BBC પર પ્રતિબંધની અરજી સુપ્રીમે ફગાવી, "કોર્ટ સેન્સરશિપ લગાવી ન શકે, સમય ન બગાડો"


  • Published By :
  • Published Date : 2023-02-10 20:04:08

સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે હિન્દુ સેના દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) ફગાવી દીધી છે. હિન્દુ સેનાની PILમાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. તાજેતરમાં, હિંદુ સેનાએ 2002ના ગુજરાત રમખાણો પર BBCની ડોક્યુમેન્ટ્રી “ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન”ના પ્રસારણનો વિરોધ કર્યો હતો.


સુપ્રીમે તમામ દલીલો ફગાવી


જસ્ટિસ સંજીવ ખન્ના અને એમએમ સુંદરેશની બેન્ચે કહ્યું હતું કે અરજી ખોટી છે અને કોર્ટ સેન્સરશિપ લાદી શકે નહીં. બેન્ચે અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પિંકી આનંદને કહ્યું, "આ સંપૂર્ણપણે ખોટું છે. આ દલીલ કેવી રીતે કરી શકાય? તમે ઇચ્છો છો કે અમે સંપૂર્ણ સેન્સરશિપ લાદીએ... આ કેવા પ્રકારની માંગ છે? પિંકી આનંદે અરજદારને સાંભળવાની વિનંતી કરી હતી.


'અમારો સમય બગાડો નહીં'


હિંદુ સેના તરફથી સુપ્રીમ કોર્ટમાં ઉપસ્થિત રહેલા વકીલ પિંકી આનંદની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે તેના નિર્ણયમાં કહ્યું, “ચાલો હવે વધુ સમય બગાડશો નહીં. PIL સંપૂર્ણપણે ખોટી છે, તેની કોઈ યોગ્યતા નથી અને તેને ફગાવી દેવામાં આવે છે."


BBC પર ભારત વિરોધી રિપોર્ટિંગનો આરોપ


સુપ્રીમ કોર્ટમાં BBC પર પ્રતિબંધની માંગ દક્ષિણપંથી સંગઠન હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા અને ખેડૂત બિરેન્દર કુમાર સિંહે કરી હતી. અરજીકર્તાઓએ BBC પર ભારત વિરોધી રિપોર્ટિંગ કરવાનો આરોપ લગાવીને તેની તપાસની માંગ કરી હતી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.