સુરત ફરી શર્મસાર થયું, ચાર વર્ષની બાળકી પર યુવકે આચર્યું દુષ્કર્મ, દર્દથી પીડાઈ રહેલી માસુમની ચાલી રહી છે સારવાર, જાણો


  • Published By :
  • Published Date : 2023-06-23 12:31:47

ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. જો આપણે આ વાતને ભૂતકાળ કહીએ તો પણ ખોટા ન પડીએ કારણે એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં મહિલાઓ પર દુષ્કર્મ આચરવામાં આવતું હોય છે. પરંતુ હવે તો નાની બાળકી પણ સુરક્ષિત નથી. ગઈકાલે સુરતથી એક સમાચાર સામે આવ્યા હતા જેમાં નરાધમે ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. મળતી માહિતી અનુસાર ચાર વર્ષીય માસુમ બાળકીને 21 વર્ષીય યુવક ઉઠાવી ગયો હતો અને તે બાદ દુષ્કર્મ આચર્યું હતું. જે વખતે બાળકીને પડોશી ઉઠાવીને જતો હતો તે સમયના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને ગણતરિના કલાકોમાં તેને ઝડપી પાડ્યો હતો.    


ચાર વર્ષની બાળકીને બનાવ્યો હવસનો શિકાર

દિવસેને દિવસે મહિલા પર થતાં દુષ્કર્મની ઘટનાઓ વધતી જઈ રહી છે. નાની બાળકીઓ હવસનો શિકાર બની રહી છે. નરાધમો બાળકીને પોતાના હવસનો શિકાર બની રહ્યા છે. ત્યારે સુરતથી એક એવી ઘટના સામે આવી છે જેને લઈ માનવતા શર્મસાર થઈ જાય છે. ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા આરજેડી પાર્કમાં નવનિર્મિત બિલ્ડિંગમાં પોતાના પરિવારની સાથે બાળકી સૂતી હતી ત્યારે ત્યાં નજીકમાં રહેતો યુવક સૂતેલી બાળકીને ઉપાડી ગયો અને દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને રઝળતી હાલતમાં મૂકી યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બાળકી ધીમે ધીમે કરી પોતાના ઘરે પહોંચી અને બાળકીની હાલત જોઈ પરિવારના તળિયેથી જમીન સરકી ગઈ હતી. 


બાળકીને બચાવવા કરાઈ રહ્યો છે પ્રયાસ

દર્દથી પીડાતી દીકરીને પરિવારજનોએ હોસ્પિટલ ખસેડી હતી. સારવાર કરી રહેલા ડોક્ટરોએ જણાવ્યું કે બાળકીના શરીર પર અનેક ઈજાઓ મળી આવી હતી. ચહેરા પર પણ ઈજાઓ પહોંચી છે. અંદાજીત બે કલાક સુધી બાળકીનું ઓપરેશન ચાલ્યું હતું. ગંભીર હાલતમાં બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ પણ બાળકીની હાલત નાજુક છે અને આઈસીયુમાં દાખલ છે. બાળકી જલ્દી સાજી થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 



લોકોમાં આ ઘટનાને લઈ જોવા મળ્યો રોષ

આ મામલે પોલીસે પણ જલ્દી કાર્યવાહી કરી છે. નરાધમ વિરૂદ્ધ કેસ દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો અને મળતી માહિતી અનુસાર આરોપી પોલીસ કસ્ટડીમાં છે. આ ઘટનાને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આવી વધતી ઘટનાઓથી સાબિત થઈ રહ્યું કે આપણો સમાજ કઈ તરફ આગળ વધી રહ્યો છે. નાની બાળકીઓ પણ હવે તો રાજ્યમાં સુરક્ષિત નથી. પાડોશીને આપણે ત્યાં પહેલો સગો માનવામાં આવે છે પરંતુ હવે એવી હાલત થઈ ગઈ છે કે પડોશી પર પણ વિશ્વાસ કરતા લોકો ડરી રહ્યા છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.