સુરત આમ આદમી પાર્ટીમાં સર્જાયું ભંગાણ! આમ આદમી પાર્ટીના વધુ બે કોર્પોરેટરોએ ધારણ કર્યો કેસરિયો


  • Published By :
  • Published Date : 2023-04-21 14:01:00

સુરત આમ આદમી પાર્ટીમાં ફરી એક વખત ભંગાણ સર્જાયું છે. થોડા સમય પહેલા ભાજપમાં 6 જેટલા કોર્પોરેટરો જોડાયા હતા. ત્યારે ફરી એક વખત આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરોએ આપનો છેડો ફાડી દીધો છે અને ભાજપમાં જોડાયા છે. કનુ ગેડિયા અને અલ્પેશ પટેલ ભાજપમાં જોડાયા છે. અત્યાર સુધી આપના 12 જેટલા કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. સુરત વોર્ડ નંબર 2માંથી અલ્પેશ પટેલ અને વોર્ડ નંબર ત્રણના કનુ ગેડિયા ભાજપમાં સામેલ થયા છે.      


વોર્ડ નં.2ના આપના કોર્પોરેટર અલ્પેશ પટેલે ભગવો ધારણ કર્યો.

આપના કોર્પોરેટર કનુ ગેડિયાએ કેસરિયો ધારણ કર્યો.


આ પહેલા 10 જેટલા કોર્પોરેટરોએ છોડ્યો છે આપનો સાથ!

ગુજરાતમાં થોડા સમય પહેલા જ ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પાંચ વિધાનસભા સીટો પર જીત હાંસલ કરી છે. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ પક્ષ પલટો કરવાના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. ચૂંટણી દરમિયાન પાર્ટીઓમાં ભંગાણ પડતું હોય છે. રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા લોકો પક્ષપલટો કરી બીજા પાર્ટીની સાથે જોડાઈ જતા હોય છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીમાં ફરી એક વખત ભંગાણ થયું છે. સુરત આમ આદમી પાર્ટીના વધુ 2 કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટીનો સાથ છોડી દીધો છે અને ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. આ પહેલા 10 જેટલા કોર્પોરેટરોએ આપનો સાથ છોડી દીધો છે.  


27માંથી 12 કોર્પોરેટરો જોડાયા ભાજપમાં!

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર ચૂંટાયા હતા. પરંતુ સમય જતા જતા 27માંથી 12 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા છે. થોડા દિવસો પહેલા હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના 6 કોર્પોરેટરનું ભાજપમાં સ્વાગત કર્યું હતું ત્યારે આજે વધુ બે કોર્પોરેટરો ભાજપમાં સામેલ થઈ ગયા છે. હવે માત્ર 15 કોર્પોરેટરો જ આમ આદમી પાર્ટી પાસે રહ્યા છે. 


આ કોર્પોરેટરોએ ધારણ કર્યો કેસરિયો!

અત્યાર સુધી અશોક ધામી, નિરાલી પટેલ, ધર્મેન્દ્ર વાવલિયા, સ્વાતિ ક્યાડા, કિરણ ખોખાણી, ઘનશ્યામ મકવાણા, ઋતા ખેની, જ્યોતિ લાઠિયા, ભાવના સોલંદી અને વિપુલ મોવલિયાએ પક્ષ પલટો કર્યો હતો પરંતુ હવે આ લિસ્ટમાં કનુ ગેડિયા અને અલ્પેશ પટેલના નામનો સમાવેશ પણ થઈ ગયો છે. ત્યારે લોકોના મનમાં સવાલ એ થવો સ્વાભાવિક છે કે શું કામ પાર્ટીના નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. જે પાર્ટીના વિરૂદ્ધ તમે ચૂંટણી લડ્યા છો તે જ પાર્ટીમાં જીત્યા બાદ તમે સામેલ થાવ છો તો એનો મતલબ શું?     





ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.