મણિપુર હિંસા પર સુપ્રીમ કોર્ટની ટકોર, 'કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તે અમારૂ કામ નથી'


  • Published By :
  • Published Date : 2023-07-10 17:24:38

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ ડી વાય ચંદ્રચૂડે આજે મણિપુર હિંસા પર અનેક અરજીઓ પર સુનાવણી કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટે કાયદો અને વ્યવસ્થા ચલાવી શકે નહીં. આ કામ ચૂંટાયેલી સરકારનું છે. જો કે કુકી સમુદાય તરફથી કોર્ટમાં હાજર રહેલા સિનિયર એડવોકેટ કોલિન ગોંસાલ્વેસે રાજ્યમાં વધતી હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પૂર્વ ભારતના રાજ્યોમાં સ્થિતીને નિયંત્રિત કરવા માટે કોર્ટની દખલની માગ કરી છે.


સુપ્રીમ કોર્ટે શું ટકોર કરી?


સિનિયર એડવોકેટ ગોંસાલ્વેસે આરોપ લગાવ્યો કે મણિપુરમાં હિંસાને ભાજપના નેતૃત્વવાળી સરકાર પ્રોત્સાહન આપી રહી છે. તેમણે રાજ્ય સરકાર પર હિંસામાં સામેલ સશસ્ત્ર ગૃપનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો છે. મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેંચે આ બાબત પર ભાર આપ્યો કે સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાના મામલે કોર્ટની મર્યાદાઓને ધ્યાનમાં રાખવી જોઈએ. મુખ્ય ન્યાયાધીશે જવાબ આપ્યો કે આપણે સુપ્રીમ કોર્ટના અધિકારો પ્રત્યે સાવચેત રહેવું જોઈએ. અમે કાયદો અને વ્યવસ્થા ચલાવી નથી શક્તા, તે ચૂંટાયેલી સરકારનું કામ છે, કાયદો અને વ્યવસ્થા તે જ જોશે. આ મુદ્દાને માનવીય દ્રષ્ટીકોણથી જોવો જોઈએ. સીજેઆઈએ કહ્યું કે અમે નથી ઈચ્છતા કે કાર્યવાહીઓને ઉપયોગ હિંસા અને અન્ય સમસ્યાઓને વધારવાના પ્લેટફોર્મ તરીકે કરવામાં આવે. આપણે સાવચેત રહેવું જોઈએ કે આપણે કાયદો અને વ્યવસ્થા નથી ચલાવી રહ્યા. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે કાલે આ કેસની સુનાવણી કરીશું. તેમણે ગોંસાલ્વેસને આગામી સુનાવણીમાં સારા સુચનો આપવોની ટકોર કરી હતી.  



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.