મણિપુર હિંસા પર સુપ્રીમ કોર્ટની ટકોર, 'કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તે અમારૂ કામ નથી'


  • Published By :
  • Published Date : 2023-07-10 17:24:38

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ ડી વાય ચંદ્રચૂડે આજે મણિપુર હિંસા પર અનેક અરજીઓ પર સુનાવણી કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટે કાયદો અને વ્યવસ્થા ચલાવી શકે નહીં. આ કામ ચૂંટાયેલી સરકારનું છે. જો કે કુકી સમુદાય તરફથી કોર્ટમાં હાજર રહેલા સિનિયર એડવોકેટ કોલિન ગોંસાલ્વેસે રાજ્યમાં વધતી હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પૂર્વ ભારતના રાજ્યોમાં સ્થિતીને નિયંત્રિત કરવા માટે કોર્ટની દખલની માગ કરી છે.


સુપ્રીમ કોર્ટે શું ટકોર કરી?


સિનિયર એડવોકેટ ગોંસાલ્વેસે આરોપ લગાવ્યો કે મણિપુરમાં હિંસાને ભાજપના નેતૃત્વવાળી સરકાર પ્રોત્સાહન આપી રહી છે. તેમણે રાજ્ય સરકાર પર હિંસામાં સામેલ સશસ્ત્ર ગૃપનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો છે. મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેંચે આ બાબત પર ભાર આપ્યો કે સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાના મામલે કોર્ટની મર્યાદાઓને ધ્યાનમાં રાખવી જોઈએ. મુખ્ય ન્યાયાધીશે જવાબ આપ્યો કે આપણે સુપ્રીમ કોર્ટના અધિકારો પ્રત્યે સાવચેત રહેવું જોઈએ. અમે કાયદો અને વ્યવસ્થા ચલાવી નથી શક્તા, તે ચૂંટાયેલી સરકારનું કામ છે, કાયદો અને વ્યવસ્થા તે જ જોશે. આ મુદ્દાને માનવીય દ્રષ્ટીકોણથી જોવો જોઈએ. સીજેઆઈએ કહ્યું કે અમે નથી ઈચ્છતા કે કાર્યવાહીઓને ઉપયોગ હિંસા અને અન્ય સમસ્યાઓને વધારવાના પ્લેટફોર્મ તરીકે કરવામાં આવે. આપણે સાવચેત રહેવું જોઈએ કે આપણે કાયદો અને વ્યવસ્થા નથી ચલાવી રહ્યા. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે કાલે આ કેસની સુનાવણી કરીશું. તેમણે ગોંસાલ્વેસને આગામી સુનાવણીમાં સારા સુચનો આપવોની ટકોર કરી હતી.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.