સુરત ફરી શર્મસાર થયું, ચાર વર્ષની બાળકી પર યુવકે આચર્યું દુષ્કર્મ, દર્દથી પીડાઈ રહેલી માસુમની ચાલી રહી છે સારવાર, જાણો


  • Published By :
  • Published Date : 2023-06-23 12:31:47

ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. જો આપણે આ વાતને ભૂતકાળ કહીએ તો પણ ખોટા ન પડીએ કારણે એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં મહિલાઓ પર દુષ્કર્મ આચરવામાં આવતું હોય છે. પરંતુ હવે તો નાની બાળકી પણ સુરક્ષિત નથી. ગઈકાલે સુરતથી એક સમાચાર સામે આવ્યા હતા જેમાં નરાધમે ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. મળતી માહિતી અનુસાર ચાર વર્ષીય માસુમ બાળકીને 21 વર્ષીય યુવક ઉઠાવી ગયો હતો અને તે બાદ દુષ્કર્મ આચર્યું હતું. જે વખતે બાળકીને પડોશી ઉઠાવીને જતો હતો તે સમયના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને ગણતરિના કલાકોમાં તેને ઝડપી પાડ્યો હતો.    


ચાર વર્ષની બાળકીને બનાવ્યો હવસનો શિકાર

દિવસેને દિવસે મહિલા પર થતાં દુષ્કર્મની ઘટનાઓ વધતી જઈ રહી છે. નાની બાળકીઓ હવસનો શિકાર બની રહી છે. નરાધમો બાળકીને પોતાના હવસનો શિકાર બની રહ્યા છે. ત્યારે સુરતથી એક એવી ઘટના સામે આવી છે જેને લઈ માનવતા શર્મસાર થઈ જાય છે. ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા આરજેડી પાર્કમાં નવનિર્મિત બિલ્ડિંગમાં પોતાના પરિવારની સાથે બાળકી સૂતી હતી ત્યારે ત્યાં નજીકમાં રહેતો યુવક સૂતેલી બાળકીને ઉપાડી ગયો અને દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને રઝળતી હાલતમાં મૂકી યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બાળકી ધીમે ધીમે કરી પોતાના ઘરે પહોંચી અને બાળકીની હાલત જોઈ પરિવારના તળિયેથી જમીન સરકી ગઈ હતી. 


બાળકીને બચાવવા કરાઈ રહ્યો છે પ્રયાસ

દર્દથી પીડાતી દીકરીને પરિવારજનોએ હોસ્પિટલ ખસેડી હતી. સારવાર કરી રહેલા ડોક્ટરોએ જણાવ્યું કે બાળકીના શરીર પર અનેક ઈજાઓ મળી આવી હતી. ચહેરા પર પણ ઈજાઓ પહોંચી છે. અંદાજીત બે કલાક સુધી બાળકીનું ઓપરેશન ચાલ્યું હતું. ગંભીર હાલતમાં બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ પણ બાળકીની હાલત નાજુક છે અને આઈસીયુમાં દાખલ છે. બાળકી જલ્દી સાજી થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 



લોકોમાં આ ઘટનાને લઈ જોવા મળ્યો રોષ

આ મામલે પોલીસે પણ જલ્દી કાર્યવાહી કરી છે. નરાધમ વિરૂદ્ધ કેસ દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો અને મળતી માહિતી અનુસાર આરોપી પોલીસ કસ્ટડીમાં છે. આ ઘટનાને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આવી વધતી ઘટનાઓથી સાબિત થઈ રહ્યું કે આપણો સમાજ કઈ તરફ આગળ વધી રહ્યો છે. નાની બાળકીઓ પણ હવે તો રાજ્યમાં સુરક્ષિત નથી. પાડોશીને આપણે ત્યાં પહેલો સગો માનવામાં આવે છે પરંતુ હવે એવી હાલત થઈ ગઈ છે કે પડોશી પર પણ વિશ્વાસ કરતા લોકો ડરી રહ્યા છે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.