સુપ્રીમ કોર્ટે 'ટૂ ફિંગર ટેસ્ટ' પર પ્રતિબંધ યથાવત રાખ્યો, આ ટેસ્ટ કરનારા ડોક્ટરો પણ દોષિત મનાશે


  • Published By :
  • Published Date : 2022-10-31 18:13:38

સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસમાં ટુ ફિંગર ટેસ્ટના ઉપયોગ પર લાગેલા પ્રતિબંધને યથાવત રાખ્યો છે. જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટીસ હેમા કોહલીની બેંચએ સોમવારે ચેતવણી આપી કે આવું કરનારાને દોષિત માનવમાં આવશે. બેંચે કહ્યું કે આ પ્રકારના ટેસ્ટ  હજુ પણ ચાલે છે તે દુર્ભાગ્યપૂર્ણ છે.સર્વોચ્ચ અદાલતે આરોગ્ય મંત્રાલયને એ સ્પષ્ટ સૂચના આપી કે કોઈ પણ સ્થિતીમાં જાતિય સતામણી કે બળાત્કાર પીડિતાનો ટુ ફિંગર ટેસ્ટ ન થવો જોઈએ.


ટુ ફિંગર ટેસ્ટને લઈ સર્વોચ્ચ અદલતનું આકરૂ વલણ


તેલંગાણા હાઈકોર્ટના એક ચુકાદા સામે ચાલી રહેલા કેસ પર ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. તેના ચુકાદામાં બેંચે કહ્યું કે કોર્ટે બળાત્કારના કેસમાં ટુ ફિંગર ટેસ્ટ નહીં કરવાનો અનેક વખત હુકમ આપ્યો છે. જો કે તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. આ ટેસ્ટ એટલે બળાત્કાર પિડિતાઓને વારંવાર પ્રતાડિત કરવા જેવું છે. આ ટેસ્ટ તે ખોટી ધારણા પર આધારીત છે કે સેક્સુઅલી એક્ટિવ મહિલા પર બળાત્કાર કરી શકાતો નથી. કોર્ટે હોસ્પિટલોને પણ બળાત્કાર પિડીતાની તપાસ માટે સ્ટાફને બીજા પ્રકારના ટેસ્ટની ટ્રેનિંગ આપવાની સૂચના આપી હતી. તે ઉપરાંત મેડિકલ કોલેજોના સિલેબસમાંથી પણ આ ટુ ફિંગર ટેસ્ટ હટાવી દેવાનો હુકમ કર્યો હતો. 


આ ટુ ફિંગર ટેસ્ટ શું છે?


અત્રે ઉલ્લેખનિય છે કે આ ટુ ફિંગર ટેસ્ટ એક મેન્યુએલ પ્રક્રિયા છે. જે મુજબ ડોક્ટર બળાત્કાર પિડિતાના પ્રાઈવેટ પાર્ટમાં એક અથવા બે આંગળી નાખીને ટેસ્ટ કરે છે કે તે વર્જિન છે કે નહીં. જો આંગળી સરળતાથી પિડિતાના પ્રાઈવેટ પાર્ટમાં જાય તો માનવામાં આવે છે કે તે સેક્સ્યુઅલી એક્ટિવ હતી.  તે ઉપરાંત પ્રાઈવેટ પાર્ટમાં રહેલા હાયમનની પણ તપાસ કરવામાં આવે છે. જો કે  આ ટુ ફિંગર ટેસ્ટની અનેક વખત વિરોધ થઈ ચુક્યો છે. તેથી જ સુપ્રીમ કોર્ટ પણ તેના પર પ્રતિબંધ લગાવ્યો છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.