BBC પર પ્રતિબંધની અરજી સુપ્રીમે ફગાવી, "કોર્ટ સેન્સરશિપ લગાવી ન શકે, સમય ન બગાડો"


  • Published By :
  • Published Date : 2023-02-10 20:04:08

સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે હિન્દુ સેના દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) ફગાવી દીધી છે. હિન્દુ સેનાની PILમાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. તાજેતરમાં, હિંદુ સેનાએ 2002ના ગુજરાત રમખાણો પર BBCની ડોક્યુમેન્ટ્રી “ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન”ના પ્રસારણનો વિરોધ કર્યો હતો.


સુપ્રીમે તમામ દલીલો ફગાવી


જસ્ટિસ સંજીવ ખન્ના અને એમએમ સુંદરેશની બેન્ચે કહ્યું હતું કે અરજી ખોટી છે અને કોર્ટ સેન્સરશિપ લાદી શકે નહીં. બેન્ચે અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પિંકી આનંદને કહ્યું, "આ સંપૂર્ણપણે ખોટું છે. આ દલીલ કેવી રીતે કરી શકાય? તમે ઇચ્છો છો કે અમે સંપૂર્ણ સેન્સરશિપ લાદીએ... આ કેવા પ્રકારની માંગ છે? પિંકી આનંદે અરજદારને સાંભળવાની વિનંતી કરી હતી.


'અમારો સમય બગાડો નહીં'


હિંદુ સેના તરફથી સુપ્રીમ કોર્ટમાં ઉપસ્થિત રહેલા વકીલ પિંકી આનંદની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે તેના નિર્ણયમાં કહ્યું, “ચાલો હવે વધુ સમય બગાડશો નહીં. PIL સંપૂર્ણપણે ખોટી છે, તેની કોઈ યોગ્યતા નથી અને તેને ફગાવી દેવામાં આવે છે."


BBC પર ભારત વિરોધી રિપોર્ટિંગનો આરોપ


સુપ્રીમ કોર્ટમાં BBC પર પ્રતિબંધની માંગ દક્ષિણપંથી સંગઠન હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા અને ખેડૂત બિરેન્દર કુમાર સિંહે કરી હતી. અરજીકર્તાઓએ BBC પર ભારત વિરોધી રિપોર્ટિંગ કરવાનો આરોપ લગાવીને તેની તપાસની માંગ કરી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.