સુપ્રિયા સુલેએ આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું 'આગામી 15 દિવસમાં દિલ્હી અને મહારાષ્ટ્રમાં થશે બે મોટા રાજનૈતિક વિસ્ફોટ'


  • Published By :
  • Published Date : 2023-04-18 12:26:10

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક રાજકીય પક્ષ લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે આવનાર થોડા દિવસોમાં બે રાજકીય વિસ્ફોટ થવાના છે તેવું નિવેદન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાંસદ એટલે કે એનસીપીના સાંસદ સુપ્રિયા સુલેએ આપ્યું છે. સુપ્રિયાએ પોતાના નિવેદનમાં કહ્યું કે એક રાજકીય બ્લાસ્ટ દિલ્હીમાં થવાનો છે જ્યારે બીજો રાજકીય બ્લાસ્ટ મહારાષ્ટ્રમાં થવાનો છે. મહત્વનું છે કે આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રમાં રાજનીતિ ગરમાઈ રહી છે. એવી અટકળો ચાલી રહી છે કે વિપક્ષના નેતા અજીત પવાર ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે આ નિવેદનને મહત્વનું માનવામાં આવી રહ્યું છે.  


અજીત પવાર ભાજપમાં થઈ શકે છે સામેલ તેવી ચાલી રહી છે અટકળો!

રાષ્ટ્રવાદી કોંગ્રસ પાર્ટીના સાંસદ અને શરદ પવારની પુત્રીએ એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે આગામી 15 દિવસમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ધડાકો થવાનો છે. એક રાજકીય ધડાકો મહારાષ્ટ્રમાં થશે જ્યારે બીજો રાજકીય ધડાકો દિલ્હીમાં થવાનો છે. એવી અટકળો ચાલી રહી છે. અજીત પવાર ભાજપમાં જોડાઈ શકે છે. આ નિવેદન બાદ મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ ગઈ છે. 


શરદ પવાર અને સુપ્રિયાની રેલીમાં ગેરહાજર રહ્યા હતા અજીત પવાર!

મહત્વનું છે કે થોડા દિવસો પહેલા પુણેમાં શરદ પવાર અને સુપ્રિયાએ એક રેલી કરી હતી. આ રેલીમાં અજીત પવાર હાજર રહ્યા ન હતા. જ્યારે આ વિશે સુપ્રિયાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે આ સવાલ તેમણે અજીત પવારને પૂછવો જોઈએ. મારા પાસે ગપસપ કરવા માટે ખોટો સમય નથી.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.