સુપ્રિયા સુલેએ આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું 'આગામી 15 દિવસમાં દિલ્હી અને મહારાષ્ટ્રમાં થશે બે મોટા રાજનૈતિક વિસ્ફોટ'


  • Published By :
  • Published Date : 2023-04-18 12:26:10

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક રાજકીય પક્ષ લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે આવનાર થોડા દિવસોમાં બે રાજકીય વિસ્ફોટ થવાના છે તેવું નિવેદન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાંસદ એટલે કે એનસીપીના સાંસદ સુપ્રિયા સુલેએ આપ્યું છે. સુપ્રિયાએ પોતાના નિવેદનમાં કહ્યું કે એક રાજકીય બ્લાસ્ટ દિલ્હીમાં થવાનો છે જ્યારે બીજો રાજકીય બ્લાસ્ટ મહારાષ્ટ્રમાં થવાનો છે. મહત્વનું છે કે આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રમાં રાજનીતિ ગરમાઈ રહી છે. એવી અટકળો ચાલી રહી છે કે વિપક્ષના નેતા અજીત પવાર ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે આ નિવેદનને મહત્વનું માનવામાં આવી રહ્યું છે.  


અજીત પવાર ભાજપમાં થઈ શકે છે સામેલ તેવી ચાલી રહી છે અટકળો!

રાષ્ટ્રવાદી કોંગ્રસ પાર્ટીના સાંસદ અને શરદ પવારની પુત્રીએ એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે આગામી 15 દિવસમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ધડાકો થવાનો છે. એક રાજકીય ધડાકો મહારાષ્ટ્રમાં થશે જ્યારે બીજો રાજકીય ધડાકો દિલ્હીમાં થવાનો છે. એવી અટકળો ચાલી રહી છે. અજીત પવાર ભાજપમાં જોડાઈ શકે છે. આ નિવેદન બાદ મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ ગઈ છે. 


શરદ પવાર અને સુપ્રિયાની રેલીમાં ગેરહાજર રહ્યા હતા અજીત પવાર!

મહત્વનું છે કે થોડા દિવસો પહેલા પુણેમાં શરદ પવાર અને સુપ્રિયાએ એક રેલી કરી હતી. આ રેલીમાં અજીત પવાર હાજર રહ્યા ન હતા. જ્યારે આ વિશે સુપ્રિયાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે આ સવાલ તેમણે અજીત પવારને પૂછવો જોઈએ. મારા પાસે ગપસપ કરવા માટે ખોટો સમય નથી.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.