સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને આપ્યા શરતી જામીન, કહ્યું તે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ નહીં કરે


  • Published By :
  • Published Date : 2023-07-19 16:50:31

સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને મોટી રાહત આપી છે અને તેમને નિયમિત જામીન આપી દીધા છે. અગાઉ, 1 જુલાઈ, 2023 ના રોજ, ગુજરાત હાઈકોર્ટે સેતલવાડની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેને તાત્કાલિક આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેની સામે તિસ્તાએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને રદ કરીને તેમના જામીન મંજૂર કર્યા હતા.


આ શરતે આપ્યા જામીન


સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણોના મામલામાં કથિત રીતે બનાવટી પુરાવાઓ ઉભા કરવાના કેસમાં દાખલ કરવામાં આવેલી FIRના સંબંધમાં સુપ્રીમ કોર્ટે બુધવારે તિસ્તા સેતલવાડને નિયમિત જામીન આપ્યા હતા. આ સાથે જ સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે સેતલવાડ આ કેસમાં સાક્ષીઓને પ્રભાવિત કરવાનો કોઈ પ્રયાસ નહીં કરે અને મોટાભાગે ગુજરાતમાં રહેતા સાક્ષીઓથી દૂર રહેશે. કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે જામીનના સમયગાળા દરમિયાન સેતલવાડનો પાસપોર્ટ ટ્રાયલ કોર્ટમાં જમા કરવામાં આવે. જો તે આ શરતનું ઉલ્લંઘન કરતી જોવા મળે, તો કોર્ટે ગુજરાત પોલીસને જામીન રદ કરવા માટે સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કરવાની મંજૂરી આપી હતી.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.