સુરત આમ આદમી પાર્ટીમાં સર્જાયું ભંગાણ! આમ આદમી પાર્ટીના વધુ બે કોર્પોરેટરોએ ધારણ કર્યો કેસરિયો


  • Published By :
  • Published Date : 2023-04-21 14:01:00

સુરત આમ આદમી પાર્ટીમાં ફરી એક વખત ભંગાણ સર્જાયું છે. થોડા સમય પહેલા ભાજપમાં 6 જેટલા કોર્પોરેટરો જોડાયા હતા. ત્યારે ફરી એક વખત આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરોએ આપનો છેડો ફાડી દીધો છે અને ભાજપમાં જોડાયા છે. કનુ ગેડિયા અને અલ્પેશ પટેલ ભાજપમાં જોડાયા છે. અત્યાર સુધી આપના 12 જેટલા કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. સુરત વોર્ડ નંબર 2માંથી અલ્પેશ પટેલ અને વોર્ડ નંબર ત્રણના કનુ ગેડિયા ભાજપમાં સામેલ થયા છે.      


વોર્ડ નં.2ના આપના કોર્પોરેટર અલ્પેશ પટેલે ભગવો ધારણ કર્યો.

આપના કોર્પોરેટર કનુ ગેડિયાએ કેસરિયો ધારણ કર્યો.


આ પહેલા 10 જેટલા કોર્પોરેટરોએ છોડ્યો છે આપનો સાથ!

ગુજરાતમાં થોડા સમય પહેલા જ ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પાંચ વિધાનસભા સીટો પર જીત હાંસલ કરી છે. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ પક્ષ પલટો કરવાના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. ચૂંટણી દરમિયાન પાર્ટીઓમાં ભંગાણ પડતું હોય છે. રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા લોકો પક્ષપલટો કરી બીજા પાર્ટીની સાથે જોડાઈ જતા હોય છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીમાં ફરી એક વખત ભંગાણ થયું છે. સુરત આમ આદમી પાર્ટીના વધુ 2 કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટીનો સાથ છોડી દીધો છે અને ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. આ પહેલા 10 જેટલા કોર્પોરેટરોએ આપનો સાથ છોડી દીધો છે.  


27માંથી 12 કોર્પોરેટરો જોડાયા ભાજપમાં!

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર ચૂંટાયા હતા. પરંતુ સમય જતા જતા 27માંથી 12 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા છે. થોડા દિવસો પહેલા હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના 6 કોર્પોરેટરનું ભાજપમાં સ્વાગત કર્યું હતું ત્યારે આજે વધુ બે કોર્પોરેટરો ભાજપમાં સામેલ થઈ ગયા છે. હવે માત્ર 15 કોર્પોરેટરો જ આમ આદમી પાર્ટી પાસે રહ્યા છે. 


આ કોર્પોરેટરોએ ધારણ કર્યો કેસરિયો!

અત્યાર સુધી અશોક ધામી, નિરાલી પટેલ, ધર્મેન્દ્ર વાવલિયા, સ્વાતિ ક્યાડા, કિરણ ખોખાણી, ઘનશ્યામ મકવાણા, ઋતા ખેની, જ્યોતિ લાઠિયા, ભાવના સોલંદી અને વિપુલ મોવલિયાએ પક્ષ પલટો કર્યો હતો પરંતુ હવે આ લિસ્ટમાં કનુ ગેડિયા અને અલ્પેશ પટેલના નામનો સમાવેશ પણ થઈ ગયો છે. ત્યારે લોકોના મનમાં સવાલ એ થવો સ્વાભાવિક છે કે શું કામ પાર્ટીના નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. જે પાર્ટીના વિરૂદ્ધ તમે ચૂંટણી લડ્યા છો તે જ પાર્ટીમાં જીત્યા બાદ તમે સામેલ થાવ છો તો એનો મતલબ શું?     





ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે