Surat : સચિન GIDCમાં લાગી ભયંકર આગ, 20થી વધારે કામદારો દાઝ્યા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-29 11:13:36

સુરતના સચિન વિસ્તારમાં આવેલી એક કેમિકલ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝની સ્ટોરેજ ટેન્કમાં જોરદાર આગ લાગી જેને કારણે 24 જેટલા કામદારો દાઝયા છે તેવી માહિતી સામે આવી છે. આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા ત્યારે મળતી માહિતી અનુસાર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. દાઝેલા કામદારોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાં આગ ગઈકાલ મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ લાગી હતી. આગ કયા કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી પરંતુ તે કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે તેવી માહિતી સામે આવી છે. 

અનેક કામદારો આગમાં દાઝ્યા

આગ લાગવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ભીષણ આગને કારણે મોટી દુર્ઘટના સર્જાતી હોય છે જેને કારણે અનેક લોકો દાઝી જતા હોય છે અથવા તો મૃત્યુને પામતા હોય છે. ત્યારે સુરતના સચિન વિસ્તારમાં કેમિકલ બનાવતી કંપની એથર ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી છે જેને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. એથલ કેમિકલ કંપનીમાં રાત્રે 2 વાગ્યે આગ લાગી હતી. કંપનીમાં આગ લાગતા વિસ્ફોટ થયો હતો.આ ઘટનામાં 20થી વધુ કામદારો દાઝ્યા છે તેવી માહિતી સામે આવી છે. 



કામદારોને બચાવવા માટે ત્વરીત શરૂ કરાયું હતું રેસ્ક્યુ ઓપરેશન

આગના બનાવની જાણ થતાં  ફાયર બ્રિગેડની ટીમો ત્યાં આવી પહોંચી હતી. આગ એટલી ભીષણ હતી કે આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની ટીમને ઘણી મહેનત કરવી પડી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તેમજ ફાયર બ્રિગેડનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો. આગમાં ફસાયેલા કામદારો, કર્મચારીઓને તાત્કાલિક બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.