સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને આપ્યા શરતી જામીન, કહ્યું તે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ નહીં કરે


  • Published By :
  • Published Date : 2023-07-19 16:50:31

સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને મોટી રાહત આપી છે અને તેમને નિયમિત જામીન આપી દીધા છે. અગાઉ, 1 જુલાઈ, 2023 ના રોજ, ગુજરાત હાઈકોર્ટે સેતલવાડની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેને તાત્કાલિક આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેની સામે તિસ્તાએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને રદ કરીને તેમના જામીન મંજૂર કર્યા હતા.


આ શરતે આપ્યા જામીન


સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણોના મામલામાં કથિત રીતે બનાવટી પુરાવાઓ ઉભા કરવાના કેસમાં દાખલ કરવામાં આવેલી FIRના સંબંધમાં સુપ્રીમ કોર્ટે બુધવારે તિસ્તા સેતલવાડને નિયમિત જામીન આપ્યા હતા. આ સાથે જ સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે સેતલવાડ આ કેસમાં સાક્ષીઓને પ્રભાવિત કરવાનો કોઈ પ્રયાસ નહીં કરે અને મોટાભાગે ગુજરાતમાં રહેતા સાક્ષીઓથી દૂર રહેશે. કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે જામીનના સમયગાળા દરમિયાન સેતલવાડનો પાસપોર્ટ ટ્રાયલ કોર્ટમાં જમા કરવામાં આવે. જો તે આ શરતનું ઉલ્લંઘન કરતી જોવા મળે, તો કોર્ટે ગુજરાત પોલીસને જામીન રદ કરવા માટે સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કરવાની મંજૂરી આપી હતી.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે