દિલ્હીમાં નહીં ચાલે ઓલા, ઉબેર અને રેપિડોની બાઈક ટેક્સી, સુપ્રીમ કોર્ટે લગાવ્યો પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2023-06-12 16:56:48

દિલ્હીમાં ઓલા, ઉબેર અને રેપિડો જેવી કંપનીઓની બાઈક સર્વિસ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતી રાજ્ય સરકારની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેબ એગ્રીગેટર કંપનીઓને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર દિલ્હીમાં હાલ તો બાઈક ટેક્સી નહીં ચાલે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટેના વચગાળાના આદેશ પર પ્રતિબંધ લગાવી દીધી છે. 


શા માટે પ્રતિબંધ?


દિલ્હી સરકારની મુખ્ય દલીલ હતી કે એગ્રીગેટર્સ દ્વારા ટુ વ્હીલર વાહનોનો ઉપયોગ કોઈ પણ પ્રકારના લાયસન્સ અને પરમિટ વગર કરવામાં આવી રહ્યો છે. એગ્રીગેટર માટે લાઈસન્સની જરૂરની જોગવાઈ મોટર વ્હીકલ એક્ટની કલમ 93માં છે. દિલ્હી સરકારની દલીલ હતી કે આ ગાઈડલાઈન્સ ફોર વ્હીલર અને ટુ વ્હીલર બંને પ્રકારના વાહનો માટે છે. આવી સ્થિતીમાં પોલીસી લાવ્યા વિના નોન ટ્રાન્સપોર્ટ ટી-વીલર્સનો ઉપયોગ એગ્રીગેટર્સ કરી શક્તા નથી.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.