Surat : સચિન GIDCમાં લાગી ભયંકર આગ, 20થી વધારે કામદારો દાઝ્યા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-29 11:13:36

સુરતના સચિન વિસ્તારમાં આવેલી એક કેમિકલ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝની સ્ટોરેજ ટેન્કમાં જોરદાર આગ લાગી જેને કારણે 24 જેટલા કામદારો દાઝયા છે તેવી માહિતી સામે આવી છે. આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા ત્યારે મળતી માહિતી અનુસાર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. દાઝેલા કામદારોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાં આગ ગઈકાલ મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ લાગી હતી. આગ કયા કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી પરંતુ તે કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે તેવી માહિતી સામે આવી છે. 

અનેક કામદારો આગમાં દાઝ્યા

આગ લાગવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ભીષણ આગને કારણે મોટી દુર્ઘટના સર્જાતી હોય છે જેને કારણે અનેક લોકો દાઝી જતા હોય છે અથવા તો મૃત્યુને પામતા હોય છે. ત્યારે સુરતના સચિન વિસ્તારમાં કેમિકલ બનાવતી કંપની એથર ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી છે જેને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. એથલ કેમિકલ કંપનીમાં રાત્રે 2 વાગ્યે આગ લાગી હતી. કંપનીમાં આગ લાગતા વિસ્ફોટ થયો હતો.આ ઘટનામાં 20થી વધુ કામદારો દાઝ્યા છે તેવી માહિતી સામે આવી છે. 



કામદારોને બચાવવા માટે ત્વરીત શરૂ કરાયું હતું રેસ્ક્યુ ઓપરેશન

આગના બનાવની જાણ થતાં  ફાયર બ્રિગેડની ટીમો ત્યાં આવી પહોંચી હતી. આગ એટલી ભીષણ હતી કે આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની ટીમને ઘણી મહેનત કરવી પડી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તેમજ ફાયર બ્રિગેડનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો. આગમાં ફસાયેલા કામદારો, કર્મચારીઓને તાત્કાલિક બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.