ઠાકરે જુથને સુપ્રીમે આપ્યો ફટકો, ચૂંટણી પંચના નિર્ણય પર સ્ટે આપવાનો કર્યો ઈન્કાર


  • Published By :
  • Published Date : 2023-02-22 17:55:40

ઠાકરે જુથને સુપ્રીમ કોર્ટમાંથી  પણ નિરાશા મળી છે, આજે શિવસેના પાર્ટીના નામ અને તેના પ્રતિક પાછા મેળવવા માટે ઉધ્ધવ જુથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી પણ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના નિર્ણય સામે સ્ટે આપવાનો ઈન્કાર કર્યો છે. જો કે સુપ્રીમ કોર્ટે શિંદે ગ્રુપને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ઠાકરે જુથ માટે આ મોટો રાજકીય ફટકો છે. મહારાષ્ટ્રમાં શિંદે અને ઠાકરે જુથ વચ્ચેની રાજકીય લડાઈ હજુ લાંબી ચાલશે તેવું જણાઈ રહ્યું છે. 


સુપ્રીમ કોર્ટે શું કહ્યું?


ઉધ્ધવ ઠાકરેની અરજી પર સુનાવણી કરતા સીજેઆઈની અધ્યક્ષતાવાળી બેચે ચૂંટણી પંચના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. બેચે કહ્યું કે અમે  ચૂંટણી પંચના નિર્ણય પર સ્ટે આપી શકીએ નહીં. તેમણે કહ્યું કે આ માટે અમારે બંને પક્ષની દલીલો સાંભળવી પડશે, તે સિવાય સ્ટે આપી શકાય નહીં. આ પહેલા સુનાવણી દરમિયાન ઉધ્ધવ ઠાકરે ગ્રૂપ તરફથી કોર્ટમાં હાજર રહેલા સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને અપીલ કરી કે ચૂંટણી પંચના આદેશ પર સ્ટે આપવામાં આવે. જો કે મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટીસ પીએમ નરસિમ્હાની બેચે તેમની તે અપીલ ફગાવી દીધી હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.