Surat : સચિન GIDCમાં લાગી ભયંકર આગ, 20થી વધારે કામદારો દાઝ્યા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-29 11:13:36

સુરતના સચિન વિસ્તારમાં આવેલી એક કેમિકલ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝની સ્ટોરેજ ટેન્કમાં જોરદાર આગ લાગી જેને કારણે 24 જેટલા કામદારો દાઝયા છે તેવી માહિતી સામે આવી છે. આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા ત્યારે મળતી માહિતી અનુસાર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. દાઝેલા કામદારોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાં આગ ગઈકાલ મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ લાગી હતી. આગ કયા કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી પરંતુ તે કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે તેવી માહિતી સામે આવી છે. 

અનેક કામદારો આગમાં દાઝ્યા

આગ લાગવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ભીષણ આગને કારણે મોટી દુર્ઘટના સર્જાતી હોય છે જેને કારણે અનેક લોકો દાઝી જતા હોય છે અથવા તો મૃત્યુને પામતા હોય છે. ત્યારે સુરતના સચિન વિસ્તારમાં કેમિકલ બનાવતી કંપની એથર ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી છે જેને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. એથલ કેમિકલ કંપનીમાં રાત્રે 2 વાગ્યે આગ લાગી હતી. કંપનીમાં આગ લાગતા વિસ્ફોટ થયો હતો.આ ઘટનામાં 20થી વધુ કામદારો દાઝ્યા છે તેવી માહિતી સામે આવી છે. 



કામદારોને બચાવવા માટે ત્વરીત શરૂ કરાયું હતું રેસ્ક્યુ ઓપરેશન

આગના બનાવની જાણ થતાં  ફાયર બ્રિગેડની ટીમો ત્યાં આવી પહોંચી હતી. આગ એટલી ભીષણ હતી કે આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની ટીમને ઘણી મહેનત કરવી પડી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તેમજ ફાયર બ્રિગેડનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો. આગમાં ફસાયેલા કામદારો, કર્મચારીઓને તાત્કાલિક બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી