સુપ્રીમ કોર્ટે 'ટૂ ફિંગર ટેસ્ટ' પર પ્રતિબંધ યથાવત રાખ્યો, આ ટેસ્ટ કરનારા ડોક્ટરો પણ દોષિત મનાશે


  • Published By :
  • Published Date : 2022-10-31 18:13:38

સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસમાં ટુ ફિંગર ટેસ્ટના ઉપયોગ પર લાગેલા પ્રતિબંધને યથાવત રાખ્યો છે. જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટીસ હેમા કોહલીની બેંચએ સોમવારે ચેતવણી આપી કે આવું કરનારાને દોષિત માનવમાં આવશે. બેંચે કહ્યું કે આ પ્રકારના ટેસ્ટ  હજુ પણ ચાલે છે તે દુર્ભાગ્યપૂર્ણ છે.સર્વોચ્ચ અદાલતે આરોગ્ય મંત્રાલયને એ સ્પષ્ટ સૂચના આપી કે કોઈ પણ સ્થિતીમાં જાતિય સતામણી કે બળાત્કાર પીડિતાનો ટુ ફિંગર ટેસ્ટ ન થવો જોઈએ.


ટુ ફિંગર ટેસ્ટને લઈ સર્વોચ્ચ અદલતનું આકરૂ વલણ


તેલંગાણા હાઈકોર્ટના એક ચુકાદા સામે ચાલી રહેલા કેસ પર ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. તેના ચુકાદામાં બેંચે કહ્યું કે કોર્ટે બળાત્કારના કેસમાં ટુ ફિંગર ટેસ્ટ નહીં કરવાનો અનેક વખત હુકમ આપ્યો છે. જો કે તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. આ ટેસ્ટ એટલે બળાત્કાર પિડિતાઓને વારંવાર પ્રતાડિત કરવા જેવું છે. આ ટેસ્ટ તે ખોટી ધારણા પર આધારીત છે કે સેક્સુઅલી એક્ટિવ મહિલા પર બળાત્કાર કરી શકાતો નથી. કોર્ટે હોસ્પિટલોને પણ બળાત્કાર પિડીતાની તપાસ માટે સ્ટાફને બીજા પ્રકારના ટેસ્ટની ટ્રેનિંગ આપવાની સૂચના આપી હતી. તે ઉપરાંત મેડિકલ કોલેજોના સિલેબસમાંથી પણ આ ટુ ફિંગર ટેસ્ટ હટાવી દેવાનો હુકમ કર્યો હતો. 


આ ટુ ફિંગર ટેસ્ટ શું છે?


અત્રે ઉલ્લેખનિય છે કે આ ટુ ફિંગર ટેસ્ટ એક મેન્યુએલ પ્રક્રિયા છે. જે મુજબ ડોક્ટર બળાત્કાર પિડિતાના પ્રાઈવેટ પાર્ટમાં એક અથવા બે આંગળી નાખીને ટેસ્ટ કરે છે કે તે વર્જિન છે કે નહીં. જો આંગળી સરળતાથી પિડિતાના પ્રાઈવેટ પાર્ટમાં જાય તો માનવામાં આવે છે કે તે સેક્સ્યુઅલી એક્ટિવ હતી.  તે ઉપરાંત પ્રાઈવેટ પાર્ટમાં રહેલા હાયમનની પણ તપાસ કરવામાં આવે છે. જો કે  આ ટુ ફિંગર ટેસ્ટની અનેક વખત વિરોધ થઈ ચુક્યો છે. તેથી જ સુપ્રીમ કોર્ટ પણ તેના પર પ્રતિબંધ લગાવ્યો છે.   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.