2002નાં ગુજરાત રમખાણો સાથે જોડાયેલા તમામ કેસ કરો બંધ: સુપ્રીમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 13:41:56

ગુજરાતને હચમચાવી નાખનારા 2002ના કોમી તોફાનોને કોણ ભુલી શકે?. હવે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો નિર્ણય લેતા  તોફાનો સાથે સંકળાયેલા તમામ કેસ બંધ કરવાનો હુકમ કર્યો છે. ચીફ જસ્ટિસ યૂયૂ લલિતની બેન્ચે કેસ બંધ કરવાનો હુકમ આપતા કહ્યું કે 'આટલા લાંબા સમય બાદ હવે સુનાવણી કરવાનો કોઈ અર્થ નથી'. રાજ્યના તોફાનો સાથે જોડાયેલી એક અરજી સુપ્રીમમાં દાખલ કરવામાં આવી હતી. દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, ગુજરાતના તોફાનો સાથે જોડાયેલા 9માંથી 8 કેસમાં નીચલી અદાલત ચુકાદો સંભળાવી ચૂકી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, નરોડા પાટીયા સાથે જોડાયેલા કેસની સુનાવણી હજુ પણ ચાલી રહી છે. 



ઝાકિયા જાફરીની અરજી સુપ્રીમ ફગાવી ચુકી છે 


ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપનાર SIT સામે  ઝાકિયા જાફરીએ સુપ્રીમ એક અરજી દાખલ કરી હતી. 24 જૂને ઝાકિયાએ  PM મોદી સામે કરેલી અરજીને સુપ્રીમે ફગાવી દીધી હતી.સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપતા કહ્યું હતું કે, ઝાકિયાની અરજીમાં મેરિટ નથી.


ગોધરાકાંડ બાદ ફાટી નિકળ્યા હતા રમખાણો


રાજ્યમાં 27મી ફેબ્રુઆરી, 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર S-6ને જ્વલનશીલ પ્રવાહી છાંટીને સળગાવી દેવામાં આવ્યો હતો. જેમાં 59 યાત્રિકોના મોત થયા હતાં. આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતાં અને સમગ્ર રાજ્યમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા હતાં. આ કોમી રમખાણોમાં હજારો લોકોના મોત થયા હતા. આ કોમી હિંસા અને હુલ્લડો જૂન મહિનાના મધ્ય સુધી ચાલ્યા હતાં. 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી