દિલ્હીમાં નહીં ચાલે ઓલા, ઉબેર અને રેપિડોની બાઈક ટેક્સી, સુપ્રીમ કોર્ટે લગાવ્યો પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2023-06-12 16:56:48

દિલ્હીમાં ઓલા, ઉબેર અને રેપિડો જેવી કંપનીઓની બાઈક સર્વિસ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતી રાજ્ય સરકારની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેબ એગ્રીગેટર કંપનીઓને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર દિલ્હીમાં હાલ તો બાઈક ટેક્સી નહીં ચાલે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટેના વચગાળાના આદેશ પર પ્રતિબંધ લગાવી દીધી છે. 


શા માટે પ્રતિબંધ?


દિલ્હી સરકારની મુખ્ય દલીલ હતી કે એગ્રીગેટર્સ દ્વારા ટુ વ્હીલર વાહનોનો ઉપયોગ કોઈ પણ પ્રકારના લાયસન્સ અને પરમિટ વગર કરવામાં આવી રહ્યો છે. એગ્રીગેટર માટે લાઈસન્સની જરૂરની જોગવાઈ મોટર વ્હીકલ એક્ટની કલમ 93માં છે. દિલ્હી સરકારની દલીલ હતી કે આ ગાઈડલાઈન્સ ફોર વ્હીલર અને ટુ વ્હીલર બંને પ્રકારના વાહનો માટે છે. આવી સ્થિતીમાં પોલીસી લાવ્યા વિના નોન ટ્રાન્સપોર્ટ ટી-વીલર્સનો ઉપયોગ એગ્રીગેટર્સ કરી શક્તા નથી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.