સુરતમાં ભાજપને ફટકો, 500થી વધુ કાર્યકરો AAPમાં જોડાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 13:40:30

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની સરકાર સામે કર્મચારી આંદોલનો વધી રહ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીની લોક લુભાવક ગેરન્ટી યોજનાઓ લોકોને આકર્ષી રહી છે. જનતાને વિવિધ ગેરેન્ટી આપનારી યોજનાઓ હવે ભાજપના કાર્યકરોને પણ આકર્ષી રહી છે. આવતી કાલે  કેજરીવાલ ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તે પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપમાં મોટું ઓપરેશન પાર પડ્યું છે. ભાજપના  500થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.


સુરત ભાજપમાં ગાબડું


ગુજરાતની સામાન્ય જનતા જ નહીં પરંતુ બીજી પાર્ટીના લોકો  હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ભાજપના કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે. આજે ભાજપના 500થી વધુ કાર્યકર્તાઓ એક સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં આયોજિત પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મંત્રી રાજકુમાર સિંહ, સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડીયા અને નવસારી લોકસભા પ્રમુખ ઈ.કે.પાટીલના હસ્તે 500થી વધુ ભાજપના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે.


AAPના નેતાઓનો આત્મવિશ્વાસ બુલંદ


આમ આદમી પાર્ટીએ પંજાબમાં સત્તા પ્રાપ્ત કર્યા બાદ હવે પાર્ટીના નેતાઓનો આત્મવિશ્વાસ બુલંદ છે. આપના નેતા અરવિંદ કેજરીવાલની નજર હવે ગુજરાત પર છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીએ 182 બેઠક માંથી 29 બેઠક ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. ગુજરાતની જનતાને વિવિધ ગેરેન્ટી  આપી અને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ગુજરાતમાં ડોર ટુ ડોર ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેઇનના માધ્યમથી લોકોના ઘર સુધી ‘આપ’ની વિચારધારા પહોંચાડવાનો  પ્રયાસ  કરી રહ્યા છે.  આમ આદમી પાર્ટીની રણનીતિ જનતા કેટલી પસંદ કરે છે તે આગામી ચૂંટણીના પરિણામમાં જ ખબર પડશે. પરંતુ અત્યારે ભાજપના ગઢમાં આમ આદમી  પાર્ટીએ ગાબડું પાડ્યું છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે