સુપ્રીમ કોર્ટે 'ટૂ ફિંગર ટેસ્ટ' પર પ્રતિબંધ યથાવત રાખ્યો, આ ટેસ્ટ કરનારા ડોક્ટરો પણ દોષિત મનાશે


  • Published By :
  • Published Date : 2022-10-31 18:13:38

સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસમાં ટુ ફિંગર ટેસ્ટના ઉપયોગ પર લાગેલા પ્રતિબંધને યથાવત રાખ્યો છે. જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટીસ હેમા કોહલીની બેંચએ સોમવારે ચેતવણી આપી કે આવું કરનારાને દોષિત માનવમાં આવશે. બેંચે કહ્યું કે આ પ્રકારના ટેસ્ટ  હજુ પણ ચાલે છે તે દુર્ભાગ્યપૂર્ણ છે.સર્વોચ્ચ અદાલતે આરોગ્ય મંત્રાલયને એ સ્પષ્ટ સૂચના આપી કે કોઈ પણ સ્થિતીમાં જાતિય સતામણી કે બળાત્કાર પીડિતાનો ટુ ફિંગર ટેસ્ટ ન થવો જોઈએ.


ટુ ફિંગર ટેસ્ટને લઈ સર્વોચ્ચ અદલતનું આકરૂ વલણ


તેલંગાણા હાઈકોર્ટના એક ચુકાદા સામે ચાલી રહેલા કેસ પર ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. તેના ચુકાદામાં બેંચે કહ્યું કે કોર્ટે બળાત્કારના કેસમાં ટુ ફિંગર ટેસ્ટ નહીં કરવાનો અનેક વખત હુકમ આપ્યો છે. જો કે તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. આ ટેસ્ટ એટલે બળાત્કાર પિડિતાઓને વારંવાર પ્રતાડિત કરવા જેવું છે. આ ટેસ્ટ તે ખોટી ધારણા પર આધારીત છે કે સેક્સુઅલી એક્ટિવ મહિલા પર બળાત્કાર કરી શકાતો નથી. કોર્ટે હોસ્પિટલોને પણ બળાત્કાર પિડીતાની તપાસ માટે સ્ટાફને બીજા પ્રકારના ટેસ્ટની ટ્રેનિંગ આપવાની સૂચના આપી હતી. તે ઉપરાંત મેડિકલ કોલેજોના સિલેબસમાંથી પણ આ ટુ ફિંગર ટેસ્ટ હટાવી દેવાનો હુકમ કર્યો હતો. 


આ ટુ ફિંગર ટેસ્ટ શું છે?


અત્રે ઉલ્લેખનિય છે કે આ ટુ ફિંગર ટેસ્ટ એક મેન્યુએલ પ્રક્રિયા છે. જે મુજબ ડોક્ટર બળાત્કાર પિડિતાના પ્રાઈવેટ પાર્ટમાં એક અથવા બે આંગળી નાખીને ટેસ્ટ કરે છે કે તે વર્જિન છે કે નહીં. જો આંગળી સરળતાથી પિડિતાના પ્રાઈવેટ પાર્ટમાં જાય તો માનવામાં આવે છે કે તે સેક્સ્યુઅલી એક્ટિવ હતી.  તે ઉપરાંત પ્રાઈવેટ પાર્ટમાં રહેલા હાયમનની પણ તપાસ કરવામાં આવે છે. જો કે  આ ટુ ફિંગર ટેસ્ટની અનેક વખત વિરોધ થઈ ચુક્યો છે. તેથી જ સુપ્રીમ કોર્ટ પણ તેના પર પ્રતિબંધ લગાવ્યો છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.