સુપ્રીમ કોર્ટે 'ટૂ ફિંગર ટેસ્ટ' પર પ્રતિબંધ યથાવત રાખ્યો, આ ટેસ્ટ કરનારા ડોક્ટરો પણ દોષિત મનાશે


  • Published By :
  • Published Date : 2022-10-31 18:13:38

સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસમાં ટુ ફિંગર ટેસ્ટના ઉપયોગ પર લાગેલા પ્રતિબંધને યથાવત રાખ્યો છે. જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટીસ હેમા કોહલીની બેંચએ સોમવારે ચેતવણી આપી કે આવું કરનારાને દોષિત માનવમાં આવશે. બેંચે કહ્યું કે આ પ્રકારના ટેસ્ટ  હજુ પણ ચાલે છે તે દુર્ભાગ્યપૂર્ણ છે.સર્વોચ્ચ અદાલતે આરોગ્ય મંત્રાલયને એ સ્પષ્ટ સૂચના આપી કે કોઈ પણ સ્થિતીમાં જાતિય સતામણી કે બળાત્કાર પીડિતાનો ટુ ફિંગર ટેસ્ટ ન થવો જોઈએ.


ટુ ફિંગર ટેસ્ટને લઈ સર્વોચ્ચ અદલતનું આકરૂ વલણ


તેલંગાણા હાઈકોર્ટના એક ચુકાદા સામે ચાલી રહેલા કેસ પર ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. તેના ચુકાદામાં બેંચે કહ્યું કે કોર્ટે બળાત્કારના કેસમાં ટુ ફિંગર ટેસ્ટ નહીં કરવાનો અનેક વખત હુકમ આપ્યો છે. જો કે તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. આ ટેસ્ટ એટલે બળાત્કાર પિડિતાઓને વારંવાર પ્રતાડિત કરવા જેવું છે. આ ટેસ્ટ તે ખોટી ધારણા પર આધારીત છે કે સેક્સુઅલી એક્ટિવ મહિલા પર બળાત્કાર કરી શકાતો નથી. કોર્ટે હોસ્પિટલોને પણ બળાત્કાર પિડીતાની તપાસ માટે સ્ટાફને બીજા પ્રકારના ટેસ્ટની ટ્રેનિંગ આપવાની સૂચના આપી હતી. તે ઉપરાંત મેડિકલ કોલેજોના સિલેબસમાંથી પણ આ ટુ ફિંગર ટેસ્ટ હટાવી દેવાનો હુકમ કર્યો હતો. 


આ ટુ ફિંગર ટેસ્ટ શું છે?


અત્રે ઉલ્લેખનિય છે કે આ ટુ ફિંગર ટેસ્ટ એક મેન્યુએલ પ્રક્રિયા છે. જે મુજબ ડોક્ટર બળાત્કાર પિડિતાના પ્રાઈવેટ પાર્ટમાં એક અથવા બે આંગળી નાખીને ટેસ્ટ કરે છે કે તે વર્જિન છે કે નહીં. જો આંગળી સરળતાથી પિડિતાના પ્રાઈવેટ પાર્ટમાં જાય તો માનવામાં આવે છે કે તે સેક્સ્યુઅલી એક્ટિવ હતી.  તે ઉપરાંત પ્રાઈવેટ પાર્ટમાં રહેલા હાયમનની પણ તપાસ કરવામાં આવે છે. જો કે  આ ટુ ફિંગર ટેસ્ટની અનેક વખત વિરોધ થઈ ચુક્યો છે. તેથી જ સુપ્રીમ કોર્ટ પણ તેના પર પ્રતિબંધ લગાવ્યો છે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે