સુપ્રિયા સુલેએ આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું 'આગામી 15 દિવસમાં દિલ્હી અને મહારાષ્ટ્રમાં થશે બે મોટા રાજનૈતિક વિસ્ફોટ'


  • Published By :
  • Published Date : 2023-04-18 12:26:10

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક રાજકીય પક્ષ લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે આવનાર થોડા દિવસોમાં બે રાજકીય વિસ્ફોટ થવાના છે તેવું નિવેદન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાંસદ એટલે કે એનસીપીના સાંસદ સુપ્રિયા સુલેએ આપ્યું છે. સુપ્રિયાએ પોતાના નિવેદનમાં કહ્યું કે એક રાજકીય બ્લાસ્ટ દિલ્હીમાં થવાનો છે જ્યારે બીજો રાજકીય બ્લાસ્ટ મહારાષ્ટ્રમાં થવાનો છે. મહત્વનું છે કે આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રમાં રાજનીતિ ગરમાઈ રહી છે. એવી અટકળો ચાલી રહી છે કે વિપક્ષના નેતા અજીત પવાર ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે આ નિવેદનને મહત્વનું માનવામાં આવી રહ્યું છે.  


અજીત પવાર ભાજપમાં થઈ શકે છે સામેલ તેવી ચાલી રહી છે અટકળો!

રાષ્ટ્રવાદી કોંગ્રસ પાર્ટીના સાંસદ અને શરદ પવારની પુત્રીએ એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે આગામી 15 દિવસમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ધડાકો થવાનો છે. એક રાજકીય ધડાકો મહારાષ્ટ્રમાં થશે જ્યારે બીજો રાજકીય ધડાકો દિલ્હીમાં થવાનો છે. એવી અટકળો ચાલી રહી છે. અજીત પવાર ભાજપમાં જોડાઈ શકે છે. આ નિવેદન બાદ મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ ગઈ છે. 


શરદ પવાર અને સુપ્રિયાની રેલીમાં ગેરહાજર રહ્યા હતા અજીત પવાર!

મહત્વનું છે કે થોડા દિવસો પહેલા પુણેમાં શરદ પવાર અને સુપ્રિયાએ એક રેલી કરી હતી. આ રેલીમાં અજીત પવાર હાજર રહ્યા ન હતા. જ્યારે આ વિશે સુપ્રિયાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે આ સવાલ તેમણે અજીત પવારને પૂછવો જોઈએ. મારા પાસે ગપસપ કરવા માટે ખોટો સમય નથી.   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.