BBC પર પ્રતિબંધની અરજી સુપ્રીમે ફગાવી, "કોર્ટ સેન્સરશિપ લગાવી ન શકે, સમય ન બગાડો"


  • Published By :
  • Published Date : 2023-02-10 20:04:08

સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે હિન્દુ સેના દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) ફગાવી દીધી છે. હિન્દુ સેનાની PILમાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. તાજેતરમાં, હિંદુ સેનાએ 2002ના ગુજરાત રમખાણો પર BBCની ડોક્યુમેન્ટ્રી “ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન”ના પ્રસારણનો વિરોધ કર્યો હતો.


સુપ્રીમે તમામ દલીલો ફગાવી


જસ્ટિસ સંજીવ ખન્ના અને એમએમ સુંદરેશની બેન્ચે કહ્યું હતું કે અરજી ખોટી છે અને કોર્ટ સેન્સરશિપ લાદી શકે નહીં. બેન્ચે અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પિંકી આનંદને કહ્યું, "આ સંપૂર્ણપણે ખોટું છે. આ દલીલ કેવી રીતે કરી શકાય? તમે ઇચ્છો છો કે અમે સંપૂર્ણ સેન્સરશિપ લાદીએ... આ કેવા પ્રકારની માંગ છે? પિંકી આનંદે અરજદારને સાંભળવાની વિનંતી કરી હતી.


'અમારો સમય બગાડો નહીં'


હિંદુ સેના તરફથી સુપ્રીમ કોર્ટમાં ઉપસ્થિત રહેલા વકીલ પિંકી આનંદની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે તેના નિર્ણયમાં કહ્યું, “ચાલો હવે વધુ સમય બગાડશો નહીં. PIL સંપૂર્ણપણે ખોટી છે, તેની કોઈ યોગ્યતા નથી અને તેને ફગાવી દેવામાં આવે છે."


BBC પર ભારત વિરોધી રિપોર્ટિંગનો આરોપ


સુપ્રીમ કોર્ટમાં BBC પર પ્રતિબંધની માંગ દક્ષિણપંથી સંગઠન હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા અને ખેડૂત બિરેન્દર કુમાર સિંહે કરી હતી. અરજીકર્તાઓએ BBC પર ભારત વિરોધી રિપોર્ટિંગ કરવાનો આરોપ લગાવીને તેની તપાસની માંગ કરી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.