ટિસ યૂયૂ લલિતની બેન્ચે કેસ બંધ કરવાનો હુકમ આપતા કહ્યું કે 'આટલા લાંબા સમય બાદ હવે સુનાવણી કરવાનો કોઈ અર્થ નથી'. રાજ્યના તોફાનો સાથે જોડાયેલી એક અરજી સુપ્રીમમાં દાખલ કરવામાં આવી હતી. દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, ગુજરાતના તોફાનો સાથે જોડાયેલા 9માંથી 8 કેસમાં નીચલી અદાલત ચુકાદો સંભળાવી ચૂકી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, નરોડા પાટીયા સાથે જોડાયેલા કેસની સુનાવણી હજુ પણ ચાલી રહી છે. 



ઝાકિયા જાફરીની અરજી સુપ્રીમ ફગાવી ચુકી છે 


ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપનાર SIT સામે  ઝાકિયા જાફરીએ સુપ્રીમ એક અરજી દાખલ કરી હતી. 24 જૂને ઝાકિયાએ  PM મોદી સામે કરેલી અરજીને સુપ્રીમે ફગાવી દીધી હતી.સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપતા કહ્યું હતું કે, ઝાકિયાની અરજીમાં મેરિટ નથી.


ગોધરાકાંડ બાદ ફાટી નિકળ્યા હતા રમખાણો


રાજ્યમાં 27મી ફેબ્રુઆરી, 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર S-6ને જ્વલનશીલ પ્રવાહી છાંટીને સળગાવી દેવામાં આવ્યો હતો. જેમાં 59 યાત્રિકોના મોત થયા હતાં. આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતાં અને સમગ્ર રાજ્યમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા હતાં. આ કોમી રમખાણોમાં હજારો લોકોના મોત થયા હતા. આ કોમી હિંસા અને હુલ્લડો જૂન મહિનાના મધ્ય સુધી ચાલ્યા હતાં. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.