દિલ્હીમાં નહીં ચાલે ઓલા, ઉબેર અને રેપિડોની બાઈક ટેક્સી, સુપ્રીમ કોર્ટે લગાવ્યો પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2023-06-12 16:56:48

દિલ્હીમાં ઓલા, ઉબેર અને રેપિડો જેવી કંપનીઓની બાઈક સર્વિસ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતી રાજ્ય સરકારની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેબ એગ્રીગેટર કંપનીઓને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર દિલ્હીમાં હાલ તો બાઈક ટેક્સી નહીં ચાલે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટેના વચગાળાના આદેશ પર પ્રતિબંધ લગાવી દીધી છે. 


શા માટે પ્રતિબંધ?


દિલ્હી સરકારની મુખ્ય દલીલ હતી કે એગ્રીગેટર્સ દ્વારા ટુ વ્હીલર વાહનોનો ઉપયોગ કોઈ પણ પ્રકારના લાયસન્સ અને પરમિટ વગર કરવામાં આવી રહ્યો છે. એગ્રીગેટર માટે લાઈસન્સની જરૂરની જોગવાઈ મોટર વ્હીકલ એક્ટની કલમ 93માં છે. દિલ્હી સરકારની દલીલ હતી કે આ ગાઈડલાઈન્સ ફોર વ્હીલર અને ટુ વ્હીલર બંને પ્રકારના વાહનો માટે છે. આવી સ્થિતીમાં પોલીસી લાવ્યા વિના નોન ટ્રાન્સપોર્ટ ટી-વીલર્સનો ઉપયોગ એગ્રીગેટર્સ કરી શક્તા નથી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.