Surat : સચિન GIDCમાં લાગી ભયંકર આગ, 20થી વધારે કામદારો દાઝ્યા, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-29 11:13:36

સુરતના સચિન વિસ્તારમાં આવેલી એક કેમિકલ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝની સ્ટોરેજ ટેન્કમાં જોરદાર આગ લાગી જેને કારણે 24 જેટલા કામદારો દાઝયા છે તેવી માહિતી સામે આવી છે. આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા ત્યારે મળતી માહિતી અનુસાર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. દાઝેલા કામદારોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાં આગ ગઈકાલ મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ લાગી હતી. આગ કયા કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી પરંતુ તે કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે તેવી માહિતી સામે આવી છે. 

અનેક કામદારો આગમાં દાઝ્યા

આગ લાગવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ભીષણ આગને કારણે મોટી દુર્ઘટના સર્જાતી હોય છે જેને કારણે અનેક લોકો દાઝી જતા હોય છે અથવા તો મૃત્યુને પામતા હોય છે. ત્યારે સુરતના સચિન વિસ્તારમાં કેમિકલ બનાવતી કંપની એથર ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી છે જેને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. એથલ કેમિકલ કંપનીમાં રાત્રે 2 વાગ્યે આગ લાગી હતી. કંપનીમાં આગ લાગતા વિસ્ફોટ થયો હતો.આ ઘટનામાં 20થી વધુ કામદારો દાઝ્યા છે તેવી માહિતી સામે આવી છે. 



કામદારોને બચાવવા માટે ત્વરીત શરૂ કરાયું હતું રેસ્ક્યુ ઓપરેશન

આગના બનાવની જાણ થતાં  ફાયર બ્રિગેડની ટીમો ત્યાં આવી પહોંચી હતી. આગ એટલી ભીષણ હતી કે આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની ટીમને ઘણી મહેનત કરવી પડી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તેમજ ફાયર બ્રિગેડનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો. આગમાં ફસાયેલા કામદારો, કર્મચારીઓને તાત્કાલિક બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.