સુરતમાં ભાજપને ફટકો, 500થી વધુ કાર્યકરો AAPમાં જોડાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 13:40:30

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની સરકાર સામે કર્મચારી આંદોલનો વધી રહ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીની લોક લુભાવક ગેરન્ટી યોજનાઓ લોકોને આકર્ષી રહી છે. જનતાને વિવિધ ગેરેન્ટી આપનારી યોજનાઓ હવે ભાજપના કાર્યકરોને પણ આકર્ષી રહી છે. આવતી કાલે  કેજરીવાલ ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તે પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપમાં મોટું ઓપરેશન પાર પડ્યું છે. ભાજપના  500થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.


સુરત ભાજપમાં ગાબડું


ગુજરાતની સામાન્ય જનતા જ નહીં પરંતુ બીજી પાર્ટીના લોકો  હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ભાજપના કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે. આજે ભાજપના 500થી વધુ કાર્યકર્તાઓ એક સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં આયોજિત પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મંત્રી રાજકુમાર સિંહ, સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડીયા અને નવસારી લોકસભા પ્રમુખ ઈ.કે.પાટીલના હસ્તે 500થી વધુ ભાજપના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે.


AAPના નેતાઓનો આત્મવિશ્વાસ બુલંદ


આમ આદમી પાર્ટીએ પંજાબમાં સત્તા પ્રાપ્ત કર્યા બાદ હવે પાર્ટીના નેતાઓનો આત્મવિશ્વાસ બુલંદ છે. આપના નેતા અરવિંદ કેજરીવાલની નજર હવે ગુજરાત પર છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીએ 182 બેઠક માંથી 29 બેઠક ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. ગુજરાતની જનતાને વિવિધ ગેરેન્ટી  આપી અને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ગુજરાતમાં ડોર ટુ ડોર ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેઇનના માધ્યમથી લોકોના ઘર સુધી ‘આપ’ની વિચારધારા પહોંચાડવાનો  પ્રયાસ  કરી રહ્યા છે.  આમ આદમી પાર્ટીની રણનીતિ જનતા કેટલી પસંદ કરે છે તે આગામી ચૂંટણીના પરિણામમાં જ ખબર પડશે. પરંતુ અત્યારે ભાજપના ગઢમાં આમ આદમી  પાર્ટીએ ગાબડું પાડ્યું છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.