BBC પર પ્રતિબંધની અરજી સુપ્રીમે ફગાવી, "કોર્ટ સેન્સરશિપ લગાવી ન શકે, સમય ન બગાડો"


  • Published By :
  • Published Date : 2023-02-10 20:04:08

સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે હિન્દુ સેના દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) ફગાવી દીધી છે. હિન્દુ સેનાની PILમાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. તાજેતરમાં, હિંદુ સેનાએ 2002ના ગુજરાત રમખાણો પર BBCની ડોક્યુમેન્ટ્રી “ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન”ના પ્રસારણનો વિરોધ કર્યો હતો.


સુપ્રીમે તમામ દલીલો ફગાવી


જસ્ટિસ સંજીવ ખન્ના અને એમએમ સુંદરેશની બેન્ચે કહ્યું હતું કે અરજી ખોટી છે અને કોર્ટ સેન્સરશિપ લાદી શકે નહીં. બેન્ચે અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પિંકી આનંદને કહ્યું, "આ સંપૂર્ણપણે ખોટું છે. આ દલીલ કેવી રીતે કરી શકાય? તમે ઇચ્છો છો કે અમે સંપૂર્ણ સેન્સરશિપ લાદીએ... આ કેવા પ્રકારની માંગ છે? પિંકી આનંદે અરજદારને સાંભળવાની વિનંતી કરી હતી.


'અમારો સમય બગાડો નહીં'


હિંદુ સેના તરફથી સુપ્રીમ કોર્ટમાં ઉપસ્થિત રહેલા વકીલ પિંકી આનંદની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે તેના નિર્ણયમાં કહ્યું, “ચાલો હવે વધુ સમય બગાડશો નહીં. PIL સંપૂર્ણપણે ખોટી છે, તેની કોઈ યોગ્યતા નથી અને તેને ફગાવી દેવામાં આવે છે."


BBC પર ભારત વિરોધી રિપોર્ટિંગનો આરોપ


સુપ્રીમ કોર્ટમાં BBC પર પ્રતિબંધની માંગ દક્ષિણપંથી સંગઠન હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા અને ખેડૂત બિરેન્દર કુમાર સિંહે કરી હતી. અરજીકર્તાઓએ BBC પર ભારત વિરોધી રિપોર્ટિંગ કરવાનો આરોપ લગાવીને તેની તપાસની માંગ કરી હતી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.