સુરત ફરી શર્મસાર થયું, ચાર વર્ષની બાળકી પર યુવકે આચર્યું દુષ્કર્મ, દર્દથી પીડાઈ રહેલી માસુમની ચાલી રહી છે સારવાર, જાણો


  • Published By :
  • Published Date : 2023-06-23 12:31:47

ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. જો આપણે આ વાતને ભૂતકાળ કહીએ તો પણ ખોટા ન પડીએ કારણે એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં મહિલાઓ પર દુષ્કર્મ આચરવામાં આવતું હોય છે. પરંતુ હવે તો નાની બાળકી પણ સુરક્ષિત નથી. ગઈકાલે સુરતથી એક સમાચાર સામે આવ્યા હતા જેમાં નરાધમે ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. મળતી માહિતી અનુસાર ચાર વર્ષીય માસુમ બાળકીને 21 વર્ષીય યુવક ઉઠાવી ગયો હતો અને તે બાદ દુષ્કર્મ આચર્યું હતું. જે વખતે બાળકીને પડોશી ઉઠાવીને જતો હતો તે સમયના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને ગણતરિના કલાકોમાં તેને ઝડપી પાડ્યો હતો.    


ચાર વર્ષની બાળકીને બનાવ્યો હવસનો શિકાર

દિવસેને દિવસે મહિલા પર થતાં દુષ્કર્મની ઘટનાઓ વધતી જઈ રહી છે. નાની બાળકીઓ હવસનો શિકાર બની રહી છે. નરાધમો બાળકીને પોતાના હવસનો શિકાર બની રહ્યા છે. ત્યારે સુરતથી એક એવી ઘટના સામે આવી છે જેને લઈ માનવતા શર્મસાર થઈ જાય છે. ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા આરજેડી પાર્કમાં નવનિર્મિત બિલ્ડિંગમાં પોતાના પરિવારની સાથે બાળકી સૂતી હતી ત્યારે ત્યાં નજીકમાં રહેતો યુવક સૂતેલી બાળકીને ઉપાડી ગયો અને દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને રઝળતી હાલતમાં મૂકી યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બાળકી ધીમે ધીમે કરી પોતાના ઘરે પહોંચી અને બાળકીની હાલત જોઈ પરિવારના તળિયેથી જમીન સરકી ગઈ હતી. 


બાળકીને બચાવવા કરાઈ રહ્યો છે પ્રયાસ

દર્દથી પીડાતી દીકરીને પરિવારજનોએ હોસ્પિટલ ખસેડી હતી. સારવાર કરી રહેલા ડોક્ટરોએ જણાવ્યું કે બાળકીના શરીર પર અનેક ઈજાઓ મળી આવી હતી. ચહેરા પર પણ ઈજાઓ પહોંચી છે. અંદાજીત બે કલાક સુધી બાળકીનું ઓપરેશન ચાલ્યું હતું. ગંભીર હાલતમાં બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ પણ બાળકીની હાલત નાજુક છે અને આઈસીયુમાં દાખલ છે. બાળકી જલ્દી સાજી થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 



લોકોમાં આ ઘટનાને લઈ જોવા મળ્યો રોષ

આ મામલે પોલીસે પણ જલ્દી કાર્યવાહી કરી છે. નરાધમ વિરૂદ્ધ કેસ દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો અને મળતી માહિતી અનુસાર આરોપી પોલીસ કસ્ટડીમાં છે. આ ઘટનાને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આવી વધતી ઘટનાઓથી સાબિત થઈ રહ્યું કે આપણો સમાજ કઈ તરફ આગળ વધી રહ્યો છે. નાની બાળકીઓ પણ હવે તો રાજ્યમાં સુરક્ષિત નથી. પાડોશીને આપણે ત્યાં પહેલો સગો માનવામાં આવે છે પરંતુ હવે એવી હાલત થઈ ગઈ છે કે પડોશી પર પણ વિશ્વાસ કરતા લોકો ડરી રહ્યા છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.