Surat: એથર કંપનીમાં લાગેલી આગમાં થયા 7 શ્રમિકોના મોત, મળ્યા મૃતદેહ, 5થી વધુ દર્દીઓની હાલત ગંભીર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-30 13:43:46

સુરત શહેરના સચિન જીઆઈડીસીમાં આવેલી એથર કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગમાં અનેક કામદારો દાઝ્યા હતા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યારે 6થી 7 શ્રમિકો લાપતા હતા. ત્યારે એવી માહિતી સામે આવી છે કે આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થઈ ગયા છે. હજી એક વ્યક્તિ લાપતા છે. મંગળવારે મોડી રાતે GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ ભયંકર આગ લાગી હતી. આગની ઘટનાના 30 કલાક બાદ 6 કામદારોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.

 

આગમાં 27 કર્મચારીઓ દાઝ્યા હતા 

સચિન જીઆઇડીસીમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝમાં મંગળવાર રાત્રે ૧:૩૦ વાગે પ્રથમ બ્લાસ્ટ થયો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે કંપનીમાં 150 જેટલા કર્મચારીઓ હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગમાં દાઝેલા ૨૭ કર્મચારીઓને અલગ અલગ હોસ્પિટલમાં ખસેડાયા. સાત જેટલા કામદારો લાપતા હતા. આ બધા વચ્ચે 6 કામદારોના મૃતદેહ મળી આવ્યા છે. મંગળવારે રાતે બે વાગ્યાની આસપાસ સચિનની એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. 


ઘટનામાં સાત શ્રમિકોના થયા મોત

આગ લાગવાની ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો ત્યાં દોડી આવી હતી. અનેક કલાકો સુધી પાણીનો મારો કરવામાં આવ્યો અને ભારે મહેનત બાદ આગને કાબુમાં લેવાઈ હતી. આ દુર્ઘટનામાં બુધવારે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા ન હતા. પરંતુ સાત લોકો ગુમ થયાના સમાચાર આવ્યા હતા. એવી માહિતી સામે આવી હતી કે આ દુર્ઘટનામાં 27 કામદારો દાઝ્યા હતા સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જેમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારે એવી માહિતી સામે આવી છે કે 6 શ્રમિકોના મૃતદેહો મળી આવ્યા છે.  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.