સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને આપ્યા શરતી જામીન, કહ્યું તે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ નહીં કરે


  • Published By :
  • Published Date : 2023-07-19 16:50:31

સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને મોટી રાહત આપી છે અને તેમને નિયમિત જામીન આપી દીધા છે. અગાઉ, 1 જુલાઈ, 2023 ના રોજ, ગુજરાત હાઈકોર્ટે સેતલવાડની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેને તાત્કાલિક આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેની સામે તિસ્તાએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને રદ કરીને તેમના જામીન મંજૂર કર્યા હતા.


આ શરતે આપ્યા જામીન


સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણોના મામલામાં કથિત રીતે બનાવટી પુરાવાઓ ઉભા કરવાના કેસમાં દાખલ કરવામાં આવેલી FIRના સંબંધમાં સુપ્રીમ કોર્ટે બુધવારે તિસ્તા સેતલવાડને નિયમિત જામીન આપ્યા હતા. આ સાથે જ સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે સેતલવાડ આ કેસમાં સાક્ષીઓને પ્રભાવિત કરવાનો કોઈ પ્રયાસ નહીં કરે અને મોટાભાગે ગુજરાતમાં રહેતા સાક્ષીઓથી દૂર રહેશે. કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે જામીનના સમયગાળા દરમિયાન સેતલવાડનો પાસપોર્ટ ટ્રાયલ કોર્ટમાં જમા કરવામાં આવે. જો તે આ શરતનું ઉલ્લંઘન કરતી જોવા મળે, તો કોર્ટે ગુજરાત પોલીસને જામીન રદ કરવા માટે સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કરવાની મંજૂરી આપી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.