સુપ્રિયા સુલેએ આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું 'આગામી 15 દિવસમાં દિલ્હી અને મહારાષ્ટ્રમાં થશે બે મોટા રાજનૈતિક વિસ્ફોટ'


  • Published By :
  • Published Date : 2023-04-18 12:26:10

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક રાજકીય પક્ષ લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે આવનાર થોડા દિવસોમાં બે રાજકીય વિસ્ફોટ થવાના છે તેવું નિવેદન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાંસદ એટલે કે એનસીપીના સાંસદ સુપ્રિયા સુલેએ આપ્યું છે. સુપ્રિયાએ પોતાના નિવેદનમાં કહ્યું કે એક રાજકીય બ્લાસ્ટ દિલ્હીમાં થવાનો છે જ્યારે બીજો રાજકીય બ્લાસ્ટ મહારાષ્ટ્રમાં થવાનો છે. મહત્વનું છે કે આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રમાં રાજનીતિ ગરમાઈ રહી છે. એવી અટકળો ચાલી રહી છે કે વિપક્ષના નેતા અજીત પવાર ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે આ નિવેદનને મહત્વનું માનવામાં આવી રહ્યું છે.  


અજીત પવાર ભાજપમાં થઈ શકે છે સામેલ તેવી ચાલી રહી છે અટકળો!

રાષ્ટ્રવાદી કોંગ્રસ પાર્ટીના સાંસદ અને શરદ પવારની પુત્રીએ એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે આગામી 15 દિવસમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ધડાકો થવાનો છે. એક રાજકીય ધડાકો મહારાષ્ટ્રમાં થશે જ્યારે બીજો રાજકીય ધડાકો દિલ્હીમાં થવાનો છે. એવી અટકળો ચાલી રહી છે. અજીત પવાર ભાજપમાં જોડાઈ શકે છે. આ નિવેદન બાદ મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ ગઈ છે. 


શરદ પવાર અને સુપ્રિયાની રેલીમાં ગેરહાજર રહ્યા હતા અજીત પવાર!

મહત્વનું છે કે થોડા દિવસો પહેલા પુણેમાં શરદ પવાર અને સુપ્રિયાએ એક રેલી કરી હતી. આ રેલીમાં અજીત પવાર હાજર રહ્યા ન હતા. જ્યારે આ વિશે સુપ્રિયાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે આ સવાલ તેમણે અજીત પવારને પૂછવો જોઈએ. મારા પાસે ગપસપ કરવા માટે ખોટો સમય નથી.   



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.