મણિપુર હિંસા પર સુપ્રીમ કોર્ટની ટકોર, 'કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તે અમારૂ કામ નથી'


  • Published By :
  • Published Date : 2023-07-10 17:24:38

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ ડી વાય ચંદ્રચૂડે આજે મણિપુર હિંસા પર અનેક અરજીઓ પર સુનાવણી કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટે કાયદો અને વ્યવસ્થા ચલાવી શકે નહીં. આ કામ ચૂંટાયેલી સરકારનું છે. જો કે કુકી સમુદાય તરફથી કોર્ટમાં હાજર રહેલા સિનિયર એડવોકેટ કોલિન ગોંસાલ્વેસે રાજ્યમાં વધતી હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પૂર્વ ભારતના રાજ્યોમાં સ્થિતીને નિયંત્રિત કરવા માટે કોર્ટની દખલની માગ કરી છે.


સુપ્રીમ કોર્ટે શું ટકોર કરી?


સિનિયર એડવોકેટ ગોંસાલ્વેસે આરોપ લગાવ્યો કે મણિપુરમાં હિંસાને ભાજપના નેતૃત્વવાળી સરકાર પ્રોત્સાહન આપી રહી છે. તેમણે રાજ્ય સરકાર પર હિંસામાં સામેલ સશસ્ત્ર ગૃપનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો છે. મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેંચે આ બાબત પર ભાર આપ્યો કે સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાના મામલે કોર્ટની મર્યાદાઓને ધ્યાનમાં રાખવી જોઈએ. મુખ્ય ન્યાયાધીશે જવાબ આપ્યો કે આપણે સુપ્રીમ કોર્ટના અધિકારો પ્રત્યે સાવચેત રહેવું જોઈએ. અમે કાયદો અને વ્યવસ્થા ચલાવી નથી શક્તા, તે ચૂંટાયેલી સરકારનું કામ છે, કાયદો અને વ્યવસ્થા તે જ જોશે. આ મુદ્દાને માનવીય દ્રષ્ટીકોણથી જોવો જોઈએ. સીજેઆઈએ કહ્યું કે અમે નથી ઈચ્છતા કે કાર્યવાહીઓને ઉપયોગ હિંસા અને અન્ય સમસ્યાઓને વધારવાના પ્લેટફોર્મ તરીકે કરવામાં આવે. આપણે સાવચેત રહેવું જોઈએ કે આપણે કાયદો અને વ્યવસ્થા નથી ચલાવી રહ્યા. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે કાલે આ કેસની સુનાવણી કરીશું. તેમણે ગોંસાલ્વેસને આગામી સુનાવણીમાં સારા સુચનો આપવોની ટકોર કરી હતી.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.