સુરત આમ આદમી પાર્ટીમાં સર્જાયું ભંગાણ! આમ આદમી પાર્ટીના વધુ બે કોર્પોરેટરોએ ધારણ કર્યો કેસરિયો


  • Published By :
  • Published Date : 2023-04-21 14:01:00

સુરત આમ આદમી પાર્ટીમાં ફરી એક વખત ભંગાણ સર્જાયું છે. થોડા સમય પહેલા ભાજપમાં 6 જેટલા કોર્પોરેટરો જોડાયા હતા. ત્યારે ફરી એક વખત આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરોએ આપનો છેડો ફાડી દીધો છે અને ભાજપમાં જોડાયા છે. કનુ ગેડિયા અને અલ્પેશ પટેલ ભાજપમાં જોડાયા છે. અત્યાર સુધી આપના 12 જેટલા કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. સુરત વોર્ડ નંબર 2માંથી અલ્પેશ પટેલ અને વોર્ડ નંબર ત્રણના કનુ ગેડિયા ભાજપમાં સામેલ થયા છે.      


વોર્ડ નં.2ના આપના કોર્પોરેટર અલ્પેશ પટેલે ભગવો ધારણ કર્યો.

આપના કોર્પોરેટર કનુ ગેડિયાએ કેસરિયો ધારણ કર્યો.


આ પહેલા 10 જેટલા કોર્પોરેટરોએ છોડ્યો છે આપનો સાથ!

ગુજરાતમાં થોડા સમય પહેલા જ ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પાંચ વિધાનસભા સીટો પર જીત હાંસલ કરી છે. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ પક્ષ પલટો કરવાના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. ચૂંટણી દરમિયાન પાર્ટીઓમાં ભંગાણ પડતું હોય છે. રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા લોકો પક્ષપલટો કરી બીજા પાર્ટીની સાથે જોડાઈ જતા હોય છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીમાં ફરી એક વખત ભંગાણ થયું છે. સુરત આમ આદમી પાર્ટીના વધુ 2 કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટીનો સાથ છોડી દીધો છે અને ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. આ પહેલા 10 જેટલા કોર્પોરેટરોએ આપનો સાથ છોડી દીધો છે.  


27માંથી 12 કોર્પોરેટરો જોડાયા ભાજપમાં!

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર ચૂંટાયા હતા. પરંતુ સમય જતા જતા 27માંથી 12 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા છે. થોડા દિવસો પહેલા હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના 6 કોર્પોરેટરનું ભાજપમાં સ્વાગત કર્યું હતું ત્યારે આજે વધુ બે કોર્પોરેટરો ભાજપમાં સામેલ થઈ ગયા છે. હવે માત્ર 15 કોર્પોરેટરો જ આમ આદમી પાર્ટી પાસે રહ્યા છે. 


આ કોર્પોરેટરોએ ધારણ કર્યો કેસરિયો!

અત્યાર સુધી અશોક ધામી, નિરાલી પટેલ, ધર્મેન્દ્ર વાવલિયા, સ્વાતિ ક્યાડા, કિરણ ખોખાણી, ઘનશ્યામ મકવાણા, ઋતા ખેની, જ્યોતિ લાઠિયા, ભાવના સોલંદી અને વિપુલ મોવલિયાએ પક્ષ પલટો કર્યો હતો પરંતુ હવે આ લિસ્ટમાં કનુ ગેડિયા અને અલ્પેશ પટેલના નામનો સમાવેશ પણ થઈ ગયો છે. ત્યારે લોકોના મનમાં સવાલ એ થવો સ્વાભાવિક છે કે શું કામ પાર્ટીના નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. જે પાર્ટીના વિરૂદ્ધ તમે ચૂંટણી લડ્યા છો તે જ પાર્ટીમાં જીત્યા બાદ તમે સામેલ થાવ છો તો એનો મતલબ શું?     





ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.