દિલ્હીમાં નહીં ચાલે ઓલા, ઉબેર અને રેપિડોની બાઈક ટેક્સી, સુપ્રીમ કોર્ટે લગાવ્યો પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2023-06-12 16:56:48

દિલ્હીમાં ઓલા, ઉબેર અને રેપિડો જેવી કંપનીઓની બાઈક સર્વિસ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતી રાજ્ય સરકારની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેબ એગ્રીગેટર કંપનીઓને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર દિલ્હીમાં હાલ તો બાઈક ટેક્સી નહીં ચાલે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટેના વચગાળાના આદેશ પર પ્રતિબંધ લગાવી દીધી છે. 


શા માટે પ્રતિબંધ?


દિલ્હી સરકારની મુખ્ય દલીલ હતી કે એગ્રીગેટર્સ દ્વારા ટુ વ્હીલર વાહનોનો ઉપયોગ કોઈ પણ પ્રકારના લાયસન્સ અને પરમિટ વગર કરવામાં આવી રહ્યો છે. એગ્રીગેટર માટે લાઈસન્સની જરૂરની જોગવાઈ મોટર વ્હીકલ એક્ટની કલમ 93માં છે. દિલ્હી સરકારની દલીલ હતી કે આ ગાઈડલાઈન્સ ફોર વ્હીલર અને ટુ વ્હીલર બંને પ્રકારના વાહનો માટે છે. આવી સ્થિતીમાં પોલીસી લાવ્યા વિના નોન ટ્રાન્સપોર્ટ ટી-વીલર્સનો ઉપયોગ એગ્રીગેટર્સ કરી શક્તા નથી.



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.