ઠાકરે જુથને સુપ્રીમે આપ્યો ફટકો, ચૂંટણી પંચના નિર્ણય પર સ્ટે આપવાનો કર્યો ઈન્કાર


  • Published By :
  • Published Date : 2023-02-22 17:55:40

ઠાકરે જુથને સુપ્રીમ કોર્ટમાંથી  પણ નિરાશા મળી છે, આજે શિવસેના પાર્ટીના નામ અને તેના પ્રતિક પાછા મેળવવા માટે ઉધ્ધવ જુથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી પણ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના નિર્ણય સામે સ્ટે આપવાનો ઈન્કાર કર્યો છે. જો કે સુપ્રીમ કોર્ટે શિંદે ગ્રુપને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ઠાકરે જુથ માટે આ મોટો રાજકીય ફટકો છે. મહારાષ્ટ્રમાં શિંદે અને ઠાકરે જુથ વચ્ચેની રાજકીય લડાઈ હજુ લાંબી ચાલશે તેવું જણાઈ રહ્યું છે. 


સુપ્રીમ કોર્ટે શું કહ્યું?


ઉધ્ધવ ઠાકરેની અરજી પર સુનાવણી કરતા સીજેઆઈની અધ્યક્ષતાવાળી બેચે ચૂંટણી પંચના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. બેચે કહ્યું કે અમે  ચૂંટણી પંચના નિર્ણય પર સ્ટે આપી શકીએ નહીં. તેમણે કહ્યું કે આ માટે અમારે બંને પક્ષની દલીલો સાંભળવી પડશે, તે સિવાય સ્ટે આપી શકાય નહીં. આ પહેલા સુનાવણી દરમિયાન ઉધ્ધવ ઠાકરે ગ્રૂપ તરફથી કોર્ટમાં હાજર રહેલા સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને અપીલ કરી કે ચૂંટણી પંચના આદેશ પર સ્ટે આપવામાં આવે. જો કે મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટીસ પીએમ નરસિમ્હાની બેચે તેમની તે અપીલ ફગાવી દીધી હતી.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.