ઠાકરે જુથને સુપ્રીમે આપ્યો ફટકો, ચૂંટણી પંચના નિર્ણય પર સ્ટે આપવાનો કર્યો ઈન્કાર


  • Published By :
  • Published Date : 2023-02-22 17:55:40

ઠાકરે જુથને સુપ્રીમ કોર્ટમાંથી  પણ નિરાશા મળી છે, આજે શિવસેના પાર્ટીના નામ અને તેના પ્રતિક પાછા મેળવવા માટે ઉધ્ધવ જુથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી પણ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના નિર્ણય સામે સ્ટે આપવાનો ઈન્કાર કર્યો છે. જો કે સુપ્રીમ કોર્ટે શિંદે ગ્રુપને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ઠાકરે જુથ માટે આ મોટો રાજકીય ફટકો છે. મહારાષ્ટ્રમાં શિંદે અને ઠાકરે જુથ વચ્ચેની રાજકીય લડાઈ હજુ લાંબી ચાલશે તેવું જણાઈ રહ્યું છે. 


સુપ્રીમ કોર્ટે શું કહ્યું?


ઉધ્ધવ ઠાકરેની અરજી પર સુનાવણી કરતા સીજેઆઈની અધ્યક્ષતાવાળી બેચે ચૂંટણી પંચના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. બેચે કહ્યું કે અમે  ચૂંટણી પંચના નિર્ણય પર સ્ટે આપી શકીએ નહીં. તેમણે કહ્યું કે આ માટે અમારે બંને પક્ષની દલીલો સાંભળવી પડશે, તે સિવાય સ્ટે આપી શકાય નહીં. આ પહેલા સુનાવણી દરમિયાન ઉધ્ધવ ઠાકરે ગ્રૂપ તરફથી કોર્ટમાં હાજર રહેલા સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને અપીલ કરી કે ચૂંટણી પંચના આદેશ પર સ્ટે આપવામાં આવે. જો કે મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટીસ પીએમ નરસિમ્હાની બેચે તેમની તે અપીલ ફગાવી દીધી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.